Shuru
Apke Nagar Ki App…
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
સરદાર સંદેશ ન્યુઝ
જય શ્રીકષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરી આપના કામધંધાની શરૂઆત કરો.
More news from Kheda and nearby areas
- વિસાવદર ના લેરિયા ખાતેથી જૂનાગઢની ગિરનાર(સોરઢ) ડેરીમાં રોજ સવારે 6 વાગે ભરી 7:30 સુધીમાં ખાલી કરવામાં આવતું. અમારી પાસે માહિતી હતી કે આ દૂધ નકલી છે એટલે તે શંકાના દાયરામાં રોકવામાં આવેલ પછી પોલીસ અને FSSAI ના અધિકારીને જાણ કરવામાં આવેલ. યુવરાજસિંહ જાડેજા4
- સમસ્ત ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ તથા બારડ પરિવારના બંધારણનુ તરભ ગામે મહાસંમેલન યોજાયું વિસનગર તાલુકાના તરભ ગામે ચોવીસ ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારડ પરિવાર એક મંચ ઉપર ભેગો થયો હતો જેમાં સમાજની અંદર કુરિવાજો દૂર કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા બનાસકાંઠા અને પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો ગુજરાતમાં સૌથી વધારે બહુમતી ધરાવતો ક્ષત્રિય ઠાકોર સમાજ છે સમાજમાં છેલ્લા ગણા વર્ષોથી સામાજિક સંઘઠનો અને સંસ્થાઓ અલગ અલગ મુદ્દાઓ ઉપર કામ કરી રહી છે સમાજના ઉત્થાન માટે સમાજમાં શિક્ષણ માટે અને કુરિવાજો દૂર થાય અને વ્યશનમુક્ત બને તે માટે સતત સામાજિક આગેવાનો પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ છેલ્લા ગણા સમયથી ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણ કરવામાં આવી રહ્યા છે ત્યારે તરભ ગામે પણ આજે સમસ્ત ચોવીસ ગામ ચૌહાણ અને બારડ પરિવારના બંધારણનુ મહાસંમેલન યોજાયું હતું તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના મહાસંમેલનમા ઉપસ્થિત સમાજના આગેવાનો દ્વવારા જે કુરિવાજો ચાલી રહ્યા છે તેના નીતિનિયમો જાહેર કરવામાં આવ્યા હતા અને જે પણ સમાજમાં ઘડાયેલા નિયમો તોડશે તો તે પરિવારને સમાજ બહાર મુકવામાં આવશે આ બાબતે સમાજમા ચાલતા જે કુરિવાજો તેમાં જોવા જઇયે તો (1)જેમ પ્રશ્નગ / બાબરી / વરઘોડો /વર ચડાવો /મામેરાનુ સાંમીયુ જેવા રિવાજોમા ડી જે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવ્યો (2) અમુક રિવાજોમા ઓઢમણા પ્રથા બંધ (3) નાના પ્રસંગમાં જે ખોટા ખર્ચ કરવામાં આવે છે તે બંધ કરવા અંગે નિર્ણય (4) લગ્નમાં ફક્ત ત્રણ જ ઘરેણાં પ્રથા ચાલુ કરવામાં આવી (5) મરણ પ્રસંગમાં થતા ખોટા ખર્ચ કરવા પર પાબંધી (6) લગ્નમાં છુટાછેડામાં જેની ભૂલ હોય તેને સામાજિક નિયમ મુજબ દંડ કરવાનો નિયમ બનાવાયો (7) સમાજમાં થતા ખોટા ખર્ચો કરવા નહીં તેવી પણ અપીલ કરવામાં આવી હતી4
- પ્રેમીએ ગળામાં બ્લેડ મારી, જાનથી મારી નાખવાના ઇરાદે હુમલો – યુવતી હોસ્પિટલમાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક 21 વર્ષીય યુવતીને તેના પ્રેમીએ જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં બ્લેડ (પતરી) વડે હુમલો કર્યો હતો. આ ઘટના 12 માર્ચ, 2026ની રાત્રે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર બની હતી. માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, આરોપી બાપુસિંહ પૃથ્વીસિંહ રાઠોડ (રહે. અનોડીયા ગામ, ડોડીપાળ, તા. માણસા) છેલ્લા ત્રણ વર્ષથી યુવતી સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત અને મુલાકાતો થતી હતી. આરોપી પોતે પરણિત હોવા છતાં યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. ગત 14 ફેબ્રુઆરી, 2026ના રોજ યુવતીનું બીજા વ્યક્તિ સાથે સગપણ નક્કી થતાં આરોપીએ તેને તેમજ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ધમકીઓના ભયથી યુવતી તેની સાથે જવા માટે સહમત થઈ ગઈ હતી. 