Shuru
Apke Nagar Ki App…
Yusuf Bahai
More news from ગુજરાત and nearby areas
- Post by Yusuf Bahai1
- Post by Pooja patel1
- દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ જિલ્લા તંત્રને તપાસ કરવા લેખિત રજૂઆત વાવ થરાદ જિલ્લાના દિયોદર શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર નો આરોપ ને લઈ એક જાગૃત ખેડૂતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સમગ્ર મામલા ની વિગત એવી છે કે થોડા સમયે અગાઉ દિયોદર શિક્ષણ વિભાગમાં નવા વિધ્યાસાહક ના સર્વિસ બુક માટે એક કેમ્પ નું આયોજન થયું હતું જે કેમ્પ માં સર્વિસ બુક ભરાવતા હોવાથી શિક્ષકો પાસે થી 500 રૂપિયા ની રકમ ની ઉઘરાણી થઈ હતી જે મામલે શિક્ષકોએ કેમેરા સમક્ષ 500 રૂપિયા ચૂકવ્યા હોવાનું જણાવતા શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા હતા જે મામલે દિયોદર તાલુકાના જસાલી ગામના આગેવાન અમરાભાઇ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી સમગ્ર મામલે તપાસ કરવા માંગ કરી છે જો કે હવે શિક્ષણ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ થયો છે3
- અમેરિકા-ભારત વેપાર કરારથી ગુજરાતના કપાસ-મકાઈ ખેડૂતોને પારાવાર નુકસાન, કલેક્ટરને આવેદન આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા **ભારત-અમેરિકા વચ્ચેના વેપાર કરાર (India-US Trade Deal)**નો સખત વિરોધ કરવામાં આવ્યો છે. પાર્ટીના મતે આ કરારથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને ભારે નુકસાન થવાની શક્યતા છે. તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ જારી કરાયેલ પ્રેસ નોટમાં AAP ગુજરાતે જણાવ્યું છે કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ખેડૂતો અને પશુપાલકો વિરોધી છે. આ કરાર હેઠળ અમેરિકન કૃષિ ઉત્પાદનો જેમ કે મકાઈ, સોયાબીન, કપાસ વગેરેની આયાત પર ટેરિફ ઘટાડવાથી અથવા ખોલવાથી ભારતીય ખેડૂતોના ઉત્પાદનોના ભાવ ઘટી શકે છે અને તેમની આજીવિકા પર અસર પડી શકે છે. આ સંદર્ભે AAPના મહેસાણા જિલ્લા પ્રમુખ **જયદેવસિંહ ચાવડા (એડવોકેટ)**એ જિલ્લા પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે મળીને મહેસાણા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. આ આવેદન ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ સમાન રીતે પાઠવવામાં આવી રહ્યું છે, જેથી સરકાર સુધી વિરોધનો અવાજ પહોંચે. AAP ગુજરાતના આ વિરોધમાં કહેવામાં આવ્યું છે કે આ કરારથી ગુજરાત જેવા કપાસ, મકાઈ અને અન્ય પાકોના મોટા ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોની આવક ઘટશે, પશુપાલનને અસર થશે અને નાના વેપારીઓનો વેપાર પણ પ્રભાવિત થશે. પાર્ટીએ સરકારને આ કરાર પર પુનર્વિચાર કરવા અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી છે. આ વેપાર કરારના વિરોધમાં AAP દ્વારા આગામી દિવસોમાં વધુ આંદોલન અને જાગૃતિ અભિયાનો ચલાવવાની યોજના છે, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના હિતો સુરક્ષિત રહે.1
- कारमेल इंग्लिश स्कूल अंबाजी/कुंभरिया में स्टैंडर्ड 10th के छात्रों और छात्राओं के लिए दिनांक 16.02.2026 को दीक्षांत समारोह का आयोजन किया गया। उनकी एग्जाम्स और रिजल्ट्स एवम तद पश्चात के जीवन हेतु शुभकामनाएं....!1
- રાજ્યમાં ગરમી વધવાની આગાહી ની વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ માવઠાની આગાહી વચ્ચે પોશીના તાલુકામાં વહેલી સવારે આકાશમાં ઉભા થયેલા વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતા નુ મોજુ ફરી વળ્યું છે હાલમાં ઘઉં વરીયાળી જીરુ સમેતના પાકો તૈયારી પર હોય ત્યારે હવામાનમાં આવેલ બદલાવને તેમજ માવઠાની આગાહી વચ્ચે ખેતી પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે પોશીના તાલુકામાં આવેલ હવામાનમાં બદલાવને લઈ વરસાદી સંકેત પણ તોલાઈ રહ્યો છે.1
- ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે GRD ભરતી પ્રક્રિયાનો પ્રારંભ1
- *મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ૨૦૨૬* ______________ *બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ: કુલ ૨૪.૨૬ લાખ મતદારો નોંધાયા* ______________ *જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ દ્વારા આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરાઈ: બંને જિલ્લાના કુલ ૨૦,૮૬૪ મતદારોનો વધારો નોંધાયો* ______________ *બૃહદ બનાસકાંઠા જિલ્લાના ૯ વિધાનસભા વિસ્તારના મતદારો ઑનલાઇન પોર્ટલ કે કચેરી ખાતે મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી શકશે* ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. તે મુજબ તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૧૯-૧૨-૨૦૨૫થી તા. ૩૦-૦૧-૨૦૨૬ સુધી મતદારોને હક્ક દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે સમયગાળો આપવામાં આવ્યો હતો. તા. ૧૯-૧૨-૨૦૨૫થી તા. ૧૦-૦૨-૨૦૨૬ દરમિયાન જિલ્લાના સંબંધિત વિધાનસભા મત વિસ્તારોના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા રજૂ થયેલા તમામ હક્ક દાવા અને વાંધાઓ અંગે નોટિસ આપી સુનાવણી હાથ ધરીને નિયમ મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. તેના અનુસંધાને તા.૧૭-૦૨-૨૦૨૬ના રોજ અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૭,૭૭,૬૫૭ અને વાવ-થરાદ જિલ્લામાં ૮,૪૭,૨૯૫ એમ કુલ મળી ૨૬,૨૪,૯૫૨ મતદારો હતા. જેમાંથી મરણ, સ્થળાંતર અને ડુપ્લિકેટ નામ જેવા કારણોસર કુલ ૨,૧૯,૬૨૭ મતદારોના નામ સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમ મુજબ કમી કરવામાં આવ્યા હતા. જેના આધારે તા. ૧૯-૧૨-૨૦૨૫ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ૧૬,૦૩,૩૦૭ અને વાવ-થરાદ જિલ્લામાં ૮,૦૨,૦૧૮ એમ કુલ મળી ૨૪,૦૫,૩૨૫ મતદારો હતા. તેમણે જણાવ્યું કે, તા. ૧૭-૦૨-૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ થયેલી અંતિમ મતદારયાદી મુજબ બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૬,૧૫,૧૦૨ અને વાવ-થરાદ જિલ્લામાં કુલ ૮,૧૧,૦૮૭ એમ કુલ ૨૪,૨૬,૧૮૯ મતદારોનો સમાવેશ થયો છે. જેના આધારે બનાસકાંઠા જિલ્લામાં ૧૧,૭૯૫ અને વાવ-થરાદ જિલ્લામાં ૯,૦૬૯ મતદારોનો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, અંતિમ મતદારયાદીમાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ ૯ વિધાનસભા મત વિસ્તારના મતદારો પોતાનું નામ તપાસી શકે તે માટે બંને જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા સૂચિત અન્ય જાહેર સ્થળોએ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રાખવામાં આવી છે. ઉપરાંત, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની વેબસાઈટ તથા વોટર પોર્ટલ પર પણ અંતિમ મતદારયાદી ઉપલબ્ધ રહેશે. “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય.” ***4