Shuru
Apke Nagar Ki App…
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
VADGAM SAMACHAR PUSHKAR Goswam
લાઈવ દર્શન આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 15/3/26, રવિવાર
More news from ગુજરાત and nearby areas
- Post by Vaghela Janak3
- વાવ- થરાદ જિલ્લાના થરાદ ખાતે LPG ગેસ સિલિન્ડરની અછત અને કથિત કાળા બજારના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય નજીક મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓએ એકત્રિત થઈને મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા હાઈવે પર રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં તેમજ વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે અને સામાન્ય લોકોને ગેસ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સાથે જ કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરની કાળા બજારી થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલી પાંચ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસ દ્વારા સમયસર પગલાં લેવામાં આવતા સ્થિતિ ફરી સામાન્ય બની હતી.5
- કેન્દ્રની સરકારે કામદાર ખેડૂત,જનતા વિરોધી નીતિઓનો અમલ કરી કોર્પોરેટ ઉદ્યોગપતિઓને નીતિઓ સામે વિરોધ. દેશની ગરીબ અને મધ્યમ વર્ગની ખેડૂત જનતા સાઈ રહી છે તેની સામે ભારતનો સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી(સી પી એમ ) પક્ષ તરફથી 24 માર્ચ 2026 ના રોજ દિલ્હી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પ્રચાર પ્રસાર કરવા માટે દેશના તમામ રાજ્યમાં જન આક્રોશ જથ્થા યાત્રા કાઢવામાં આવી હતી તેના અનુસંધાને ગુજરાતમાં 10 માર્ચ થી નીકળેલ યાત્રા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાયડ માં જન સભા યોજાઈ હતી જેમાં કેદ્ર ના સી પી એમ ના પોલિત બ્યુરો મેમ્બર મરીયમ ઢવલે ખાસ હાજર રહ્યા હતા. કોર્પોરેટ અને ઉદ્યોગપતિઓ તરફ ની નીતિઓ ની આલોચના કરી અમેરિકન સામ્રાજ્યવાદના સરણે જવાના પગલાની કડક આલોચના કરી હતી આવનારા સમયમાં જનતા એક જૂથ થઈ કોમવાદ અને જાતિવાદ ને જાકારો આપી મોદી સરકાર ને ઉખાડી ફેંકવાની વાત કરી હતી. બાયડ થી જથ્થા યાત્રા મોડાસા ખાતે પહોંચી હતી અને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટાઉન હોલ સામે સભા યોજાઈ હતી અને ત્યાં એચ આઇ ભટ્ટ અરુણ મહેતા ડાયાભાઈ ગજેરા તેમજ કેદ્રીય આગેવાન મરીયમ ઢવલે એ જનતાને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ સી પી એમ જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ, મહેન્દ્રસિંહ, ચંદ્રપાલસિંહ, ભલાભાઈ સહિતના આગેવાનોએ મહેનત કરી હતી. જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96385006503
- અમદાવાદ ના “સાબરમતીમાં દારૂ-જુગાર મુદ્દે ઓડિયો થી ખળભળાટ”બુટલેગર મહેન્દ્ર ઉર્ફે મેદુ અને શેરૂ વહીવટદાર ના સગા છે કે શું....?? ધ્યાન થી સાંભળો આ ઓડિયો ને....!! સાબરમતી વિસ્તારમાં ગેરકાયદેસર દારૂ અને જુગારના મુદ્દે ફરી ચર્ચા ગરમાઈ છે. સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. આ ઓડિયો ક્લિપમાં સાબરમતી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા ના વહીવટદાર કુલદીપસિંહ ધ્વાર વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા અને વહીવટ અંગે ચર્ચા કરતા હોવાનું કહેવાઈ રહ્યું છે. અને આ ધંધા ના ખુલાસા ના કરવા બાબતે ચર્ચા કરતો કુલદીપસિંહ ... છતાં સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ મામલે સત્ય બહાર આવશે તો ઘણી બાબતો સામે આવી શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગ પર ટકેલી છે કે આ ઓડિયો ના આધારે સંબંધિત અધિકારી અને વહીવટદાર કુલદીપસિંહ અને તેની ટીમ ની તપાસ કરવામાં આવશે કે નહીં જો વધુ તપાસ થાય તો આમાં ઉપરના મોટા અધિકારી અને વધુ લોકો ની સંડોવણી જાહેર થઈ શકે છે . હવે જોવાનું એ રહ્યું આમાં આગળ શું કાર્યવાહી થશે ...???1
- દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામને ઘટનાને લઈને ચેરમેનને આપી પ્રતિક્રિયા1
- अंगदान बना जीवनदान: एक हफ्ते में दो महादान, चार मरीजों को मिला नया जीवन अहमदाबाद सिविल अस्पताल के माध्यम से अंगदान और ऊतकदान के सेवायज्ञ ने कई जरूरतमंद मरीजों को नई जिंदगी दी है। एक ही सप्ताह में हुए दो महादान से चार गंभीर मरीजों को नवजीवन मिला है, जबकि दो लोगों को कॉर्निया दान के जरिए आंखों की रोशनी मिलने वाली है। जानकारी के अनुसार, कठिन समय में भी मानवता की मिसाल पेश करते हुए राहुल और जयेशभाई के परिवारों ने अंगदान का फैसला लिया। इस फैसले से कई मरीजों को नया जीवन मिल सका और दो लोगों को दृष्टि की सौगात मिलेगी। सिविल अस्पताल के मेडिकल सुपरिंटेंडेंट डॉ. राकेश जोशी ने बताया कि अस्पताल द्वारा अंगदान को लेकर लगातार जागरूकता अभियान चलाया जा रहा है, जिसके सकारात्मक परिणाम अब समाज में दिखाई दे रहे हैं।1
- Post by Nationgujarat.com1
- પ્રાપ્ત થયેલી માહિતી મુજબ મોડાસા તાલુકાના લીંબોઈ ગામે તળાવની પારથી છે ક રામદેવપીરના મંદિર આગળ સુધી ઠેર ઠેર પાક રોડ ઉપર ખાડા પડી ગયા છે અને આ રોડ ઉપર પાણી પણ ભરાઈ રહી છે ત્યારે આ રોડ ઉપર હજારો વાહન ચાલકો ની આવ જા રહે છે તેથી વાહનચાલકો ખાડા પડી જવાને લીધે મુશ્કેલનો સામનો કરી રહ્યા છે.ત્યારે જાહેર જનતાની લોક માંગ છે કે આ લીંબોઈ ગામનો પાકો રસ્તો સત્વરે પાકો બનાવવામાં આવે કે પેવરિંગ કરવામાં આવે તેમજ આ રોડ ઉપર પાણી ભરાતો મચ્છરજન ને રોગો થવાની શક્યતાઓ રહેલી છે તો લગતા તંત્રએ રોડ બાબતે તેમજ પાણીના ખાબોચિયા ભરેલ બાબતે તપાસ થઈ અને લોકોના પ્રશ્નની વાચા મળે તેવી જાહેર જનતાની લોકમાંગ છે જવાનસિંહ ઠાકોર અરવલ્લી મોં. 96 38 5 00650.1
- અરવલ્લી જિલ્લાના પૂર્વ તાલુકા કોગ્રેસ પ્રમુખ બલભદ્રસિંહ ચંપાવત ભાજપમાં જોડાતા આપ્યુ નિવેદન1