10 માર્ચ, 2026ની રાત્રે આરોપીએ ક્યાંકથી ઘેનની ગોળી લાવીને યુવતીને આપી અને તેના કહેવા મુજબ તેણે તે ગોળી દૂધમાં ભેળવીને પોતાના માતા-પિતા તથા દાદીને આપી દીધી હતી. રાત્રે આશરે 12 વાગ્યે ઘરના સભ્યો સૂઈ ગયા પછી આરોપીએ યુવતીને ફોન કરીને ઘરેથી બહાર કાઢી અને પ્લેઝર બાઇક પર બેસાડીને બનાસકાંઠા જિલ્લાના ટોણા ગામ તરફ લઈ ગયો. 12 માર્ચની સાંજે યુવતીના સગા-સંબંધીઓએ માણસા પોલીસની મદદથી બંનેને શોધી કાઢ્યા અને ફોર-વ્હીલરમાં બેસાડીને પરત લાવવા શરૂ કર્યું. રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે મોજ વિહાર ચોકડીથી બિલોદરા હાઇવે રોડ ઉપર આવતા આરોપીએ અચાનક પોતાની પાસે છુપાવેલી બ્લેડ કાઢીને યુવતીના ગળામાં હુમલો કર્યો. તેણે પોતાના ગળામાં પણ પતરી મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અને સાથી વ્યક્તિઓએ તેને રોકી લીધો. આ હુમલામાં યુવતીને ગળામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું, જ્યારે આરોપીને પણ સામાન્ય ઘસરકાની ઈજા થઈ. બંનેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર બાદ રજા આપવામાં આવી. માણસા પોલીસે આ ઘટનાને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1) (મર્ડરનો પ્રયાસ) અને 351(3) (જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ આજુબાજુના વિસ્તારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને પરિવારોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે લોકોને સાવચેત રહેવા અને આવા કિસ્સામાં તાત્કાલિક મદદ માટે સંપર્ક કરવાની અપીલ કરી છે.1
- અદાપુર તાલુકો હિંમતનગર સેવાડા નું ગામ1
- Gujarati1
- *અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડની દુકાનમાં ગેસ એજન્સીના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના નોડેલ ઓફિસર અને આસિસ્ટન્ટ કલેકટર ધંધુકા તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધંધુકાની તપાસણીમાં ધંધુકા અમદાવાદ હાઈવે પર આવેલ પૂજન આર્કેડ ની દુકાન 9માં જયદીપ ગેસ એજન્સી ના 19 ભરેલા કોમર્શિયલ સિલિન્ડર તથા 136 કોમર્શિયલ ખાલી સિલેન્ડર મળી આવ્યા. સંગ્રહ અંગે પુરાવા માત્ર તેઓ રજૂ કરી શકેલ ન હોય કુલ સિલિન્ડર 155 જેની રકમ ₹3,57, 500ની ગણી સીઝર કરવામાં આવેલ છે અને હાલ રાંધણગેસની પરિસ્થિતિ વિગતે સીઝર થયેલ ગેસના બાટલા થયેલ બાટલાઓ જાહેર વિતરણ વ્યવસ્થા માટે ખુલ્લા રાખવા અને ધંધાના સરનામા સિવાય કોમર્શિયલ સિલિન્ડર વેચાણ નહીં કરવા મામલતદાર ધંધુકા દ્વારા સીઝર હુકમ કરાયા. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અમદાવાદને આ નિયમો અનુસાર કાર્યવાહી કરવા સારું અહેવાલ કરવામાં આવેલ છે.1
- राजस्थान दिवस पर बड़ा विवाद! “रन फ़ॉर राजस्थान” में बांटे गए एक्सपायरी बिस्किट! राजस्थान दिवस पर आयोजित “विकसित राजस्थान – रन फ़ॉर राजस्थान” कार्यक्रम में बाड़मेर प्रशासन की बड़ी लापरवाही सामने आई है। युवाओं में जोश भरने के लिए आयोजित इस दौड़ में हजारों प्रतिभागियों ने हिस्सा लिया। दौड़ खत्म होने के बाद प्रतिभागियों को अल्पाहार के तौर पर केले और बिस्किट बांटे गए। लेकिन कुछ ही देर में कई बिस्किट पैकेट एक्सपायरी डेट के निकल आए। जैसे ही प्रतिभागियों की नजर पैकेट पर पड़ी, कार्यक्रम स्थल पर नाराजगी फैल गई। लोगों ने सवाल उठाया कि जिस प्रशासन की जिम्मेदारी बाजार में एक्सपायरी सामान रोकने की है, वही जनता को ऐसा सामान कैसे बांट सकता है? ⚠️ बड़ा सवाल यह भी है कि अगर किसी प्रतिभागी ने एक्सपायरी बिस्किट खा लिया होता और उसकी तबीयत बिगड़ जाती, तो इसकी जिम्मेदारी कौन लेता? मामला सामने आने के बाद प्रशासन ने जांच और संबंधित दुकान के खिलाफ कार्रवाई की बात कही है। लेकिन अब सवाल यह है कि क्या सिर्फ कार्रवाई की घोषणा से यह लापरवाही छिप जाएगी या फिर यह मामला भी समय के साथ दब जाएगा?1
- Post by Maheshbhai uteriya1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1