Shuru
Apke Nagar Ki App…
કચ્છમાં અનેક જોવાલાયક સ્થળ તેમાંથી ઢોરી ગામથી 10 કિલોમીટર આગળ અહીંયા આવે છે લાખો પક્ષી
Suresh Ahir
કચ્છમાં અનેક જોવાલાયક સ્થળ તેમાંથી ઢોરી ગામથી 10 કિલોમીટર આગળ અહીંયા આવે છે લાખો પક્ષી
More news from ગુજરાત and nearby areas
- કચ્છમાં અનેક જોવાલાયક સ્થળ તેમાંથી ઢોરી ગામથી 10 કિલોમીટર આગળ અહીંયા આવે છે લાખો પક્ષી1
- 🚨 બ્રેકિંગ ન્યૂઝ | સાંતલપુર 🚨 સાંતલપુરમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ, માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર સાંતલપુર તાલુકામાં આજે સાંજના લગભગ 5 વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી આકાશમાં સામાન્ય વાદળો જોવા મળતા હતા, પરંતુ સાંજ પડતા જ ઘેરા કાળા વાદળો છવાઈ ગયા અને મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી માત્ર પાંચ મિનિટના ધોધમાર વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. રાજ્યમાં ચોમાસાની સક્રિયતા વધતા હવામાનમાં ઠંડક અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને ખેડૂતોને ખાસ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સાવચેતી: બિનજરૂરી બહાર ન નીકળો. ભારે વરસાદ અને પવન દરમિયાન ઝાડ નીચે ઊભા ન રહો. પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ખાસ સાવચેતી રાખો. સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરો.4
- ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ રાજકોટ જિલ્લા ના ધોરાજી માં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ધોરાજી નાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી શહેર નાં માર્ગો પર પાણી નિકળતાં જોવા મળેલ મોડી રાત્રે સતત વરસાદ ક્યારેય ધીમીધારે તો ક્યારેક ધોધમાર વરસાદ વરસી રહયો હતો1
- મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા મુશળધાર વરસાદે જનજીવનને કર્યું પ્રભાવિત: અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાકને નુકસાનની આશંકા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં નુકસાન, જનજીવન પ્રભાવિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે, જ્યારે ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.1
- સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા સિદ્ધપુર : સંત શ્રી રવિદાસજીની યાત્રા પૂર્વે ભાજપ કાર્યકરોની પ્રશંસનીય સેવા આવતીકાલે યોજાનારી સંત શ્રી રવિદાસજીની યાત્રાને સફળ બનાવવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા સંગઠન, સિદ્ધપુર શહેર અને તાલુકા સંગઠન, સરસ્વતી તાલુકા સંગઠન તેમજ યુવા મોરચાના કાર્યકરોએ ધોધમાર વરસાદ વચ્ચે પણ યાત્રાના આયોજન, માર્ગ વ્યવસ્થા અને શુશોભનની કામગીરી ઉત્સાહભેર હાથ ધરી હતી. પ્રતિકૂળ હવામાન હોવા છતાં કાર્યકરો દ્વારા નિષ્ઠા અને સમર્પણ સાથે કરવામાં આવેલી આ તૈયારીઓ પક્ષ પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ સેવા, જવાબદારી અને સંગઠન પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.4
- 12 વર્ષની સેવાએ ગામના દિલ જીતી લીધા: વઝીરા વાંઢે શિક્ષિકા તનુજાબેનને અશ્રુભીની વિદાય આપી નખત્રાણા, તા. 1 ઓગસ્ટ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના 100 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા વઝીરા વાંઢ ગામમાં શનિવારે એક એવો લાગણીસભર પ્રસંગ સર્જાયો કે સમગ્ર ગામની આંખો ભીની થઈ ગઈ. વર્ષ 2014થી ગામની પ્રાથમિક શાળામાં સતત 12 વર્ષ સુધી નિષ્ઠા, પ્રેમ અને સમર્પણથી શિક્ષણ સેવા આપનાર શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત ખાતે બદલી થતાં ગામલોકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ તેમને અશ્રુભીની વિદાય આપી. વિદાય સમારંભ દરમિયાન શાળાનો માહોલ અત્યંત ભાવુક બની ગયો હતો. નાના ભૂલકાંઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી સૌ શિક્ષિકા બહેનને વળગી પડી જોરજોરથી રડવા લાગ્યા. અનેક બાળકોના આંસુ જોઈને વાલીઓ અને ગ્રામજનો પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહીં. જાણે ગામની પોતાની દીકરી અથવા પરિવારના સભ્યને વિદાય આપી રહ્યા હોય એવો દૃશ્ય સર્જાયો હતો. 12 વર્ષ દરમિયાન તનુજાબેને માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપ્યું નહોતું, પરંતુ બાળકોમાં સંસ્કાર, શિસ્ત, આત્મવિશ્વાસ અને માનવતાના મૂલ્યોનું પણ સિંચન કર્યું હતું. તેમના સ્નેહાળ સ્વભાવ અને કર્તવ્યનિષ્ઠાએ સમગ્ર ગામના હૃદયમાં અવિસ્મરણીય સ્થાન મેળવ્યું હતું. વિદાય સમારંભમાં વિદ્યાર્થીઓએ ગીતો, સંસ્મરણો અને શુભેચ્છા સંદેશો રજૂ કર્યા હતા. શાળા પરિવાર અને ગ્રામજનોએ શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું સન્માન કર્યું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ગામલોકોએ જણાવ્યું હતું કે, "શિક્ષિકા તનુજાબેનની 12 વર્ષની નિઃસ્વાર્થ સેવા વઝીરા વાંઢ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે શિક્ષિકા કરતાં પણ વધારે એક પરિવારના સભ્ય તરીકે ગામમાં સ્થાન મેળવ્યું છે." ધન્ય છે એવી શિક્ષિકા, જે પોતાની સેવા દ્વારા આખા ગામના દિલમાં કાયમી સ્થાન બનાવી જાય. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ – કચ્છ કેર TV ન્યૂઝ, લખપત તાલુકો સ્થળ પરથી અહેવાલ: રિયાજ નોતિયાર3