ગાંધીધામમાં AAP નેતા કાયનાત અંસારીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
ગાંધીધામમાં AAP નેતા કાયનાત અંસારીની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.
- સરકારની સુચના મુજબ ગાંધીધામ મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં સેવા સેતુ ના ૧૧માં તબ્બકાનો બીજો કાર્યક્રમ યોજાયો તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ લોહાણા મહાજન સમાજવાડી, આદિપુર મધ્યે રાખવામાં આવેલ કાર્યક્રમમાં નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ તેજશ શેઠ, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો તેમજ મહાનુભાવોની ઉપસ્થિતી સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, અન્ય વહીવટી તંત્રના હોદેદારો અને અધિકારીઓ તથા જુદા જુદા વિભાગોના અધિકારીઓ/પ્રતિનીધિઓની હાજરીમાં, નાગરીકોને જુદી જુદી કામગીરી માટેના ત્વરીત લાભ મળી રહે તે હેતુથી અરજીઓ સ્વીકારવામાં આવી. જેમાં જુદી જુદી કચેરીઓને લગતી કુલ્લઃ ૪૪૪ અરજીઓ મળેલ. જેમાંથી આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ્લઃ- ૪૪૪ અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.આ ઉપરાંત કાર્યક્રમ દરમિયાન પી. એમ સ્વનિધી યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 1,20,000 ના લોન મંજૂરી પત્ર અર્પણ કરવામાં આવ્યા.1
- Post by Jam shab Jam1
- અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી1
- હાજીપીર પુલિસ1
- પીએમ જાડેજા ને યાકુબ મુત્વા કો જાન સે મારને કી દમકી દી હૈ કર્યાની માગ શે1
- સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ભાજપ સંગઠનમાં અંદરોઅંદર અસંતોષની લાગણી સામે આવી રહી છે. તાલુકા ભાજપ પ્રમુખ સવજી આહિર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી સંગઠનની નિમણૂકોને લઈને કેટલાક કાર્યકરોમાં નારાજગી ફાટી નીકળી છે. ભાજપના કિસાન મોરચાના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સહિતના કાર્યકરોએ તાલુકા પ્રમુખ સામે વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું છે. કાર્યકરોનો આરોપ છે કે સંગઠનમાં કરવામાં આવેલી નિમણૂકોમાં ચોક્કસ એક સમાજને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય સમાજના કાર્યકરોમાં અસંતોષ ફેલાયો છે. કાર્યકરોના જણાવ્યા મુજબ સાંતલપુર વિસ્તારમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં મતદારો હોવા છતાં સંગઠનમાં તેમને પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી. આ મુદ્દે કેટલાક કાર્યકરો દ્વારા જાતિવાદી માનસિકતાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક કાર્યકરોએ એવો પણ દાવો કર્યો છે કે સંગઠનમાં એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે જે અગાઉ અન્ય રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા. આ કારણે સ્થાનિક સ્તરે પાર્ટીમાં આંતરિક ચર્ચા અને મતભેદ વધતા જોવા મળી રહ્યા છે. કાર્યકરોનું કહેવું છે કે જો આ મુદ્દે સંગઠન દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાર્ટીને રાજકીય નુકસાન થવાની શક્યતા છે. જોકે, આ મામલે હજુ સુધી પાર્ટી સંગઠન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. #Santalpur #Patan #PatanNews #GujaratNews #GujaratPolitics #BJP #BJPPolitics #PoliticalNews #LocalPolitics #BreakingNews #IndiaPolitics #PoliticalUpdate #SocialMediaNews #TrendingNews1
- આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારી આથાની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે. પોલીસ દ્વારા એટ્રોસિટી કેસમાં તેમની ધરપકડ કરીને જેલમાં મોકલાતા 'આપ'એ વિરોધ વ્યક્ત કર્યો છે. કાયનાત અંસારીએ વિસ્તારમાં ગેરકાયદે દારૂના ધંધાને લઈને રેડ કરી હતી, જેના બાદ સામા પક્ષની ફરિયાદ પરથી તેમની સામે કેસ નોંધાયો હતો. આ મુદ્દે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાયનાત અંસારી સામેની કાર્યવાહી ખોટી છે અને ગેરકાયદે દારૂના ધંધા સામે અવાજ ઉઠાવવાના કારણે તેમની સામે પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક કચેરી ખાતે પહોંચ્યા હતા અને DYSPને મૌખિક રજુઆત કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે કેસમાં ન્યાયસંગત તપાસ થવી જોઈએ અને યોગ્ય પગલાં લેવાં જોઈએ.1