બરવાળા નગરપાલિકા દ્વારા કરવેરા વસુલાતની સઘન ઝુંબેશ હાથ ધરાઈ ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે. બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા) રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
બરવાળા નગરપાલિકા દ્વારા કરવેરા વસુલાતની સઘન ઝુંબેશ હાથ ધરાઈ ન.પા.દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શન કાપ્યા આગામી દિવસોમાં મોટા બાકીદારોની મિલ્કત સીલ મારવાની સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ન.પા.દ્વારા મિલ્કતને સિલ મારવામાં આવતા મોટા બાકીદારોમાં ફફડાટ બરવાળા નગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસુલાત અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં આર.જી.ઝાલા (ચીફ ઓફિસર) ની ન.પા.ના મોટા કરવેરા બાકીદારોની અસરકારક વસુલાત હાથ ધરવા મળેલ સુચના અન્વયે નિલેશભાઈ વસાણી,ગંભીરસિંહ ભાડલિયા,કિશોરસિંહ રાઠોડ,યશપાલસિંહ મોરી સહીતના કર્મચારીઓ દ્વારા મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને નોટીસો પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા બાકીદારોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બોટાદ જીલ્લાના બરવાળા નગરપાલિકાની સને ૨૦૨૫-૨૬ નાં માંગણા સામે બાકી કરવેરાની અસરકારક વસુલાત કરવા ડોર ટુ ડોર સઘન ઝુંબેશની કાર્યવાહી હાથ ધરાવમાં આવી હતી. બાકી કરવેરા વસુલાતની કામગીરી અન્વયે નગરપાલિકાની વસુલાત શાખાના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર બાકીદારોના કરવેરા ભરી જવા માંગણાબિલ તેમજ નોટીસો પાઠવી તાકીદ કરવામાં આવેલ તેમ છતા મિલ્કત ધારકો બાકી કરવેરા નહિ ભરવાના કારણે ન.પા.દ્વારા વસુલાત ઝુંબેશ હાથ ધરી મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામા આવી હતી બરવાળા નગરપાલિકા દ્વારા નગરનાં તમામ મિલકત ધારકોને માંગણા નોટીસની બજવણી કરી દેવામાં આવી હતી માંગણાબિલ ઇસ્યુ થઇ ગયેલ તેમજ નોટીસો પાઠવવા છતાં મિલકત ધારકો દ્વારા કરવેરો નહિ ભરવામાં આવતા નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા સઘન વસુલાત ઝુંબેશનાં ભાગરૂપે ટેક્ષ વસુલાત ભરપાઈ નહી કરનાર મોટા બાકીદારોના ૭ નળ કનેક્શનો કાપવામાં આવ્યા હતા જયારે ૧૧૮૯ જેટલા મોટા બાકીદારોને કરવેરો ભરી જવા ખાસ અંતિત નોટીસ પાઠવવામાં આવી છે.ન.પા.દ્વારા મોટા બાકીદારોના નળ કનેક્શન કાપવામાં આવતા મોટા બાકીદારો ફફડાટ મચી જવા પામ્યો હતો તેમજ નગરપાલિકાની વસુલાત શાખા દ્વારા બાકીદારોને કરવેરો ભરી જવા અપીલ પણ કરવામાં આવેલ છે. બોક્ષ :- બાકી કરવેરા ભરપાઈ કરવા અપીલ બરવાળા નગરપાલિકા વિસ્તારના તમામ મિલ્કત ધારકોના બાકી કરવેરા ભરપાઈ કરી નગરના વિકાસમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.મિલ્કત ધારકો દ્વારા બાકી કરવેરા સમયસર ભરપાઈ કરી દેવા અનુરોધ કરાયો અન્યથા બાકી કરવેરાની વસુલાત ઝુંબેશના ભાગરૂપે મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે. આર.જી.ઝાલા (ચીફ ઓફિસર-બરવાળા નગરપાલિકા) રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮
- આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને એક્વાટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, આઈ મેક્સ,5D ગેલેરી અને અન્ય વિવિધ વિજ્ઞાનને લગતા અદ્ભુત પ્રોજેક્ટ અને મોડેલો નિહાળ્યા અને માર્ગદર્શક દ્વારા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક અભિગમ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓને આ અદભુત એક્સપ્લોઝર વિઝીટ માટે શાળા પરિવાર શિક્ષણ વિભાગ નો ખૂબ ખૂબ આભાર માને છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- યુવા ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાય-હાય ના સુત્રોચ્ચાર કરી, બેનરો સાથે કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું..1
- જસદણ પંથકની અંદર સિંહ અને દીપડાના ધામા જસદણના જડિયા મહાદેવ મંદિરના મહંત અને ખેડૂત પર દીપડા નો હુમલો બંનેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક108 મારફત જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા દીપડાએ વહેલી સવારે મહંત આરતી કરતા ત્યાં દીપડો આવવાની સાથે જ મહંત પર હુમલો ગળાના અને છાતીના ભાગે મત ને ગંભીર ઈજા પહોંચી ખેડૂત બચાવવા જતા ખેડૂત પરદીપડાએ હુમલો કર્યો ઘટના સ્થળે તાત્કાલિક ફોરેસ્ટ ની ટીમ પહોંચી હતી મહંત અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્યા ઘટના સ્થળે જસદણના વન વિભાગની ટીમ દ્વારા પાંજરા સાથે દીપડાને પુરવાની કવાયત હાથ ધરી4
