રાજુલાની મહિલાની અનોખી બહાદુરી યુવક નો જીવ બચાવ્યો. નારી શક્તિ ને વંદન રાજુલા ...... રાજુલા ડેપો ની બસ જાફરાબાદ - રાજકોટ એસટી બસમાં ચાલુ બસે એક યુવાન અચાનક બેભાન થયો ત્યારે આ એસટી બસમાં મુસાફરી કરી રહેલાં યુવક અચાનક બેભાન થતા ૧૦૮ ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક જાણ કરવા માં આવી પરંતુ 108 આવે તે પહેલા આ બસ માં મુસાફરી કરતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલની નર્સ દયાબેન મકવાણાએ આ યુવાન નો જીવ બચાવ્યો નર્સ દયાબેન મકવાણાએ ચાલુ બસમાં CPR આપી આ યુવકનો જીવ બચાવ્યો અને દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે મુસાફરી કરતા મુસાફરીઓ દયાબેન ને કરેલ સેવા કાર્યને બિરદાવી રાજુલા ખાતે નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ અનોખી બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા ની મહેક પ્રસરાવેલ જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ બસમાં પસાર થતા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અફડા તફડી મચી જવા પામી હતી આ બાબતે દયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ ધર્મ પહેલો હોવો જોઈએ કદાચ ઈશ્વર દ્વારા જ મને ત્યાં મોકલવામાં આવી હશે અને મેં જીવ બચાવ્યો હતો આ સેવામાં મને સહભાગી બનાવી તે બદલ હું ઈશ્વરનો આભાર માનું છું ...
રાજુલાની મહિલાની અનોખી બહાદુરી યુવક નો જીવ બચાવ્યો. નારી શક્તિ ને વંદન રાજુલા ...... રાજુલા ડેપો ની બસ જાફરાબાદ - રાજકોટ એસટી બસમાં ચાલુ બસે એક યુવાન અચાનક બેભાન થયો ત્યારે આ એસટી બસમાં મુસાફરી કરી રહેલાં યુવક અચાનક બેભાન થતા ૧૦૮ ની ટીમને જાણ કરતા 108 ની ટીમ તાત્કાલિક જાણ કરવા માં આવી પરંતુ 108 આવે તે પહેલા આ બસ માં મુસાફરી કરતી રાજુલાની સહજાનંદ હોસ્પિટલની નર્સ દયાબેન મકવાણાએ આ યુવાન નો જીવ બચાવ્યો નર્સ દયાબેન મકવાણાએ ચાલુ બસમાં CPR આપી આ યુવકનો જીવ બચાવ્યો અને દયાબેન મકવાણાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ત્યારે મુસાફરી કરતા મુસાફરીઓ દયાબેન ને કરેલ સેવા કાર્યને બિરદાવી રાજુલા ખાતે નર્સ તરીકે નોકરી કરતી મહિલાએ અનોખી બહાદુરી બતાવી એક વ્યક્તિનો જીવ બચાવી માનવતા ની મહેક પ્રસરાવેલ જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદ રાજકોટ બસમાં પસાર થતા એક યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા અફડા તફડી મચી જવા પામી હતી આ બાબતે દયાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનવ ધર્મ પહેલો હોવો જોઈએ કદાચ ઈશ્વર દ્વારા જ મને ત્યાં મોકલવામાં આવી હશે અને મેં જીવ બચાવ્યો હતો આ સેવામાં મને સહભાગી બનાવી તે બદલ હું ઈશ્વરનો આભાર માનું છું ...
