logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

4 hrs ago
user_Vagadiya chintan dilipbhai
Vagadiya chintan dilipbhai
બોટાદ, બોટાદ, ગુજરાત•
4 hrs ago

બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮

More news from ગુજરાત and nearby areas
  • ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    1
    ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે દેવી ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી ૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી
૨૧ ફેબ્રુઆરીએ ઉજવાતા "વિશ્વ માતૃભાષા દિવસ" નિમિત્તે બોટાદના ઢસા જંકશન કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં આ વર્ષે વિશિષ્ટ પહેલ હાથ ધરવામાં આવી વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ અને વાંચનની ટેવ વિકસે તે હેતુથી શાળામાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી,જ્યાં વિદ્યાર્થીઓ માતૃભાષાના પુસ્તકો વાંચીને ભાષાનો રસ માણી શકે શાળામાં સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલાં પુસ્તકોનો યોગ્ય ઉપયોગ કરી શાળાનાં ભાષા શિક્ષકશ્રી પ્રવીણભાઈ કે મકવાણાએ આ ખાસ આયોજન કર્યું છે શાળાના એક હોલમાં બેન્ચ અને પુસ્તકોના કબાટ ગોઠવીને એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી કે વિદ્યાર્થીઓ ત્યાં જ પુસ્તક લઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં વાંચી શકે લાઈબ્રેરીના સુચારુ સંચાલન માટે વિદ્યાર્થીઓમાંથી જ એકને ગ્રંથપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે, અને બે વિદ્યાર્થીઓને સહયોગી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. કોઈ વિદ્યાર્થી ઘરે પુસ્તક લઈ જવા ઈચ્છે તો રજીસ્ટરમાં નોંધ કરી પુસ્તક લઈ જઈ શકે છે, જ્યારે શાળામાં બેસીને વાંચવાની પણ સુવિધા ઉપલબ્ધ છે પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્યું કે આ પહેલથી માતૃભાષા દિવસની ઉજવણી હવે માત્ર એક દિવસ પૂરતી નહીં રહે, પરંતુ નિયમિત વાંચન પ્રવૃત્તિ તરીકે આગળ વધશે. વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે ઉત્સાહ જોવા મળ્યો હતો શાળાનાં આચાર્ય મધુભાઈ પરમારે સ્ટાફ સાથે મળી આ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું આ પહેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને માતૃભાષા પ્રત્યેનો લાગણીસભર સંબંધ વધુ ગાઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. 
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    1
    મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા
    user_Dave Dhamendra
    Dave Dhamendra
    પત્રકાર સાયલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
    1
    સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી.
રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા.
વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.
    user_Maheshbhai uteriya
    Maheshbhai uteriya
    વઢવાણ, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    1
    શહેરમાં મોબાઈલ ફોન ગીરવે મુકવા જેવી નજીવી બાબતમાં થયેલી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હુસેન પઠાણ નામના યુવકની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપી સહિત બે શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આ કેસના ફરિયાદીએ પોતાનો વિવો કંપનીનો મોબાઈલ ફોન આરોપી સોયેબ જાહીદભાઇ રફાઇ પાસે રૂ. 5000માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં સોયેબ મોબાઈલ પાછો આપતો ન હતો. આ બાબતે જ્યારે ફરિયાદીના ભાઈ હુસેન પઠાણે સોયેબ પાસે મોબાઈલની માંગણી કરી, ત્યારે ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કરી દીધો હતો. આરોપી સોયેબ અને તેના સાથીદાર સાહિલ ઉર્ફે ટકો નાળબંદે છરીઓ વડે હુસેન પઠાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે ગંભીર ઇજાઓ થવાને કારણે હુસેનનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા  એસ.પી. નીતેશ પાંડેયની સૂચનાથી ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.પી. વાઘેલા અને તેમની ટીમે તપાસ તેજ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને પકડી પાડ્યા છે: જેમાં સોયેબ જાહિદભાઇ રફાઇ (ઉ.વ. 38) – રહે. પ્રભુદાસ ચોક, ભાવનગર. અને સાહિલ ઉર્ફે ટકો યુનુસભાઇ નાળબંધ (ઉ.વ. 21) – રહે. આંબાચોક, ભાવનગરને પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ કબજે કર્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    user_Rakesh sagathiya
    Rakesh sagathiya
    પત્રકાર ભાવનગર, ભાવનગર, ગુજરાત•
    43 min ago
  • करोडो‌लोग टेन्सन मुक्त कब होगे।
    1
    करोडो‌लोग टेन्सन मुक्त कब होगे।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન
    1
    બોટાદ ના રાણપુર થી દ્વારકા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પગપાળા સંઘ ને કરાયું પ્રસ્થાન
    user_Loksamnanews channel
    Loksamnanews channel
    રિપોર્ટર Amreli, Gujarat•
    1 hr ago
  • બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બરવાળા એસ.ટી.તંત્ર બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે કરશે દંડાત્મક કાર્યવાહી, સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તંત્ર એક્શન મોડમાં, મુસાફરોને સહકાર આપવા અપીલ કરાઈ બરવાળા એસટી ડેપો દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજયભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં ભાવનગર વિભાગ હેઠળના એસ.ટી. ડેપો દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી બરવાળા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે એસ.ટી. પ્રશાસન દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ મુસાફર કે મુલાકાની બરવાળા બસ સ્ટેશનના પ્લેટફોર્મ, પરિસર કે બસની અંદર કચરો ફેંકતા, પાન-મસાલાની પિચકારી મારી ગંદકી કરતા કે જાહેર શૌચાલય સિવાયની જગ્યાએ ગંદકી કરતા ઝડપાશે, તો તેમની સામે સ્થળ પર જ રોકડ દંડ ફટકારવામાં આવશે, આ માટે સ્પેશિયલ ચેકિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. મુખ્ય સૂચનાઓ અમલીકરણ. દરેક મુસાફરે કચરો ફેંકવા માટે માત્ર નિયત કરેલા ડસ્ટબિન (કચરાપેટી)નો જ ઉપયોગ કરવાનો રહેશે, બસની બારીમાંથી કે સીટની નીચે કચરો નાખવો એ ગુનો ગણાશે બસ સ્ટેશન પરિસર ની દીવાલો બગાડનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, એસ.ટી. નિગમ મુસાફરોની સેવામાં સદાય કાર્યરત છે, પરંતુ સ્વચ્છતા જાળવવી એ આપણી સામુદાષિક જવાબદારી છે. બસ સ્ટેશનને આદર્શ અને સ્વચ્છ બનાવવા માટે અમે દંડનાત્મક જોગવાઈ અમલી બનાવી છે. અમારો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે એસ.ટી. પ્રશાસન અને બરવાળા ડેપો દ્વારા તમામ મુસાફરોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરી દરમિયાન સ્વચ્છતા જાળવવામાં નિગમને સહકાર આપે. ગંદકી મુક્ત વાતાવરણથી જ આરોગ્યપ્રદ અને સુખદ મુસાફરી શક્ય બનશે.
રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.