જુનાગઢ માં રોડ રસ્તાના કામ ને લઈ સ્થાનિક પ્રજા તંત્રના બેજવાબદાર શાસન સામે રસ્તા પર ઉતર્યા. જુનાગઢ કોર્પોરેશન તંત્ર અણઆવડત ભર્યા કામ માટે માહિર હોઈ તેમ વખતો વખત પ્રજા પર વિકાસના નામે અત્યાચાર માટે વગોવાયેલ છે. ત્યારે આજે જૂનાગઢ માં ફરી વખત જૂનાગઢ વોર્ડ નંબર 10 માં જવાહર રોડ પર ઘણા લાંબા સમય થી ગટર અને પી.જી.વી.સી.એલ લાઈનો માટે રોડ ખોદેલ છે. જેને લઈ સ્થાનિકો ને ઘર ની બહાર પગ મુકવો પણ મુશ્કેલ બની ગયો છે. ત્યારે સ્થાનિકો પાસે થી જાણવા મળતી વિગત મુજબ હાલ માં રોડ રસ્તા ના કામ ને લઈ પાણીની લાઈન પણ તૂટી જતા જવાહર રોડ માં ભર ઉનાળે પાણી વહેતુ થતા કાદવ કીચડ અને ગંદગી સર્જાતા સ્થાનિકોએ તંત્ર ને આદેહાથ લઈ હલબોલ બોલાવ્યો હતો.અહીં આવેલ ક્લિનિક સુધી પણ બીમાર વ્યક્તિ પોહચી નથી શકતી અને ડોકટર ને દર્દી ની તપાસ બહાર ઓટા પર બેસી ને જ કરવા મજબુર થવું પડ્યું હતું. ત્યારે આ એજન્સી તેમજ કોર્પોરેશન તંત્ર અને પી જી વીસી એલ વચ્ચે સંકલન નો અભાવ તેમજ અણઆવડત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે તેમ લોકો એ સવાલો ઉઠાવ્યા છે. એજન્સી , કોર્પોરેટર અને એન્જીનીયર સાથે આ બાબતે વાત કરતા તેવો એ આ બાબતે નિરાકરણ લાવવા વહેલી તકે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારે હાલ તંત્ર ના પાપે નિર્દોષ પ્રજા પીડામાં મુકાઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
જુનાગઢ માં રોડ રસ્તાના કામ ને લઈ સ્થાનિક પ્રજા તંત્રના બેજવાબદાર શાસન સામે રસ્તા પર ઉતર્યા. જુનાગઢ કોર્પોરેશન તંત્ર અણઆવડત ભર્યા કામ માટે માહિર હોઈ તેમ વખતો વખત પ્રજા પર વિકાસના નામે અત્યાચાર માટે વગોવાયેલ છે. ત્યારે આજે જૂનાગઢ માં ફરી વખત જૂનાગઢ વોર્ડ નંબર 10 માં જવાહર રોડ પર ઘણા લાંબા સમય થી ગટર અને પી.જી.વી.સી.એલ લાઈનો માટે રોડ ખોદેલ છે. જેને લઈ સ્થાનિકો ને ઘર ની બહાર પગ મુકવો પણ મુશ્કેલ બની ગયો છે. ત્યારે સ્થાનિકો પાસે થી જાણવા મળતી વિગત મુજબ હાલ માં રોડ રસ્તા ના કામ ને લઈ પાણીની લાઈન પણ તૂટી જતા જવાહર રોડ માં ભર ઉનાળે પાણી વહેતુ થતા કાદવ કીચડ અને ગંદગી સર્જાતા સ્થાનિકોએ તંત્ર ને આદેહાથ લઈ હલબોલ બોલાવ્યો હતો.અહીં આવેલ ક્લિનિક સુધી પણ બીમાર વ્યક્તિ પોહચી નથી શકતી અને ડોકટર ને દર્દી ની તપાસ બહાર ઓટા પર બેસી ને જ કરવા મજબુર થવું પડ્યું હતું. ત્યારે આ એજન્સી તેમજ કોર્પોરેશન તંત્ર અને પી જી વીસી એલ વચ્ચે સંકલન નો અભાવ તેમજ અણઆવડત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે તેમ લોકો એ સવાલો ઉઠાવ્યા છે. એજન્સી , કોર્પોરેટર અને એન્જીનીયર સાથે આ બાબતે વાત કરતા તેવો એ આ બાબતે નિરાકરણ લાવવા વહેલી તકે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. ત્યારે હાલ તંત્ર ના પાપે નિર્દોષ પ્રજા પીડામાં મુકાઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
- Post by પત્રકાર1
- કેશોદ તાલુકાના માણેકવાડા ગામે એક દુખદ ઘટના સામે આવી છે, જેમાં તળાવમાં નાવા જતા એક યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યું છે. મૃતકનું નામ અરવિંદ લખમણભાઈ સોનારા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, આજરોજ સાંજે અંદાજે પાંચ વાગ્યા બાદ આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ યુવકને બચાવી શકાયો નહોતો. બનાવ બાદ મૃતદેહને કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ (PM) અર્થે ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે કેશોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અહેવાલ - જગદીશ યાદવ જૂનાગઢ2
- અમરેલીમાં જીવતા સમાધિનો બોગસ પર્દાફાશ | વિજ્ઞાન જાથાની મોટી કાર્યવાહી 🟠 Focus Keywords: અમરેલી સમાચાર જીવતા સમાધિ પર્દાફાશ ઢોલરવા ગામ ઘટના અંધશ્રદ્ધા વિરોધ વિજ્ઞાન જાથા કામગીરી અરજણ રૂડાભાઈ ખુમાણ 🟡 Meta Description: અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો. અંધશ્રદ્ધા સામે મોટી કાર્યવાહી થતાં અરજણ રૂડાભાઈ ખુમાણે જાહેરમાં માફી માગી. 🟢 SEO Friendly URL: /amreli-jivta-samadhi-bogus-exposed-dholarva-vigyan-jatha 🔵 Hashtags: #અમરેલી #BreakingNews #અંધશ્રદ્ધા #VigyanJatha #GujaratiNews #LiveSamadhi #FactCheck #SocialAwareness #AmreliNews #ScienceVsBlindFaith 🟣 Social Media Caption: અમરેલીના ઢોલરવા ગામમાં જીવતા સમાધિ લેવાના દાવાનો થયો મોટો પર્દાફાશ 😮 વિજ્ઞાન જાથાની તપાસમાં આખો મામલો બોગસ સાબિત ❌ અંધશ્રદ્ધા સામે એક સશક્ત સંદેશ 👇 #અમરેલી #અંધશ્રદ્ધા #BreakingNews1
- સુરત બ્રેકીંગ શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સચિન જીઆઇડીસીમાં ઘર પાસે રમી રહેલ 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત ઓમ સાઈ સોસાયટીમાં રહેતા પ્રદીપ વર્માની 4 વર્ષિય બાળકી આરાધ્યા ઘર પાસે રમી રહી હતી બાળકીની માતા ઘરમાં કામ કરી રહી હતી બાળકી રમત રમત ઘર પાસે આવેલ નહેર માં પડી ગઈ સ્થાનિકો ની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી બાળકીને સારવાર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોસ્પિટલમાં હાજર તબીબોએ બાળકીને મૃતક જાહેર કર્યો બાળકીના અચાનક નહેરમાં ડૂબી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન સચિન જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી1
- Post by Loksamnanews channel1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ખાતે શાનદાર અને ભવ્ય એન્યુઅલ ડે 2026 ની ઉજવણી કરવામાં આવી.1
- જસદણ આટકોટ રોડ રઘુવીર ગેસ્ટ હાઉસની બાજુમાંથી બાઈક ચોરી CCTV સામે સતત વધતા ચોરીના બનાવો CCTV માં બે લોકો પર્સ્ટ નજરે દેખાઈ રહ્યા છે. CCTV ના આધારે ગાડી માલિક ઘણી શોધ કરી. જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ CCTV ના આધારે તપાસ હાથ ધરી.1
- કેશોદ ખાતે આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી જતા તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય બની ગઈ છે. તે જ અનુસંધાને આજરોજ કેશોદ ખાતે ભારતીય કોંગ્રેસ પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કોંગ્રેસની સૂચના મુજબ આ બેઠક કેશોદના આગેવાન હીરાભાઈ જોટવા ના નિવાસસ્થાને યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં કેશોદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ કેશોદ નગરપાલિકા વિસ્તારના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાથે “વન ટુ વન” જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગ દરમિયાન ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા, મતદારો સુધી પહોંચ વધારવા અને કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા દરેક ઉમેદવારની તૈયારી અને લોકપ્રિયતાનો અંદાજ લેવામાં આવ્યો હતો. બેઠકમાં એક મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર પણ જોવા મળ્યો હતો. કેશોદ આમ આદમી પાર્ટીના પાયા મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રો. વાળા સાહેબ, પ્રવીણ રાઠોડ અને ઉકાભાઈ અખિયાંએ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈને નવા રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના કોંગ્રેસમાં આગમનને આગેવાનો અને કાર્યકરોએ હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું હતું. આ બેઠકને લઈને કોંગ્રેસમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આગેવાનોનો વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત દાવેદારી નોંધાવશે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3