Shuru
Apke Nagar Ki App…
સુરતમાં ઉધના નજીક આવેલા આશીર્વાદ પાર્કમાં ફાયર બ્રિગેડની ટીમ સફાઈ કરવા માટે આવી પહોંચી છે.
भारत 24 Exp news,
સુરતમાં ઉધના નજીક આવેલા આશીર્વાદ પાર્કમાં ફાયર બ્રિગેડની ટીમ સફાઈ કરવા માટે આવી પહોંચી છે.
More news from ગુજરાત and nearby areas
- સુરતના ઉધના વિસ્તારમાં આવેલા નવ નંબર વિસ્તારમાં એક યુવકની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ઉધના નવ નંબર વિસ્તારમાં પોતાની માતા સાથે રહેતા આશરે ૨૨ થી ૨૫ વર્ષીય યુવક વિકી ધનરાજ કાયરેની હત્યા કરવામાં આવી છે. મૃતક યુવક ફ્લિપકાર્ટમાં નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા જૂની દુશ્મનીના કારણે થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. હુમલા દરમિયાન સામેવાળા હુમલાખોર વ્યક્તિને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, માત્ર ચાર મહિના પહેલા જ મૃતક વિકીના પિતાની પણ હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સાથે બાઈક અને તેના મિત્ર વિકી આબા પાન પાટીલની વિગતો પણ સામે આવી રહી છે. આ હુમલામાં માતાએ પોતાનો એકમાત્ર પુત્ર ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકની માતા અને બે બહેનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. જોકે, આ ઘટનાને પગલે સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.1
- સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર ₹5 હજારની લેતીદેતીના વિવાદમાં મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ હતી. પૈસાના આ વિવાદને કારણે મિત્રોએ જ ભેગા મળીને પોતાના જ મિત્ર રાજ દુબેની ચપ્પુના ઘા મારીને ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ચકચારી હત્યાકાંડ બાદ સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના અંગે ડિંડોલી પોલીસે ગુનાનો ભેદ ઉકેલવા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ સફળતા મેળવીને આ હત્યા કેસનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ડાંગમાંથી હત્યા કરનારા ત્રણેય મિત્રોની ધરપકડ કરી લીધી છે.1
- સુરતમાં ઉધના નજીક આવેલા આશીર્વાદ પાર્કમાં ફાયર બ્રિગેડની ટીમ સફાઈ કરવા માટે આવી પહોંચી છે.1
- સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા સુરત જિલ્લા ન્યાયાલયમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રાહુલ ત્રિવેદીના નેતૃત્વમાં યોજાયેલી આ અદાલતમાં મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળના 50 થી વધુ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફળ આયોજન દરમિયાન વરિષ્ઠ એડવોકેટ શ્રી નયનભાઈ સુખડવાલા અને અન્ય ન્યાયિક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોક અદાલતમાં કેસોનો સુખદ અંત આવતા પક્ષકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજે કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.1
- સુરતના પાલી ગામ વિસ્તારના વિવિધ સ્થળો પર પહોંચીને સચિન જીઆઈડીસી પોલીસે ગૌવંશને ભૂસું ખવડાવીને માનવતા અને સેવાનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું છે. કાયદો અને વ્યવસ્થાની સાથે સામાજિક સેવા અને જીવો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવતી પોલીસની આ પ્રશંસનીય પહેલે આખા શહેરમાં સંવેદનશીલ પોલીસિંગનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે. આ સેવા કાર્યક્રમમાં જે ડિવિઝનના એસીપી એ.સી. તર્ડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ, સેકન્ડ પીઆઈ કે.એ. ચૌહાણ અને ડી-સ્ટાફના તમામ પોલીસકર્મીઓએ સક્રિય રીતે આ ગૌસેવા અભિયાનમાં ભાગ લીધો હતો. પોલીસની આ અનોખી પહેલની સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થાની સુરક્ષા કરવાની સાથે જીવો પ્રત્યે આવી સંવેદનશીલતા દાખવવાથી પોલીસની સકારાત્મક છબી સમાજમાં વધુ મજબૂત બને છે.1
- સુરતના ઉધનામાં રથયાત્રા પહેલાં જ એક સનસનાટીભરી લોહિયાળ ઘટના સામે આવી છે. અહીં જૂની અદાવત રાખીને એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ સનસનીખેજ ખૂની વારદાત રથયાત્રાના પર્વ પૂર્વે જ અંજામ આપવામાં આવી છે.1