Shuru
Apke Nagar Ki App…
સબરકાંઠાના ઇડર તાલુકાના ગોલવાડા લક્ષ્મીપુરા ગામમાં ભીખાજી મહાજી ચૌહાણના પુત્ર-પુત્રીના શુભ લગ્ન સંપન્ન થયા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોએ નવદંપતીને સુખી લગ્નજીવન માટે હૃદયપૂર્વકના આશીર્વાદ પાઠવ્યા.
મેમણ ફઝલભાઈ વલીભાઈ
સબરકાંઠાના ઇડર તાલુકાના ગોલવાડા લક્ષ્મીપુરા ગામમાં ભીખાજી મહાજી ચૌહાણના પુત્ર-પુત્રીના શુભ લગ્ન સંપન્ન થયા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહેમાનોએ નવદંપતીને સુખી લગ્નજીવન માટે હૃદયપૂર્વકના આશીર્વાદ પાઠવ્યા.
More news from ગુજરાત and nearby areas
- યુદ્ધ ની પરિસ્થિથીમાં પોંહચી વડવા માનનીય પ્રધાનમંત્રી દેશની આર્થીક સ્થિથી નેમજબૂત બનાવા એક વર્ષ સુધી સોનાની ખરીદી તાડવા અપીલ કરી છે. દેશની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી એ એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળી વિદેશી મુદ્રા બચાવવાં અને દેશના વિકાસમાં ભાગીદાર થવા લોકોને અપીલ કરી છે. વિદેશ પ્રવાસ તાડવા, પેટ્રોલ ડીઝલ નો સૈયમથી ઉપયોગ કરવા સ્વદેશી વસ્તુઓ વાપરવા અને દેશહિતમાં સહયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.1
- સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.1
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.1
- બનાસકાંઠા પોલીસ lcb દ્વારા રાજસ્થાન રાજય ર્નિમિત ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૩૬૦ કીમત રૂ.૫,૬૮,૬૫૭/- મળી કુલ રૂ.૨૦, ૭૮,૬૫૭/- ના મુદામાલ કબજે લેવામાં આવેલ, અને પકડાયેલ આરોપી દ્રારા ફોર્ચ્યુનર ગાડીના સાચા નંબરની જગ્યાએ બનાવટી નંબરની નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોય, પકડાયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઇસમો તથા બનાવટી નંબર પ્લેટ સબંધે પ્રોહીબીશન તથા ભારતીય ન્યાય સંહીતાની અલગ અલગ કલમો હેઠળ પાંથાવાડા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Pooja patel1
- સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.1