Shuru
Apke Nagar Ki App…
લગ્ન કર્યાના છ મહિના બાદ મહિલાનો મોત પરિવારે લગાવ્યા સાસરી પક્ષ ઉપર ગંભીર આક્ષેપ !
R GUJARAT NEWS
લગ્ન કર્યાના છ મહિના બાદ મહિલાનો મોત પરિવારે લગાવ્યા સાસરી પક્ષ ઉપર ગંભીર આક્ષેપ !
More news from Kheda and nearby areas
- પશુપાલકોના પરસેવાનું મૂલ્ય કોણ નક્કી કરશે? સંઘોનો ઝઘડો અને ખેડૂત પિસાય એ કેવો ન્યાય? દહેગામ તાલુકાના ૧૫,૦૦૦ પશુપાલકો આજે વહીવટી ગૂંચવણને કારણે આર્થિક નુકસાન વેઠી રહ્યા છે. જ્યારે દહેગામ વહીવટી રીતે ગાંધીનગર જિલ્લામાં છે, તો દૂધ માટે તેને અમદાવાદ સાથે કેમ બાંધી રાખવામાં આવે છે? મધુર ડેરી 855 ગ્રાહકો ને 830 આપતી હોય તો પશુપાલકોને 810 આપતી ઉત્તમ ડેરીમાં જવા મજબૂર કેમ કરાય છે? ૨૬ વર્ષ જૂના નિયમોનો હવાલો આપીને પશુપાલકોની આજની આજીવિકા કેમ છીનવવામાં આવે છે? અમે દૂધ ઢોળવા નથી માંગતા, અમે સંઘર્ષ કરવા નથી માંગતા, પણ અમને અમારા હકનો ભાવ જોઈએ છે. સહકારી 'મધુર' જંગ: પશુપાલકોના નસીબમાં 'ઉત્તમ' નુકસાન! ગાંધીનગર: કહેવાય છે કે લોકશાહીમાં પ્રજા રાજા હોય છે, પણ સહકારી માળખામાં પશુપાલક તો માત્ર 'દૂધ આપતું પ્રાણી' જ સાબિત થયો છે. અત્યારે દહેગામના રસ્તાઓ પર દૂધની નદીઓ વહેવાની તૈયારીમાં છે, પણ અફસોસ કે આ કોઈ સમૃદ્ધિનું પ્રતીક નથી, પણ વ્યવસ્થા સામેનો આક્રોશ છે. ગજબની વાત તો એ છે કે દહેગામ વહીવટી રીતે 'ગાંધીનગર'માં છે, પણ તેનું દૂધ 'અમદાવાદ'નું ગણાય છે! વર્ષ 2000ના જૂના પુરાણા કાયદાઓ આજે 2026માં પશુપાલકોના ગળે ટૂંપો દઈ રહ્યા છે. મધુર ડેરી ભાવ વધુ આપે છે એટલે પશુપાલક ત્યાં જાય છે, પણ કાયદાના રખેવાળો કહે છે— "ના, તમારે તો ઓછો ભાવ આપતી ઉત્તમ ડેરીમાં જ જવું પડશે, કારણ કે નિયમો કાગળ પર છે!" બોર્ડ ઓફ નોમિની: જ્યારે કલમ કીટલી પર ભારે પડે પશુપાલકોને આશા હતી કે 'મધુર' દૂધ પીવડાવીને સંતાનોને ભણાવશે, પણ 'બોર્ડ ઓફ નોમિની'ના એક આદેશે આખી બાજી પલટી નાખી. 27 ફેબ્રુઆરીનો એ આદેશ જાણે પશુપાલકો માટે 'બ્લેક ફ્રાઈડે' સાબિત થયો. 25 હજાર પશુપાલકોનું 95 હજાર લિટર દૂધ હવે ક્યાં જશે? ગટર કે રસ્તા પર? જ્યારે બે મોટા ગજાના સંઘો અહમના જંગે ચડે, ત્યારે વચમાં પિસાવાનું તો પેલા ગરીબ ખેડૂતને જ હોય છે જે સવારે 4 વાગ્યે ઉઠીને છાણ-વાસીદું કરે છે. : ઈજ્જત અને જીવિકાનો 'દહીંથરો' ઉત્તમ ડેરી: "અમે જૂના જોગી, ભલે ભાવ ઓછો આપીએ પણ હક તો અમારો જ!" મધુર ડેરી: "અમે પડોશી, પણ કાયદાના કુંડાળામાં કેદ!" પશુપાલક: "સાહેબ, ઘાસચારો મોંઘો થયો છે, પણ અમારો પરસેવો સસ્તો કેમ?" 95 મંડળીઓ અને હજારો પરિવારો અત્યારે કાનૂની દાવપેચના મેદાનમાં ફૂટબોલ બની ગયા છે. એક તરફ 'સહકારથી સમૃદ્ધિ'ના નારા લાગે છે, અને બીજી તરફ પશુપાલક પોતાનું જ લોહી-પાણી કરીને મેળવેલું દૂધ ઢોળવા મજબૂર બને છે. શું આ જ સહકારી ભાવના છે? શું પશુપાલકને પોતાનું દૂધ કોને દેવું એ નક્કી કરવાનો પણ અધિકાર નથી? જો ટૂંક સમયમાં આ 'સફેદ જંગ'નો ઉકેલ નહીં આવે, તો દહેગામની ધરા પર દૂધ નહીં, પણ વ્યવસ્થાની નિષ્ફળતા વહેતી દેખાશે. ખરેખર, આ કિસ્સામાં નામ 'મધુર' છે પણ અનુભવ 'કડવો' છે, અને જે 'ઉત્તમ' હોવું જોઈતું હતું તે અત્યારે પશુપાલકો માટે 'અધમ' સાબિત થઈ રહ્યું છે.2
