Shuru
Apke Nagar Ki App…
કોંગ્રેસ નેતા ઠાકરસીભાઇ રબારી ભાજપ પર કેમ આક્ષેપ કર્યો જોવો વિડિઓ વાયરલ
Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
કોંગ્રેસ નેતા ઠાકરસીભાઇ રબારી ભાજપ પર કેમ આક્ષેપ કર્યો જોવો વિડિઓ વાયરલ
More news from Banas Kantha and nearby areas
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1
- ભાભર શહેરમાં ચાલી રહેલી ગટર લાઈનની કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાથી લોકો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી રહી છે, છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઈનનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે લોકોના દૈનિક જીવનમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. ખોદકામ કરાયેલા રસ્તાઓ લાંબા સમયથી અધૂરા હોવાના કારણે વાહન વ્યવહાર અને આવાગમનમાં ભારે તકલીફ પડી રહી છે. આ ઉપરાંત, ગટર કામની ગુણવત્તા અંગે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. લોકોનો આક્ષેપ છે કે કામ હલકી ગુણવત્તાવાળું કરવામાં આવી રહ્યું છે. વધુમાં, ગટર માંથી ગંદકી ભરેલું પાણી બહાર આવી રહ્યું હોવાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતા અંગે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ તંત્રને માંગ કરી છે કે તાત્કાલિક અસરથી ગટર લાઈનનું કામ ઝડપી ગતિએ અને યોગ્ય ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે, તેમજ ઉભરાતા ગંદા પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.1
- ભોરોલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત બેઠક માટે નવા કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને રાજકીય રીતે વધુ મહત્વપૂર્ણ બનાવી દીધો હતો. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિસ્તારના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. નરેશભાઈ ઠાકોર, ભાજપ દ્વારા મેન્ડેટ પ્રાપ્ત ઉમેદવાર જોગાજી ચૌહાણ, ડી.ડી. રાજપૂત, મનીષભાઈ પ્રજાપતિ, ગજેન્દ્રસિંહ દરબાર (ભોરોલ સ્ટેટ), ઓમજીબા ઈઢાટા, ડો. કરશનભાઈ પટેલ, રાવ ગમજીજી, ઉમેદદાન ગઢવી, પ્રવીણભાઈ માળી સહિત ભાજપના ભોરોલ સીટ હેઠળ આવતા તમામ ગામોના આગેવાનો તથા મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. નરેશભાઈ ઠાકોર તથા ભાજપના અધિકૃત ઉમેદવાર જોગાજી ચૌહાણે વિરોધ પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેટલાક લોકો માત્ર ચૂંટણી સમયે જ જનતાની વચ્ચે દેખાય છે, જ્યારે ભાજપ વર્ષો સુધી જનસેવા, વિકાસ અને લોકોના વિશ્વાસ માટે કાર્યરત રહી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભોરોલ બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે, કારણ કે દરેક સમાજ, દરેક ગામ અને દરેક વર્ગનો વિશ્વાસ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે. વિકાસના મુદ્દે વિરોધ પક્ષ પાસે કોઈ જવાબ નથી, તેથી તેઓ માત્ર ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રસંગે વિવિધ સમાજોના કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાના હાથે કેસરિયો ધારણ કરી પક્ષ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યુવાનો, વડીલો અને સમાજના આગેવાનો દ્વારા ભાજપને મળતું વધતું સમર્થન કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસ, પારદર્શિતા અને જનસેવાને પ્રાથમિકતા આપતી પાર્ટી રહી છે અને ભોરોલ વિસ્તારમાં જનસમર્થન સતત વધી રહ્યું છે. તેમણે કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવી ગામે ગામે જઈ સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. ભોરોલ જિલ્લા પંચાયત બેઠક માટે કાર્યાલયના ઉદ્ઘાટન સાથે ભાજપે ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપી દીધી છે. આગેવાનોના આત્મવિશ્વાસભર્યા નિવેદનો અને વિવિધ સમાજોના જોડાણથી ભોરોલની રાજકીય લડત હવે વધુ રસપ્રદ અને ચર્ચાસ્પદ બની છે.1
- Post by Pankaj Parmar1
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1
- Post by Ramesh thakor Halvad Morbi1
- પુનિતનગર વિસ્તારમાં રહેતા એક પરિવારને પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક મહિલાએ પ્રલોભન આપ્યું હતું. બાદમાં પશુ બલી આપવા બાબતે વિવાદ થયો હતો. ગત 4 એપ્રિલે પરિવારનો 4 વર્ષીય બાળક અચાનક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન પડોશી મહિલાના ઘરના પાણીના ટાંકા માંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રારંભમાં પરિવાર દ્વારા કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી, પરંતુ શંકા ઊભી થતાં બાદમાં પોલીસમાં અરજી કરાઈ હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે અને તાંત્રિક મહિલા સામે હત્યા અને કાળા જાદુ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.1
- Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv1