Shuru
Apke Nagar Ki App…
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈને તંત્રની તૈયારીઓ ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ નર્મદા પ્રદૂષણ અટકાવવા તંત્રનો પ્રયાસ ગણેશ આયોજકોને જળકુંડમાં વિસર્જનની અપીલ
Gujarat Introverted day
ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈને તંત્રની તૈયારીઓ ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ નર્મદા પ્રદૂષણ અટકાવવા તંત્રનો પ્રયાસ ગણેશ આયોજકોને જળકુંડમાં વિસર્જનની અપીલ
More news from ગુજરાત and nearby areas
- શિનોર તાલુકાના અવાખલ ગામે નેચરલ થીમમાં ગણેશજી બિરાજમાન કરાયા.. છેલ્લા 20 વર્ષથી ગણેશોત્સવની પરંપરા, દર વર્ષે અલગ-અલગ થીમમાં થાય છે સ્થાપના કરવામાં આવે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે વર્ષ 2026માં ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશજીની નેચરલ થીમમાં ભવ્ય સ્થાપના કરવામાં આવી હતી. અવાખલ નવ યુવક મંડળ દ્વારા વોટરપ્રૂફ ગણેશ પંડાલ તૈયાર કરી તેમાં આકર્ષક નેચરલ થીમ સાથે ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા છે. અવાખલ ગામમાં છેલ્લા 20 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. ગત વર્ષે ગણેશજીને શીશ મહેલની થીમમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે નેચરલ થીમને પસંદ કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન અવાખલ ગામના ગણેશ ભક્તો દ્વારા સવાર-સાંજ ગણેશજીની આરતી, મંત્રોચ્ચાર સહિત ભુદેવ દ્વારા વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવે છે. આરતીમાં અવાખલ ગામ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉપસ્થિત રહી ગણેશજીના દર્શન કરી પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. અવાખલ નવ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે અલગ-અલગ થીમમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ અનોખી થીમના કારણે અવાખલ ગામ સહિત આસપાસના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો ગણેશજીના દર્શન માટે ઉમટી પડે છે.4
- ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મો.સા ચોરી તથા ઘરફોડ ના ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડી રૂ.૨,૨૬,૭૧૦/-ની મત્તાની મુદ્દામાલ રીકવર કરતી ભેસ્તાન પોલીસ.1
- રેલવેની અડફેટે 32 વર્ષીય યુવકનું મોત, તાંતીથૈયા ગામમાં અકસ્માતની ઘટના સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની હદમાં રેલવે અકસ્માતની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે રેલવેની અડફેટે આવી જતાં 32 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે. મૃતકની ઓળખ ધનંજય કુમાર સિંહ તરીકે થઈ છે. તેઓ મૂળ ઝારખંડના પલામુ જિલ્લાના હારદના ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ધનંજય કુમાર સિંહ છેલ્લા કેટલાક સમયથી તાંતીથૈયા ગામમાં આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, રેલવે ટ્રેક પર બનેલી આ ઘટનાની જાણ થતાં કડોદરા GIDC પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, યુવક કયા સંજોગોમાં રેલવેની અડફેટે આવ્યો અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સુરત SOG અને જિલ્લા આરોગ્ય વિભાગે પાંડેસરા વિસ્તારમા સંયુક્ત કાર્યવાહી કરી માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કુલ 8 બોગસ તબીબોને ઝડપી પાડી વિવિધ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત ₹98,825નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.1
- માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇશ્વરભાઈ સોલંકી માંડવી.4
- प्रधानमंत्री नरेंद्र मोदी के जन्मोत्सव पर केंद्रीय जल शक्ति मंत्री सी आर पाटिल ने दी बधाई और उनके दीर्घायु की कामना की1
- ભરૂચમાં ગણેશ વિસર્જનને લઈને તંત્રની તૈયારીઓ ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ નર્મદા પ્રદૂષણ અટકાવવા તંત્રનો પ્રયાસ ગણેશ આયોજકોને જળકુંડમાં વિસર્જનની અપીલ1
- ડિંડોલી વિસ્તારમાંથી અફીણનુ વેચાણ કરતા ૦૩ ઇસમને અફીણ વજન ૧.૬૯૮કિલોગ્રામ કિ.રૂ., ૮,૪૯,૦૦૦/- ના જથ્થા સાથે ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ચલથાણમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ભાજપના કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તા. 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ચલથાણ ખાતે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ, ચલથાણ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી, કડોદરા-ચલથાણ નગરના કાર્યકર્તાઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ રક્તદાન કર્યું હતું. કાર્યકર્તાઓએ રક્તદાન દ્વારા માનવસેવાના આ પુણ્ય કાર્યમાં પોતાનું યોગદાન આપી સમાજમાં સેવા અને પરોપકારનો સંદેશો આપ્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કરનારાઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ, મહામંત્રી અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગરપાલિકા પ્રમુખ રામભાઈ ચોસલા, કડોદરા નગર ભાજપ પ્રમુખ કિરણભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ દેસાઈ, કૃપાશંકર શુક્લા, મોહનભાઈ પટેલ સહિત ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રક્તદાનને મહાદાન ગણાવી જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા જળવાઈ રહે તે દિશામાં આવા સેવાકીય કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવા પ્રવૃત્તિ સાથે જોડીને યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશ આપ્યો1