- મહેસાણા મહાનગરપાલિકા બનવાથી મહેસાણા નો વિકાસ ખૂબ મોટો થઈ રહ્યો હોય ત્યારે મહેસાણા એક અને મહેસાણા બે ને જોડતા બંને અંડરપાસ સિવાય એકમાત્ર આંબેડકર બ્રિજ છે. મહેસાણા એક અને બે આ બંનેને જોડવા માટે રેલવે ઉપરથી ઓવરબ્રિજ બને અને રેલવે આ બ્રિજને તાત્કાલિક મંજૂરી આપી અને કામ શરૂ કરાવે તેવી માંગણી આજે મેં રાજ્ય સભામાં કરી. રેલવે દ્વારા આ બ્રિજ બનવાથી મહેસાણા મહાનગર ને ટ્રાફિક અને વરસાદ જેવી પરિસ્થિતિ મા થી રાહત થશે...1
- પોણા બે વર્ષ પછી કડક ચુકાદો : વિજાપુર હસ્નાપુરમાં મહિલા હત્યા, બે આરોપીને આજીવન જેલ વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં આવેલા એક ખેતરમાં પોણા બે વર્ષ અગાઉ મજૂરીના પૈસાની વસૂલાતને લઈને થયેલી તકરારમાં ઉશ્કેરાઈને બે શખ્સોએ આધેડ મહિલાના માથામાં લાકડાનો મરણતોલ ફટકો મારી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બંને આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાનો હુકમ કર્યો છે. સાથે જ પ્રત્યેક આરોપીને રૂપિયા ૧.૧૦ લાખનો દંડ પણ લગાવ્યો છે. ઘટનાની વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના મારગળા ગામના વતની સુભાષ રાકેશભાઈ ભાભોરે લાડોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાની માતા લલિબેન, પત્ની અરૂણા સહિત પરિવારના અન્ય સભ્યો અને બીજા મળીને કુલ ૧૪ મજૂરો સાથે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં ભરતભાઈ પટેલના ખેતરમાં ઘઉંની કાપણી માટે આવ્યા હતા. બધા જ મજૂરો ખેતરના કૂવા પાસે રહેતા હતા. તા. ૧-૪-૨૦૨૪ના રોજ રાત્રે મજૂરી માટે આવેલા રાજુ બાબુભાઈ બારીયા (રહે. સાગડાપાડા, તા. ફતેપુરા, દાહોદ) અને કમલેશ કાંતીભાઈ ગરાસિયા (મૂળ વતની ગણેશપુર, બાસવાડા, રાજસ્થાન)એ સુભાષભાઈ પાસે મજૂરીના પૈસા માગ્યા હતા. સુભાષભાઈએ પૈસા આપવાની વાત ટાળતાં તકરાર વધી ગઈ હતી. ત્યારે લલિબેન (૪૫) ગાળો બોલવાની ના પાડતાં કમલેશ ગરાસિયા ઉશ્કેરાઈ ગયો અને નજીક પડેલું લાકડું ઉઠાવીને તેમના માથામાં જોરદાર ફટકો માર્યો હતો. જેનાથી લલિબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. લાડોલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને બંને આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સેશન્સ કોર્ટના જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ૧૮ સાક્ષીઓની જુબાની અને ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. અદાલતે આ તમામ પુરાવાઓને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. સાથે જ ભોગ બનેલી મહિલાના વારસદારોને દંડની રકમમાંથી રૂપિયા બે લાખનું વળતર આપવાનો પણ આદેશ કર્યો હતો.1
- Post by RAMESH ZALA1
- સાબરકાંઠા ઈડરના ગઢ નજીક ડુંગર પાસે આગ લાગી કાળઝાળ ગરમી વચ્ચે ગઢ વિસ્તારમાં આગ પ્રસરી આગ પ્રસરતા સ્થાનિક લોકોએ બુઝાવવા પ્રયાસ હાથ ધર્યાં સ્થાનિક ફાયર ટીમને જાણ કરી આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો વિસ્તારમાં આગને લઈ ભારે ધુમાડો ફેલાયો1
- સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગની વઢવાણ-લખતર રોડ પર મોટી કાર્યવાહી: લાખોનો મુદ્દામાલ જપ્ત કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે ૪૬ કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો અને વાહન સીઝ કર્યું સુરેન્દ્રનગર જિલ્લામાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી જેવી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખેડી નાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક અભિગમ અપનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી કે. એસ. યાજ્ઞિકના સીધા માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા સતત મોનિટરિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ગત રોજ વઢવાણ-લખતર રોડ પર આકસ્મિક તપાસ દરમિયાન લાખોની કિંમતનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ કામગીરીની વિસ્તૃત જાણકારી આપતાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એ. જી. ગજ્જરે જણાવ્યું હતું કે, ગત તારીખ ૧૧/૦૩/૨૦૨૬ના રોજ પુરવઠા વિભાગની વિશેષ ટીમ વઢવાણ-લખતર રોડ પર સરપ્રાઈઝ ચેકિંગમાં હતી. આ દરમિયાન યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે પસાર થઈ રહેલી એક લેલન પીકઅપ ગાડી નંબર: GJ03BW7406 શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વાહનની પ્રાથમિક તપાસ કરતા તેમાં અનાજનો મોટો જથ્થો ભરેલો હોવાનું માલૂમ પડ્યું હતું. પુરવઠા વિભાગની ટીમ દ્વારા વાહનચાલકની સઘન પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ તે આ અનાજના જથ્થાના વહન અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર પરવાનગી, પાસ-પરમિટ કે માન્ય બિલ રજૂ કરી શક્યો ન હતો. વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં બહાર આવ્યું હતું કે, ગાડીમાં કુલ ૪૬ કટ્ટા ચોખા એટલે કે અંદાજે ૨૩૧૧.૫૫૦ કિલોગ્રામ જેટલો જથ્થો કોઈપણ માન્ય આધાર-પુરાવા વગર અનધિકૃત રીતે હેરફેર કરવામાં આવી રહ્યો હતો. આ સરકારી કાર્યવાહી અંતર્ગત પુરવઠા વિભાગ દ્વારા અંદાજે રૂ. ૬૨,૪૧૧.૮૫/-ની કિંમતના ચોખા અને અંદાજે રૂ. ૪,૦૦,૦૦૦/-ની કિંમતનું વાહન મળી કુલ રૂ. ૪,૬૨,૪૧૧.૮૫/- નો મુદ્દામાલ 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ' હેઠળ સીઝ કરવામાં આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે વિભાગ દ્વારા કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ડિલિવરી ક્યાં કરવાની હતી. આગામી સમયમાં પણ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવાની તંત્ર દ્વારા ચીમકી આપવામાં આવી છે.1
- અમદાવાદ ગીતા મંદિર નવા બસ સ્ટેન્ડ નો વિડિઓ છે3
- મહેસાણા વિસનગર આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ગુમ થવાનો મામલો આદર્શ વિદ્યાલયનો વિદ્યાર્થી ક્રિશ ચૌધરી ગુમ થવાનો મામલો હોળીની રજા દરમિયાન છાત્રાલયમાંથી ઘરે જવા નીકળેલો વિદ્યાર્થી થયો હતો ગુમ ગુમ વિદ્યાર્થી જલ્દી પરત મળે તે માટે આદર્શ વિદ્યાલય ખાતે ખાસ પ્રાર્થના કરવામાં આવી આદર્શ વિદ્યાલય દ્વારા અપીલ ગુમ વિદ્યાર્થી બાબતે કોઈ માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરકે વિનંતી3