- Mukesh Surelaઅમરેલી, અમરેલી, ગુજરાત💣on 5 January
- Mukesh SurelaAmreli, Gujarat👏on 4 January
- જાફરાબાદ મરીન પોલીસે ઇંગલિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ જાફરાબાદ મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધરાબંદર વિસ્તારમાં વિદેશી દારૂ ભરેલો બોલેરો પીકપ ગાડી ઝડપી આરોપી અને ડ્રાઇવર ફરાર ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની કુલ બોટલ નંગ ₹3,259 જેની કિંમત રૂપિયા 9,35,043 તથા મહેન્દ્ર બોલેરો પીકપ વાહન GJ32T1707 જેની કિંમત 3,50,000 મળી કુલ કિંમત રૂપિયા 1285043 ના મુદ્દા માલ પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ બી ગોહિલ સાહેબના માર્ગદર્શન હેઠળ જાફરાબાદ મરીન ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે જાફરાબાદ તાલુકાના ધરાબંદર ગામે ડંકા લેન્ડિંગ પોઇન્ટ વિસ્તારમાં બોટો દ્વારા દરિયાઈ માર્ગ ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો લાવી લેન્ડિંગ વાહનમાં ભરી હેરાફેરી કરતા હોય ત્યાં જાફરાબાદ મરીન પોલીસની ટીમ ની વોચ ગોઠવતા તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ધારાબંદર થી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં લાવામાં આવ્યો રાત્રિના અંધારાનો લાભ લઇ ડ્રાઇવર અને આરોપી ફરાર થઈ ગયા હતા. આરોપી અને ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી મરીન પોલીસ દ્વારા તપાસ ઘમ કમાટ શરૂ કરવામાં આવ્યો છે રોડ માર્ગથી દરિયાઈ માર્ગ થી થતી દારૂની હેરાફેરી માટે ચાપતો બંદોબસ્ત જરૂરી છે કારણ કે અવારનવાર ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમ છેલ છે તો આજરોજ પકડવામાં આવેલા વિદેશી દારૂનો જથ્થો એ સાબિત કરી બતાવ્યું છે કે બુટલેગરો ગમે તેમ દારૂ ઘુસાડવા ના પ્રયત્ન કરી રહ્યા છે રિપોર્ટર કરશન પરમાર જાફરાબાદ1
- આજના મુખ્ય સમાચાર.1
- પાલીતાણા: આદર્શ ગામ રાણપરડાના વતની પી.પી. સવાણી ગ્રુપ વતનની વ્હારે: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોના બાળકોની સ્કૂલ ફીના ચેક અર્પણ કરાયા માનવતા અને સેવાના પર્યાય ગણાતા સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પી.પી. સવાણી ગ્રુપના મોભીઓએ ફરી એકવાર પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કર્યું છે. આદર્શ ગામ રાણપરડાના વતની એવા સવાણી પરિવારે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠાં) ને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોની વ્હારે આવી એક પ્રેરણારૂપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાણપરડા ગામે સ્થિત પી.પી. સવાણી ફાર્મ હાઉસ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં, માવઠાને કારણે ખેતીમાં નુકસાન વેઠનારા ખેડૂતોના દીકરા-દીકરીઓની સ્કૂલ ફીની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ સહાયમાં સ્કૂલ તથા કોલેજ સુધી અભ્યાસ કરતા અસરગ્રસ્ત ખેડૂતોના દીકરા દીકરી વિદ્યાર્થીઓની ફીની જવાબદારી પી.પી. સવાણી ગ્રુપ દ્વારા ઉપાડી લેવામાં આવી છે, જેથી આદર્શ ગામના ખેડૂતો પર આર્થિક બોજ હળવો થઈ શકે અને બાળકોનું શિક્ષણ અટકે નહીં જેના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ રાણપરડા ગામનું નામ રોશન કરનાર અને સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ગામના કર્મીઓનું પણ "વતનના રતન" તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. વતનમાં રહીને કે બહાર રહીને રાષ્ટ્રસેવામાં યોગદાન આપતા આ રત્નોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સેવાકીય કાર્યક્રમમાં ગામના ભામાશા વલ્લભભાઈ પી. સવાણી, હજારો દીકરીઓના પાલક પિતા તરીકે જાણીતા મહેશભાઈ સવાણી, સામાજિક અગ્રણી બાબુભાઈ વિરડીયા, લક્ષ્મણભાઈ માંગુકિયા, કાંતિભાઈ ભરોલીયા , વલ્લભભાઈ ચોથાણી સહિતના અનેક સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમની માહિતી વિપુલ તળાવીયાએ વિગતવાર રજૂ કરી હતી કાર્યક્રમના અંતે ગામના આગેવાનો અને હોદ્દેદારોએ પી.પી. સવાણી ગ્રુપની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી અને મુશ્કેલ સમયમાં વતનની પડખે ઉભા રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ગામમાં શિક્ષણનો દર વધે તે હેતુ કામ કરવા સૌને હાકલ કરવામાં આવી હતી વિશાલ સાગઠીયા પાલીતાણા1
- એન્કર : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે અને ખેડૂતો કેનાલમાંથી પાણી ન આવતા પોતાના ખેતરમાં બોર કે કૂવામાંથી પાણી પોતાના પાકોને પાય છે પણ કેનાલ ના અધિકારી ની મનમાં લઈને ખેડૂતો ના ખેતરમાં પણ પાણી નથી પાડી શકતા ખેડૂતોમાં આને લઈને રોષ જોવા મળ્યો : વિઓ : ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવું ખેડૂતો નો આક્ષેપ છે અને રવિ પાક માટે ખેડૂતોનો પાકો માં સિંચાઈ ની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખાં પટા માં ક્યાંય કેનાલ નું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો નાં ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોર માંથી લઈ પોતાના ખેતરમાં પાકો નેં પાણી પાવી રહયા છે ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ને ન પાવા માટે અને પાણી જો બહાર આવશે તો તેવા ખેડૂતો ઉપર ફોજદારી ગુના દાખલ કરવામાં આવશે અને ફરી અત્યારે કેનાલ નુ રીપેરીંગ કામ અત્યારે કામગીરી કરી છે આવું ખેડૂતો જણાવી રહ્યા છે તો ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું શત્ર માં કમોસમી વરસાદ થી ખેડૂતો ને પાકો માં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈ નું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર કે કુવો હોય અને પોતાના પાકો નેં પાણી પાવું પડે તેમ હોય અને ખેડૂતો પાણી પાકો માં પાવી રહયા છે અને આ પાણી લીગલી કેરા માં જતું હોય ત્યારે કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી નેં ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે અને ખેડૂતો ને દબાવી રહયા છે ત્યારે આજરોજ હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બાલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવા માં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડ માં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકો નેં ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા : બાઈટ 1 રસીકભાઇ ચાવડા ખેડૂત હડમતીયા ગામ બાઈટ 2 લાખાભાઈ ખેડૂત હડમતીયા ગામ બાઈટ 3 દિનેશ ભાઇ શિહોર ખેડૂત હડમતીયા ગામ3
- કેશોદની સરકારે ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના 3હજાર કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કેશોદ શહેરની માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજરોજ પ્રિલિમિનરી પરીક્ષાઓનો પ્રારંભ થયેલ છે જે 29 જાન્યુઆરી સુધી ચાલશે આ પરીક્ષાઓ સવારે 11:00 વાગ્યા થી એક વાગ્યા સુધી અમુક શાળાઓમાં બે શિફ્ટમાં વિવિધ વિષયોની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે શિક્ષણ વિભાગના દ્વારા મળતી માહિતી મુજબ કેશોદ શહેરની 12 સરકારી તેમજ ગ્રાન્ટેડ તથા 18 જેટલી સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ધોરણ 9 તથા 10 સામાન્ય પરીક્ષાઓ તથા ધોરણ 11 અને 12મા ની સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયેલ છે જેમાં ધોરણ 9 તથા 11 નો અભ્યાસક્રમ ડિસેમ્બર મહિના સુધીનો રહેશે જ્યારે ધોરણ 10 અને 12 નો અભ્યાસક્રમ સંપૂર્ણ રહેશે કોઈપણ શાળાઓ દ્વારા પ્રશ્નપત્ર ની ગોપનીયતા ભંગ કરનાર શાળા કે વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત કેશોદ શહેરમાં ધોરણ ત્રણ થી આઠ સુધી તમામ માધ્યમની સરકારી ગ્રાન્ટેડ તેમજ સેલ્ફ ફાઇનાન્સ શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષાઓ નો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે જે અનુસાર બીજા સત્રની ત્રિમાસિક પરીક્ષાઓ બીજી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી રાખવામાં આવેલી છે આ કસોટીઓમાં દરેક વિષયના ૪૦ _૪૦ ગુણના રાખવામાં આવેલા છે જેના માટે 15 જાન્યુઆરી સુધીનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- ભાન ભૂલ્યો યુવક! ધરમપુરમાં લગ્નની ખુશીમાં યુવકની નિર્લજ્જ હરકત, ગુપ્તાંગ બતાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો1
- रिक्शा को रिवर्स लेने में मामला गड़बड़ाया मामूली सी घटना हुई और मारपीट हो गई1
- Post by રજની ભાઈ પરીખ1