Shuru
Apke Nagar Ki App…
નિઝર તાલુકાના રાયગઢ ખાતે ગણેશજીની ભક્તિભેર સ્થાપના રાયગઢ ગામના નિશાળ ફળિયામાં નવયુવક મહાદેવ ગ્રુપ દ્વારા ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસભેર સ્થાપના કરવામાં આવી હતી.
Suhas valvi Tapi
નિઝર તાલુકાના રાયગઢ ખાતે ગણેશજીની ભક્તિભેર સ્થાપના રાયગઢ ગામના નિશાળ ફળિયામાં નવયુવક મહાદેવ ગ્રુપ દ્વારા ગણેશજીની મૂર્તિની હર્ષોલ્લાસભેર સ્થાપના કરવામાં આવી હતી.
More news from ગુજરાત and nearby areas
- માછલીઘરની બનાવટ અને એનો વ્યવસ્થાપન અંગે કૌશલ્યવર્ધન હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ યોજાઈ1
- વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? તાપીમાં વ્યારા ખાતે આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી દ્વારા મહિલાઓની સમસ્યાઓ બનનારી ફિલ્મ ગણિકા કોના વાંકે.. ? પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં એક સ્ત્રીની વાર્તા છે જેમાં સ્ત્રીને અનુલક્ષીને ફિલ્મ બનાવવામાં આવશે. આ ફિલ્મનું શુટિંગ વ્યારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવશે. નારી કેન્દ્રીત ગણિકા કોના વાંકે...? ફિલ્મમાં ભરૂચના અંકલેશ્વરની ખુશ્બુ વસાવા પહેલી વખત મુખ્ય ભૂમિકા ભજવશે. તાપી જિલ્લામાં સૌ પ્રથમવાર અને તે પણ આદિવાસી મહિલા પ્રોડ્યુસર સ્નેહા ચૌધરી પહેલી વખત ફિલ્મ નિર્માતા તરીકે પગલું ભર્યું છે અને જેમાં પોતાની પહેલી ફિલ્મ મહિલાઓ પર કેન્દ્રિત ગણિકા કોના વાંકે..? બનાવવા ટૂંક સમયમાં શુટિંગ હાથ ધરવામાં આવશે. અને આગામી વર્ષે 2027 માં ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ત્યારે આદિવાસી મહિલા પ્રોડ્યુસર અને કલાકારો દ્વારા નિર્માણ થનાર આ ફિલ્મને લઈને આગામી દિવસોમાં લોકોમાં ખાસ્સી ઉત્સુકતા જાગી છે. 2027 માં આ ફિલ્મ જ્યારે રિલીઝ કરવામાં આવશે ત્યારે મહિલાને કેન્દ્રબિંદુમાં રાખીને બનનારી ગણિકા કોના વાંકે..? ફિલ્મ દરેક મહિલાઓ તો ખાસ જોવી જ રહી... #followers #tapidistrict #vyara #tapimovie #ganikakonavake1
- છોટાઉદેપુર :જેતપુરપાવીમાં બાયપાસના સર્વે સામે ગ્રામજનોનો આક્રોશ ખેડૂતો-વેપારીઓની મિલકતો અને કબ્રસ્તાનની જમીન રૂટમાં આવતી હોવાનો આક્ષેપ; સર્વે તાત્કાલિક બંધ કરવાની માંગ જેતપુરપાવી: જેતપુરપાવી ખાતે નવા બાયપાસના નિર્માણને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી રહેલા સર્વે સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. બાયપાસના પ્રસ્તાવિત રૂટમાં ખેડૂતોની જમીન, વેપારીઓની મિલકતો તેમજ મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની જમીન આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કરતાં સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વિકાસના નામે સ્થાનિકોની જમીન અને મિલકતોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ખેડૂતોની રોજીરોટી, વેપારીઓના ધંધા અને ધાર્મિક સ્થળની જમીનને અસર થાય તેવો રૂટ મંજૂર કરવામાં આવે તો સ્થાનિકોમાં અસંતોષ વધુ ઉગ્ર બની શકે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અસરગ્રસ્ત લોકોની સંમતિ અને યોગ્ય રજૂઆતોને ધ્યાનમાં લીધા વિના સર્વેની કામગીરી આગળ વધારવી અન્યાય સમાન છે. સ્થાનિકોની માંગ છે કે, બાયપાસના રૂટ અંગે પારદર્શક રીતે માહિતી જાહેર કરવામાં આવે અને તમામ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવે. ગ્રામજનોએ સર્વેની કામગીરી તાત્કાલિક અટકાવી બાયપાસના પ્રસ્તાવિત રૂટની ફરીથી સમીક્ષા કરવાની માંગ કરી છે. સાથે જ, ખેડૂતો, વેપારીઓ અને કબ્રસ્તાનની જમીનને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક રૂટ અંગે વિચારણા કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો તેમની માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાલ ગ્રામજનોનો સ્પષ્ટ સંદેશ છે કે, વિકાસ જોઈએ, પરંતુ સ્થાનિકોના હક અને મિલકતોના ભોગે નહીં. – ઇમરાન મિર્ઝા1
- જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન જાંબુઘોડા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ અને તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા. 17/9/2026 ના રોજ . મંડળ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય, જનસેવા અને આધ્યાત્મિકતાને સાંકળતા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં બપોરે ૩:૦૦ કલાકે માનવસેવાના ઉત્તમોત્તમ કાર્યરૂપે તાલુકા પંચાયત કચેરી હોલ, જાંબુઘોડા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક નાગરિકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં રક્તદાન કરશે. સાંજે ૫:૦૦ કલાકે નાગરિકોને સરકારી યોજનાઓનો સીધો લાભ સ્થળ પર જ મળી રહે તે હેતુથી ગાંધીભવન હોલ, જાંબુઘોડા ખાતે 'સેવાસેતુ' કાર્યક્રમ યોજાશે. વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહીને પ્રજાજના પ્રશ્નો અને અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરશે તેમજ રાત્રે ૭:૦૦ કલાકે પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાથના અર્થે નિલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ તેમજ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી, જાંબુઘોડા મંડળ તેમજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લે તે માટે ના આયોજન ને લઇ આજ રોજ તાલુકા પંચાયત હોલ ખાતે મિટિંગ કરવામાં આવી હતી4
- શિનોર તાલુકાના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન થતા ખુશી જોવા મળી. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું શિનોરના કુકસ ગામે ગણપતિ બાપાનું ભવ્ય આગમન શિનોર તાલુકાના કુકસ ગામે ગણેશોત્સવને લઈને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કુકસના નાયાજી મંદિરથી ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપાની ભવ્ય આગમન યાત્રા યોજાઈ હતી. કુકસ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગણપતિ બાપાની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભક્તોએ ઉત્સાહભેર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું. સમગ્ર કુકસ ગામ ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.4
- ભરૂચ રેલવે સ્ટેશન પરથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો વિજિલન્સ અને GRPની સંયુક્ત કાર્યવાહી, દારૂની પેટીઓ સહિતનો મુદ્દામાલ કબજે ટ્રેન મારફતે દારૂ ભરૂચ લવાતો હોવાની પ્રાથમિક માહિતી દારૂ સપ્લાય કરતા ઈસમો ઝડપાયા, સપ્લાય નેટવર્ક અંગે તપાસ શરૂ1
- કડોદરા GIDC પોલીસની અનોખી પહેલ: ગણેશ મંડપો પાસે ટ્રાફિક જાગૃતિના બેનરો લગાવી લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કડોદરા GIDC પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ગણેશોત્સવ દરમિયાન લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ આવે તે હેતુથી અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસ દ્વારા વિવિધ ગણેશ મંડપો પાસે ટ્રાફિક નિયમન અંગેના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા ગણેશ મંડપોમાં દર્શન અને આરતી માટે આવતા ભક્તો તેમજ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજ આપવામાં આવી રહી છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ કરે અને કારચાલકો સીટ બેલ્ટ પહેરે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, વાહનો નિયત જગ્યાએ પાર્ક કરવા તેમજ માર્ગ પર અવરજવર કરતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અગવડ ન પડે તે રીતે વાહન ચલાવવા અંગે પણ પોલીસ દ્વારા સમજ આપવામાં આવી રહી છે. ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મંડપો અને જાહેર સ્થળોએ એકત્ર થતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. કડોદરા GIDC પોલીસની આ પહેલનો મુખ્ય હેતુ માત્ર ટ્રાફિક નિયમોનો અમલ કરાવવાનો નહીં, પરંતુ લોકોમાં સ્વયંભૂ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ભાવના વિકસાવવાનો છે. પોલીસ દ્વારા તમામ ગણેશ મંડપો ખાતે બેનરો-પોસ્ટરો લગાવી લોકોને સુરક્ષિત વાહનચાલન અને ટ્રાફિક શિસ્ત અંગે સતત સમજ આપવામાં આવી રહી છે.1
- તાપી જિલ્લા માં નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી, આત્મનિર્ભરતાની નવી કેડી તાપી જિલ્લાના બોરખડી ગામના મહિલા કારીગર જયશ્રીબેન.. નાળિયેરના રેસામાંથી ગણેશ મૂર્તિ બનાવી વ્યારાની જયશ્રીબેને કંડારી આત્મનિર્ભરતાની નવી કેડી.. ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી પહોંચી રહી છે..#tapidistrict #vyara #ecofriendly friendly1