Shuru
Apke Nagar Ki App…
શહેરના મોતીપુરા નજીક ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં મગફળી ભરેલો ટ્રક સળગ્યો, મોટી દુર્ઘટના ટળી ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.
ખબર વડાલી
શહેરના મોતીપુરા નજીક ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં મગફળી ભરેલો ટ્રક સળગ્યો, મોટી દુર્ઘટના ટળી ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.
More news from ગુજરાત and nearby areas
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના મોતીપુરા પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર મગફળી ભરેલો ઓવરલોડ ટ્રક વીજ તારને અડકતાં આગની લપેટમાં આવ્યો હતો. તણખા ઉડતા જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં જાનહાનિ નહીં થઈ, પરંતુ મગફળીનો મોટો જથ્થો બળી ગયો.1
- વિજાપુરના ગવાડા ગામે શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, પૂર્વ સાંસદ સહિત અગ્રણીઓએ લીધી હાજરી વિજાપુર તાલુકાના ગવાડા ગામે બુધવાર તા. 22/04/2026 ના રોજ શ્રી જોગમાયા માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધાર્મિક માહોલ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો, જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સવારે 10:00 કલાકે યોજાયેલા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી જુગલસિંહ મથુરજી ઠાકોર સાહેબશ્રીએ પધારીને માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો સાથે આ પવિત્ર પ્રસંગની ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ત્યારબાદ રાત્રે 11:30 કલાકે આયોજિત ભવ્ય રાસ-ગરબા કાર્યક્રમમાં પૂર્વ મહેસાણા જિલ્લા પંચાયત સદસ્ય અને પ્રમુખ ગ્રુપ ગાંધીનગરના શ્રી મુકેશભાઈ એસ. ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મોડી રાત સુધી ચાલેલા ગરબામાં યુવાનો સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને ઉલ્લાસભેર સંપન્ન થયો હતો.1
- હાલમાં જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવાર પોતાના પક્ષ સાથે તેમના ઉમેદવારોને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો બીજી બાજુ હજુ પણ લોકો મૂળભૂત સુવિધાથી વંચિત રહેતા તાલુકાના લાખિયા ગામ લોકો દ્વારા પાકા રસ્તાની માગણી બાદ તેમને રસ્તાથી વંચિત રાખવામાં આવતા તેમજ બાળકોને શાળામાં જવા માટે કમર સુધી પાણીમાંથી પસાર થવું પડતું હોવાના ગંભીર આક્ષેપ એ પોતાનો રોષ ઠાલવવામાં આવેલ ત્યારે ચૂંટણી ટાણે મત લેવા માટે આવતા નેતાઓ શું આ લાખિયા ગામ લોકોની પાકા રસ્તાની માગણી પ્રત્યે કોઈ જવાબ આપશે ખરા1
- politics ##india#reality##@@1
- Post by AZAJDHUKKA1
- બનાસકાંઠા અમીરગઢ તાલુકામાં પ્રચાર પૂરજોશમાં દાતા ધારાસભ્ય કાંતિ ખરાડી પર લાગ્યા પરિવાર વાદ ના આરોપ કાંતિ ખરાડી એ પોતાના પુત્રને ટિકિટ આપી છે અગાઉ તાલુકા પંચાયતની બેઠક પર હાર મળવા છતાં આપી ટિકિટ ભાજપ કાર્યકરો નું પાર્ટી છે પરિવાર વાત ચાલતું નથી જ્યારે કોંગ્રેસમાં પરિવાર વાદને કારણે હાર થશે2
- Post by Gujarat crime news1
- *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.1