- મહેસાણા જિલ્લામાં ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ મહેસાણા, ૧૧ માર્ચ ૨૦૨૬ મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG સિલિન્ડરની કોઈ અછત નથી તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે જોડાયેલા ગેસ એજન્સી ધારકોની જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી, જેમાં કલેક્ટરશ્રી એસ.કે. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે. જેગોડાએ અધ્યક્ષતા ભજવી હતી. આ બેઠકમાં જિલ્લાના ૧૦ તાલુકાઓમાં આવેલી કુલ ૩૮ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાં HPCLની ૧૬, IOCLની ૧૧ અને BPCLની ૧૧ એજન્સીઓનો સમાવેશ થતો હતો. ઉપરાંત IOCL, HPCL તથા BPCLના સેલ્સ ઓફિસરો તેમજ સાબરમતી ગેસના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાઓ અનુસાર બેઠકમાં ઘરેલુ LPG સિલિન્ડરોના બિનજરૂરી સંગ્રહ તથા કાળાબજારી અટકાવવા માટે કડક તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત કંપનીઓના સેલ્સ ઓફિસરોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે મહેસાણા જિલ્લામાં ઘરેલુ LPG કનેક્શન તેમજ CNG અને PNG માટે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. ડોમેસ્ટિક LPG સિલિન્ડરની કોઈ અછત નથી અને કોમર્શિયલ ગેસ અંગે કેન્દ્ર સરકારની એડવાઇઝરી મુજબ કંપનીઓ કાર્યરત રહેશે. ગેસ એજન્સી ધારકોને ગ્રાહકોને નિશ્ચિત સમયમર્યાદામાં સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા, નિયત ભાવ, નિયત રિસિપ્ટ તથા નિયત વજન મુજબ સિલિન્ડર આપવાની ખાતરી કરવા તેમજ પૂરતો જથ્થો સમયસર પહોંચાડવા માટે ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ઓનલાઇન માધ્યમથી જોડાયેલા તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, નાયબ મામલતદાર (પુરવઠા) તથા નાયબ મામલતદાર (MDM)ને તાલુકા કક્ષાએ ગેસ એજન્સીઓની બેઠક યોજી દૈનિક ધોરણે ડિમાન્ડ અને સપ્લાયનું સઘન મોનીટરિંગ કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગેસ એજન્સીઓની નિયમિત તપાસ કરવા તથા ગેરરીતિના કિસ્સાઓમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG કંટ્રોલ ઓર્ડર-૨૦૦૦ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. હાલના સંજોગોમાં ડિલિવરી સમયગાળો ૨૧ દિવસના બદલે ૨૫ દિવસ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને બિનજરૂરી સંગ્રહ ન કરવા તથા જરૂરિયાત વગર બુકિંગ ન કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લામાં ગેસ સપ્લાય ચેઇન સુચારૂ રીતે જળવાઈ રહે અને જનતાને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાને ચિંતા ન કરવા પણ નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, તમામ મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓ તેમજ ગેસ એજન્સીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1