Shuru
Apke Nagar Ki App…
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં મતદારોને મતદાન મથકો પર મત આપતા પહેલા કાલજી રાખવાની વિડીયો દ્વારા સમજણ આપવામાં આવી છે મોતીલાલ સોલંકી સાયલા
Motilal Solanki
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં મતદારોને મતદાન મથકો પર મત આપતા પહેલા કાલજી રાખવાની વિડીયો દ્વારા સમજણ આપવામાં આવી છે મોતીલાલ સોલંકી સાયલા
More news from ગુજરાત and nearby areas
- Post by Motilal Solanki1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- અમદાવાદમાં નારોલ વિસ્તાર ના કોજી હોટલ ની સામે ઉભા રહેલા ટ્રાફિક પોલીસ વાળા ગાડીઓ રોકીને નેં પૈસા ઉઘરાવી રહ્યા છે #ahemdabad #narol #police #video1
- રાજકોટ મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સંવેદનશીલ બુથમાં થયો વધારો 1014માંથી મનપામાં 283 સંવેદનશીલ અને 8 અતિ સંવેદનશીલ મતદાન મથક ઓનલાઈન લોકેટર બુથ એપ્લિકેશન કરાઈ લોન્ચ એપમાં મતદાન મથકનું લોકેશન અને પરિવારના મતદારો વિશેની માહિતી ઉપલબ્ધ ગરમીને લઈને તમામ મતદાન મથકોમાં છાંયડા, પાણી સહિતની વ્યવસ્થા કરાઈ રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈની માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડિલો અને યુવા મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી હવન તેમજ માતાજીને 56 પ્રકારના છપ્પન ભોગ (અન્નકૂટ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા, તેમજ બહારગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજ વાડી ખાતે સર્વે ભક્તજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો હતો. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા1
- ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને પગલે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. તે જ ક્રમમાં ધ્રાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો જોડાતા રેલી એક શક્તિ પ્રદર્શન રૂપ બની હતી. આ પ્રસંગે ગીતાબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત્ છે. નાગરિકોને પાણી, રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના શાસનમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આગળ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં ભય અને ગુંડાગીરીનું વાતાવરણ ઉભું થયું છે, જેના કારણે સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો સાથે સીધી વાતચીત કરી પોતાની યોજનાઓ અને વિકાસના વચનો રજૂ કર્યા હતા. કાર્યકરો દ્વારા “પરિવર્તન લાવો” જેવા નારા લગાવી શહેરમાં રાજકીય ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો. આ પરિવર્તન રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.1
- *ધંધુકા શહેરમાં હોટલ માલિક પર 12 અજાણ્યા શખસોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ.* અમદાવાદ જીલ્લાના ધંધુકા શહેરમાં ગત તા 18 એ ઉશકેરાયેલા ટોળાએ હોટલ માલિક નથુભાઈ મલેક પર અજાણ્યા ટોળાંએ લાકડાના ફટકા અને ડંડા સાથે ઘુસી ગયા હતા. આ દરમિયાન હુમલામાં નથુભાઈ મલેક, પુત્ર અને ભાઈ પર ડંડાઓ વડે હુમલો કર્યો હતો1
- Post by Motilal Solanki1