છોટાઉદેપુર,,,,,જુઓ ખેડૂતોને કેમ આપવું પડ્યું આવેદનપત્ર બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે. ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે: બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
છોટાઉદેપુર,,,,,જુઓ ખેડૂતોને કેમ આપવું પડ્યું આવેદનપત્ર બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી
રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે. ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે: બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by Jasmin B Shah1
- દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક,કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલરનું મોત થતા મામલો વધુ ગંભીર બન્યો છે. ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુખદ મોત થયું હતું. આ બનાવને લઈને શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે દાહોદ "સ્માર્ટ સિટી" હોવા છતાં અહીંની સ્થિતિ "ફોરેસ્ટ સિટી" જેવી બની ગઈ છે. શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી ધરણા પર બેઠા અને નગરપાલિકા તંત્ર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો લગાવ્યા. કોંગ્રેસે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કેમ મૌન છે? તેમણે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.1
- દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો1
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4
- Post by THE BEALERT NEWS1
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકો સાથે મુલાકાત કરી પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપવામાં આવી. પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે કપડાના થેલાં અને વિકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહકાર જરૂરી હોવાનું જણાવાયું છે અને “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ”ના સંદેશ સાથે સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.1
- દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા દાહોદની નગરપાલિકા ચોક ખાતે રખડતા પશુઓને પાંજરે પુરવા માટે અચોક્કસ મુદતના ધરના યોજવામાં આવી રહ્યા છે આજે કોંગ્રેસના ધરના નો આઠમો દિવસ છે અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી રખડતા પશુઓને પાંજરે પુરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસના ધરણા પ્રદર્શન ચાલુ રહેશે1