ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈની માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડિલો અને યુવા મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી હવન તેમજ માતાજીને 56 પ્રકારના છપ્પન ભોગ (અન્નકૂટ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા, તેમજ બહારગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજ વાડી ખાતે સર્વે ભક્તજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો હતો. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈની માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડિલો અને યુવા મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી હવન તેમજ માતાજીને 56 પ્રકારના છપ્પન ભોગ (અન્નકૂટ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા, તેમજ બહારગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજ વાડી ખાતે સર્વે ભક્તજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો હતો. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
- ધ્રાંગધ્રામાં મા વાઘેશ્વરી મંદિરનો 21મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો | નવચંડી હવન અને છપ્પન ભોગનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ધ્રાંગધ્રા શહેરની ખારી શેરીમાં સ્થિત સોની સમાજના આરાધ્ય દેવી મા વાઘેશ્વરીના પૌરાણિક મંદિરનો 21મો પાટોત્સવ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવાયો હતો. સોની સમાજ ધ્રાંગધ્રા દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવનું આયોજન પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈની માર્ગદર્શન હેઠળ તેમજ વર્તમાન પ્રમુખ શ્રી દિલીપભાઈ, ટ્રસ્ટી મંડળ, સમાજના વડિલો અને યુવા મિત્રો દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવચંડી હવન તેમજ માતાજીને 56 પ્રકારના છપ્પન ભોગ (અન્નકૂટ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાર્યક્રમમાં પૂર્વ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આઈ. કે. જાડેજા, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ મંદિરનું વિશેષ મહત્વ એ છે કે અહીં લગભગ 104 વર્ષથી અખંડ જ્યોત પ્રજ્વલિત રહી છે, જે ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ પવિત્ર અવસરે સમાજના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા, તેમજ બહારગામથી આવેલા સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે સમાજ વાડી ખાતે સર્વે ભક્તજનો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદીનો લાભ લઈ આ પવિત્ર પ્રસંગનો આનંદ માણ્યો હતો. બાઈટ બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા1
- ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને પગલે રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ચૂંટણીના પડઘમ શાંત થવા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે જોરશોરથી પ્રયાસો કરી રહ્યા છે. તે જ ક્રમમાં ધ્રાંગધ્રા શહેર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરિવર્તન રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ગીતાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના ઝંડા અને બેનરો સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો, આગેવાનો અને કાર્યકરો જોડાતા રેલી એક શક્તિ પ્રદર્શન રૂપ બની હતી. આ પ્રસંગે ગીતાબેન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં શહેરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ યથાવત્ છે. નાગરિકોને પાણી, રસ્તા, સફાઈ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના શાસનમાં વિકાસના દાવા માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. આગળ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે શહેરમાં ભય અને ગુંડાગીરીનું વાતાવરણ ઉભું થયું છે, જેના કારણે સામાન્ય નાગરિકો પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટે પરિવર્તન જરૂરી છે અને કોંગ્રેસના ઉમેદવારોને બહુમતીથી જીતાડવા વિનંતી કરી હતી. રેલી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોએ પણ મતદારો સાથે સીધી વાતચીત કરી પોતાની યોજનાઓ અને વિકાસના વચનો રજૂ કર્યા હતા. કાર્યકરો દ્વારા “પરિવર્તન લાવો” જેવા નારા લગાવી શહેરમાં રાજકીય ઉત્સાહનો માહોલ ઉભો કર્યો હતો. આ પરિવર્તન રેલીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.1
- tere dar par sanam | hritik roshan| Bollywood songs #teredarparsanam #hritikroshan1
- Post by Ramesh thakor Halvad Morbi1
- સરકાર ને અપીલ કે આ કામ જલ્દી થી જલ્દી પુણૅ કરે જય માતાજી 🙏1
- Post by Motilal Solanki1
- મોરબીના વાવડી નજીક ગઈ રાત્રે લુખ્ખા તત્વોએ બેકરીના વેપારી ને ધમકી આપવા મુદ્દે બે શખ્સોને પોલીસે દબોચી લીધા1
- • હિન્દુ સંગઠન અને માલધારી સમાજ એકત્ર થઈ આવેદન પત્ર પાઠવ્યું ધંધુકા ખાતે આગાઉ થયેલ ભરવાડ યુવકના હત્યા બાદ ફરી એક વખત ધર્મેશ ભરવાડ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ બનાવમાં સામાન્ય બાબતે કેટલાક શખ્સોએ યુવકની હત્યા કરતા ધંધુકા સહિત રાજ્યના અનેક શહેરોમાં શાંતિ ભંગ થઈ હતી. ત્યારે વારંવાર આ પ્રકારે યુવકની હત્યા થવાના બનાવને વખોલી કાઢતા માલધારી સમાજ દ્વારા જુદા જુદા શહેરો અને મહાનગરોમાં આવેદન પત્ર પાઠવી હત્યા નિપજાવનાર શખ્સો વિરુધ કડક કાર્યવાહી કરવા માંગ થઈ છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે પણ ધંધુકા હત્યા કેસના પડઘા પડ્યા હતા જેમાં હિન્દુ સંગઠન અને મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો એકત્ર થઈ ધંધૂકામાં ભરવાડ યુવકની હત્યા મામલે મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી હત્યા કરનારા શખ્સો વિરુધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. જેમાં વારંવાર હિન્દુ યુવકોની હત્યા અને યુવતીઓને લવજેહાદના મામલે રજૂઆત કરી કડક કાયદાકીય અને દાખલારૂપી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.1