સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને સંતરામપુર તાલુકાના બટકાવાડા ગામે પેટ્રોલીંગ માં ગયેલા સંતરામપુર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ પર હુમલો: 3 નામચીન સહિત 15-20 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો. પોલીસે ધમધમાટ તપાસ શરૂ કરી... તારીખ: 16 એપ્રિલ 2026 તા. 15 એપ્રિલ 2026ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન સંતરામપુર પોલીસ ટીમ પર ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર ના બટકવાડા ગામ નજીક શંકાસ્પદ રીતે મોટરસાયકલ પર સામાન લઈ જતા બે વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કરતા તેઓ ભાગી ગયા હતા. પોલીસ ટીમે પીછો કરતાં તેઓ બટકવાડાના રજાત ફળીયા નજીક નદી કિનારે વાહન મૂકી ભાગી ગયા હતા. ત્યારબાદ ગામમાંથી 15 થી 20 જેટલા લોકો ભેગા થઈ આવ્યા અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ લાકડીઓ, કુહાડી જેવા હથિયારો વડે પોલીસકર્મીઓને માર માર્યો હતો તેમજ ગળા દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં (1) દિલીપભાઈ માનસિંગભાઈ રજાત, (2) અલ્પેશભાઈ માનસિંગભાઈ રજાત અને (3) લાલસિંગભાઈ હકાભાઈ રજાત સહિત અન્ય અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી.એક્ટ હેઠળ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સંતરામપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને સંતરામપુર તાલુકાના બટકાવાડા ગામે પેટ્રોલીંગ માં ગયેલા સંતરામપુર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ પર હુમલો: 3 નામચીન સહિત 15-20 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો. પોલીસે ધમધમાટ તપાસ શરૂ કરી... તારીખ: 16 એપ્રિલ 2026 તા. 15 એપ્રિલ 2026ના રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન સંતરામપુર પોલીસ ટીમ પર ગંભીર હુમલાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંતરામપુર ના બટકવાડા ગામ નજીક શંકાસ્પદ રીતે મોટરસાયકલ પર સામાન લઈ જતા બે વ્યક્તિઓને રોકવાનો પ્રયાસ કરતા તેઓ ભાગી ગયા હતા. પોલીસ ટીમે પીછો કરતાં તેઓ બટકવાડાના રજાત ફળીયા નજીક નદી કિનારે વાહન મૂકી ભાગી ગયા હતા. ત્યારબાદ ગામમાંથી 15 થી 20 જેટલા લોકો ભેગા થઈ આવ્યા અને પોલીસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ લાકડીઓ, કુહાડી જેવા હથિયારો વડે પોલીસકર્મીઓને માર માર્યો હતો તેમજ ગળા દબાવી જાનથી મારી નાખવાની કોશિશ પણ કરી હતી. ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં (1) દિલીપભાઈ માનસિંગભાઈ રજાત, (2) અલ્પેશભાઈ માનસિંગભાઈ રજાત અને (3) લાલસિંગભાઈ હકાભાઈ રજાત સહિત અન્ય અજાણ્યા લોકો સામે ભારતીય ન્યાય સંહિતા તથા જી.પી.એક્ટ હેઠળ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સંતરામપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- Post by Salman moravala1
- કંબોઈ ધામ ખાતે અખાત્રી નો મેળો હોવાથી મંદિર કંબોઈ ધામ ખાતે અખાત્રી નો દિવસ હોય છે ત્યારે એ જ આ વખતે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે મંડળી દ્વારા પોતાની માન્યતા પ્રાપ્ત કરી શકે છે1
- આર.સી.એચ.ઓ ડૉ. દાભી દ્વારા PHC ગુલતોરા ખાતે મુલાકાત કરી આજે તારીખ 17/04/2026 શુક્રવારના રોજ બપોરે 3.45 કલાક સુધીમાં આર.સી.એચ.ઓ ડૉ. દાભી દ્વારા PHC ગુલતોરાની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે HPV રસીકરણ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું અને પાત્ર લાભાર્થીઓ સુધી રસીકરણ વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપી. તેમજ હાઈ રિસ્ક ANC (ગર્ભવતી મહિલાઓ)ના ટ્રેકિંગ રેકોર્ડની તપાસ કરી સમયસર મોનિટરિંગ અને ડ્યૂ ડે પર યોગ્ય એડવાન્સ મેનેજમેન્ટ સુનિશ્ચિત કરવા સ્ટાફને માર્ગદર્શન આપ્યું. આ મુલાકાતનો મુખ્ય હેતુ માતા અને બાળ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવાનો અને PHC સ્તરે સુચારૂ કામગીરી સુનિશ્ચિત કરવાનો રહ્યો.1
- Post by Limdabara News1
- bikav##media#patrakar#1
- કાલોલની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા કાલોલ તાલુકાની બાકરોલ પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા.ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે જિલ્લા કક્ષા, તાલુકાકક્ષા અને ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક જનજાગૃતિ માટે(SVAP) મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ,રેલી, મહેંદી કેમ્પઈન, નાટક તેમજ ૧૦૦% મતદાનના શપથ જેવા કાર્યક્રમો યોજવા સૂચન કરવામાં આવેલ છે. જે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અભિયાન રેલી,,૧૦૦% મતદાન શપથ તેમજ સામાજિક જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવ્યા.સમાજમાં જનજાગૃતિ થકી ઉત્તમ રાષ્ટ્રનિર્માણ કાર્યમાં બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા સહભાગી થવાના પ્રયત્નો કરવામાં આવ્યા.2
- છોટાઉદેપુર જિલ્લાના સુકેત અને વસવા બ્રિજને ભયજનક જાહેર કરી 10 ટનથી વધુ ભારે વાહનો માટે પ્રતિબંધ મુકાયો. જિલ્લા પ્રશાસન દ્વારા ડાયવર્ઝન રૂટ જાહેર.1
- Post by Ninama vimal kumar1