Shuru
Apke Nagar Ki App…
અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
Siraj shah
અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી
More news from ગુજરાત and nearby areas
- સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.1
- Post by Kartik parmar1
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ6
- બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જિલ્લાના વિવિધ પોલીસ પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ 14 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓમાં હેડ ક્વાર્ટર, રીડર શાખા, અરજી શાખા, બરવાળા, બોટાદ ટાઉન, રાણપુર અને ગઢડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો સમાવેશ થાય છે. જારી કરાયેલા આદેશ મુજબ રાણપુર પોલીસ સ્ટેશનથી તરુણભાઈ દાદુભાઈ પંડ્યા (UHC) અને મનહરસિંહ શેરભા પરમાર (APC)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી ધવલભાઈ ખોડાભાઈ કેવડીયા (APC)ને બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાંથી બુધેશભાઈ રાઘવભાઈ જોગવા (UHC), રીડર શાખામાંથી અશોકભાઈ રાઘવભાઈ સોલંકી (UPC) અને અરજી શાખામાંથી રમેશભાઈ જેઠાભાઈ સોલંકી (UASI)ની પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી હિતેન્દ્રસિંહ મોહબતસિંહ ગોહિલ (UHC)ને ઢસા પોલીસ સ્ટેશનમાં અને જીતુભાઈ વાલજીભાઈ ચૌહાણ (UHC)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જયેશભાઈ જયંતીભાઈ જાખણીયા (UASI) અને અલ્પેશભાઈ અશોકભાઈ ખુમાણ (UASI)ને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. તેમજ ગઢડા પોલીસ સ્ટેશનમાંથી જગદિશભાઈ ધુડાભાઈ અણીયાળીયા (DASI)ની પણ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. એમ.ઓ.બી. શાખામાંથી રાજુભાઈ ઘુઘાભાઈ બાવળીયા (UASI)ને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. જ્યારે બરવાળા પોલીસ સ્ટેશનમાંથી ધર્મેશકુમાર હિમંતલાલ ઝાલા (UHC)ની ગઢડા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. રાણપુર પોલીસ સ્ટેશનમાંથી ભારતીબેન ઘનશ્યામભાઈ ઝાલા (APC)ની બરવાળા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. આ તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારના બેક રેફરન્સ કર્યા વગર બદલીવાળી જગ્યાએ છૂટા થઈ હાજર થવા તેમજ તેની જાણ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીને કરવાની સૂચના આપવામાં આવી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બોટાદ મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- સાથોસાથ જે બાબા સાહેબ આંબેડકર ભવન ફાળવવામાં આવ્યું અને ઓબીસી સમાજની કુમાર છાત્રાલય માં ૫ કરોડ ફાળવવામાં આવી તે બદલ મેં મંત્રીશ્રીને ગુજરાત અને બોટાદની જનતા વતી આભાર પણ માન્યો હતો અને બોટાદ જિલ્લામાં જે સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ જે આપવામાં આવી તે માટે પણ મેં મંત્રીશ્રીનો બોટાદની જનતા વતી આભાર માન્યો હતો અને સરકારી સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ રાણપુર બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે તેની જગ્યાએ તે બોટાદ માં બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે- ઉમેશ મકવાણા1
- આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.1
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- દમણમાં ડાયમંડ બારમાં નોકરી કરતો કાર્તિક પટેલ કેશોદ પોલીસની સર્વેલન્સ બાતમીના આધારે પકડાયો, ૧૬ માર્ચ સુધી રીમાન્ડ જૂનાગઢ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કેશોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપતો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૩૦૩૦૨૨૦૧૧૮/૨૦૨૨ હેઠળ પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૫(એ)(ઇ), ૯૨(૨) અને ૮૧ મુજબનો ગુનો નોંધાયેલ હતો, જેમાં સંડોવાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ દરમિયાન કેશોદ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી કાર્તિક ગણપતભાઈ પટેલ હાલ દમણ ખાતે ડાયમંડ બારમાં ખાનગી નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢ્યો અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં તા. ૧૬/૦૩/૨૦૨૬ સુધીના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તેમજ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ અને સરનામું : કાર્તિક ગણપતભાઈ પટેલ (કોળી પટેલ), ઉંમર ૩૦ વર્ષ રહે. 76/જી, આમરાન ફળીયા, ડાભેલ ગામ, તા. જી. દમણ હાલ : ડાયમંડ બારમાં પ્રાઈવેટ નોકરી સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ : આ સમગ્ર કામગીરી કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, પો.હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, પો.કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરિયા, પો.કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદિયા, પો.કોન્સ્ટેબલ સુરેશભાઈ ભંભાણા, પો.કોન્સ્ટેબલ દિલાવરસિંહ મોરી અને પો.કોન્સ્ટેબલ હાર્દિકસિંહ સિસોદિયા દ્વારા સંયુક્ત રીતે સફળ કામગીરી કરવામાં આવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5