- જમીન-મકાનના દલાલને એક યુવતી સાથે મીઠી મીઠી વાતો કરવું ભારે પડ્યું હતુ. જમીન દલાલ હનીટ્રેપનો શિકાર બન્યો હતો. એક ગેંગે તેનું અપહરણ કરીને તેને સુરેન્દ્રનગરના રણમાં લઈ ગયા હતા, જ્યાં તેના છુટકારા માટે એક કરોડની ખંડણી લીધી હતી, અને તેના બાદ તેને મુક્ત કર્યો હતો. ત્યારે આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે હનીટ્રેપની ફરિયાદ નોંધાઈ હતી. સાણંદના જમીન દલાલને હનીટ્રેપમાં ફસાવી એક કરોડ પડાવાયા હતા. ફોનમાં મહિલાએ મીઠી મીઠી વાતો કરી જમીનદલાલને સુરેન્દ્રનગર મળવા બોલાવ્યો હતો. તેના બાદ યુવતીના ઘરમાં ચાર યુવકો ઘૂસી ગયા હતા, અને જમીન દલાલને પિસ્તોલ બતાવીને તેનું અપહરણ કર્યું હતું. તેના બાદ યુવતી સાથેના વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. તેના બાદ રણકાંઠામાં લઈ જઈ અને રૂપિયા બે કરોડની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી પડાવી હતી. પોલીસે તેમની પાસેથી પિસ્તોલ, 69.30 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 72.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા એક કરોડ રૂપિયાના હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનાના આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાં એક મહિલા, તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક (અખિયાણા, પાટડી), સાહિલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક (માલવણ, પાટડી), આસિફખાન મોહબતખાન મલેક (અખિયાણા, પાટડી) નો સમાવેશ થાય છે. આ ગુનામાં અરબાઝખાન હયાતખાન મલેક (અખિયાણા, પાટડી) અને અમન (ઇંગરોડી, લખતર) નામના બે આરોપીઓને પકડવાના બાકી છે. પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં 69,30,000 રૂપિયા રોકડા, પાંચ મોબાઇલ ફોન (કિંમત 1,10,000 રૂપિયા), એક અલ્ટો ગાડી (કિંમત 2,00,000 રૂપિયા), એક પિસ્તોલ (કિંમત 10,000 રૂપિયા) અને એક જીવતો કાર્ટીસ (કિંમત 100 રૂપિયા) નો સમાવેશ થાય છે. આમ, કુલ 72,50,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. *બાયટ :- જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડગલુ* *{ સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા દ્વારા}*1
- ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં આજે હુસેન સલીમભાઈ પઠાણ નામના યુવક ઉપર પૈસાની લેતીદેતી મામલે કેટલાક ઈસમો દ્વારા શિક્ષણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેને લઇ યુવકને ગંભીર હાલે તે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત નીપજ્યું, બનાવના પગલે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, બનાવના પગલે પોલીસ કાફ્લો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી.1
- જય અખંડ ધણી1
- સુરેન્દ્રનગર સુખાકારી સાથે સુરક્ષા ને વરેલી ભાજપ સરકાર1
- બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આંગણવાડી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવી જે અંતર્ગત વહીયા ગામે આંગણવાડી કેન્દ્ર નં. 2 નું CSR ફંડ દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું અને પ્રાંત અધિકારી બરવાળા ના હસ્તે ઉદ્ઘાટન કરાયું. ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંક, બોટાદના CSR સહયોગથી આંગણવાડી કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ સાથે સુધારણા કરવામાં આવ્યા છે, જેથી ગામના બાળમંદિરના બાળકો તથા માતાઓને વધુ સારો અને સુવિધાયુક્ત માહોલ ઉપલબ્ધ થશે. આ નવીનીકૃત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન આજે માનનીય પ્રાંત અધિકારી બરવાળા શ્રી એસ. વી. ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીશ્રીએ આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરી બાળ વિકાસ અને પોષણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી સ્ટાફ, બેંકના પ્રતિનિધિઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકરણથી ગામના નાનાં બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1