Shuru
Apke Nagar Ki App…
બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર
Chhota udepur view
બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર
More news from Chhotaudepur and nearby areas
- બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે. ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે: બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.2
- હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી. ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા1
- બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box1
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4
- Post by THE BEALERT NEWS1
- Post by Mr BHIl Vishnubhai kalidash1