લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર
લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર
- લીંબડીના પાન્દરી ગામે શ્રી કાળી ખોડીયાર મંદિરે ભાગવત સપ્તાહનો મહાપ્રસાદ સાથે ભવ્ય સમાપન સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાન્દરી ગામે આવેલ શ્રી કાળી ખોડીયાર મંદિરે સાત દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આજે પૂર્ણાહુતિ પ્રસંગે મહાપ્રસાદ સાથે સમાપન કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક આયોજન સર્વ પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કથાકાર શ્રી જયદીપ શાસ્ત્રીજી (છોટે જીગ્નેશ દાદા), સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર કથાનું ભાવપૂર્વક વાચન કરવામાં આવ્યું હતું. કથાના દરમ્યાન કથાકારશ્રીએ હિન્દુ ધર્મના મૂલ્યોને ઉજાગર કર્યા હતા તેમજ સમાજમાં સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પર ભાર મુક્યો હતો. ખાસ કરીને યુવાનોને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી અપીલ પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સુંદર આયોજન શ્રી કાળી ખોડીયાર મંદિરના મહંત શ્રી દેવગીરી બાપુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, તેમજ સમગ્ર જવાબદારી જીગ્નેશ ગીરી ગોસ્વામી દ્વારા નિભાવવામાં આવી હતી. સાત દિવસ ચાલેલી આ ભાગવત કથામાં આસપાસના ગામો તેમજ લીંબડી તાલુકાના મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. સમાપન પ્રસંગે ભવ્ય પૂર્ણાહુતિ સાથે મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને પોથીના પોખણા કરીને આ આધ્યાત્મિક કાર્યક્રમને પૂર્ણતા આપવામાં આવી હતી. આ સમગ્ર આયોજન ભક્તોને આધ્યાત્મિકતા તરફ પ્રેરિત કરનારું અને સમાજમાં સકારાત્મક સંદેશ આપનારું બની રહ્યું હતું. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી સુરેન્દ્રનગર1
- Post by Ramesh thakor Halvad Morbi1
- રાજકોટ રેન્જ આઈ.જી.ની ટીમ ચોટીલા તાલુકામાં ત્રાટકી હતી જેમાં નેશનલ હાઈવે પર જાનીવડલા અંડરપાસ પાસે વોચ ગોઠવી એક ટ્રકમાંથી કપાસિયાની ગુણીઓ નીચે છુપાવેલી વોડકાની 10,740 બોટલો ઝડપી પાડી હતી આ મામલે એ.એસ.આઈ. સંદિપસિંહ ઝાલાએ ટ્રક ચાલક સાહીદ હિંગોરા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે દારૂ અને ટ્રક સહિત કુલ ₹1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે1
- *રાયકા નજીક ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત* રામદેવ હોટલની બાજુમા રાયકાના પાસે ગમખ્વાર અકસ્માત. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રાયકા પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત. વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ટ્રેક્ટરે બાઈક ચાલકને અડફેટે લીધો, યુવાન ઈજાગ્રસ્ત.1
- આજરોજ બોટાદ તાલુકા પેન્શન મંડળ તરફથી બેંક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી પારસ શમૉ સાહેબ નો વિદાય સમારંભ યોજાયેલ તેમા કષ્ટભંજન દાદા ના ફોટો તથા શ્રી ફળ પડો તથા શાલ ઓઢાડી બોટાદ તા.પે.મં ના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય તથા બોટાદ જિ.પે.મંડળના પ્રમુખ શ્રી વસંતભાઇ પિપાવત ના હસ્તે આપવામાં આવેલ.તેમજ નવા આવેલ મેનેજર હષીલ.ગુપ્તા ને મંડળના મંત્રી દિપકભાઇ વ્યાસ ઉપપ્રમુખ જેઠાભાઇ વાધાણી દ્દવારા આવકારવા આવ્યા તેમજ આ પ્રસંગે પેન્શન મંડળના સભ્યો હાજર રહી શુભેચ્છા આપવામાં આવી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- બોટાદ બ્રેકિંગ. બોટાદના હરણકુઈ વિસ્તારમાં ભંગારના ડેલામા લાગી આગ.. ભંગારના ડેલામા આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું.. વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા, લોકો થયા એકત્રિત.. ઘટનાની જાણ થતાં પોલીસ અને બોટાદ બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી કરી શરૂ.. ભંગારના ડેલામા આગ લાગવાનું કારણ હાલ અકબંધ..1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ધાંગધ્રા તાલુકાના ભારદ ગામ નજીક આગની ઘટના સામે આવી છે, જ્યાં ભુસાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, રાજસીતાપુરથી ભારદ ગામ જવાના માર્ગ પર નવી બની રહેલી ફેક્ટરીની સાઇટ પાસે પડેલા વેસ્ટ ભુસામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ આગને કાબૂમાં લેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ ઝડપથી ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી. તાત્કાલિક ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીના બંબાઓ દ્વારા ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.1