પાટણમાં રૂ. 21 લાખના ખર્ચે નવા નાળા અને આરસીસી રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. છેલ્લા બે વર્ષથી ઠેરના ઠેર રહેલી ગટરની ગંભીર સમસ્યાને લઈને તેમણે નગરપાલિકા તંત્રની નકામી કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ચીફ ઓફિસરના દાવાઓને ધારાસભ્યએ સ્થળ પર જ ખોટા સાબિત કરી દીધા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકા તંત્રને આગામી ગુરુવાર સુધીમાં ગટરની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં કોઈ સંતોષકારક કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આ સાથે જ તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે, જો સમસ્યા નહીં ઉકેલાય તો ગટરનું ગંદુ પાણી ટેન્કરમાં ભરીને લાવવામાં આવશે અને નગરપાલિકાના સત્તાધીશો પર છાંટવામાં આવશે. ધારાસભ્યએ નગરપાલિકાના જવાબદારોને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, "તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી લો, પરંતુ વિરોધ તો ચોક્કસ થશે જ." ધારાસભ્યના આ આકરા અને આક્રમક વલણથી પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઈ છે. હવે સમગ્ર પંથકના લોકોની નજર એ વાત પર ટકેલી છે કે પાલિકા તંત્ર આ આપેલા અલ્ટીમેટમ મુજબ સમયસર કાર્યવાહી કરે છે કે કેમ.
પાટણમાં રૂ. 21 લાખના ખર્ચે નવા નાળા અને આરસીસી રોડના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલ ભારે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. છેલ્લા બે વર્ષથી ઠેરના ઠેર રહેલી ગટરની ગંભીર સમસ્યાને લઈને તેમણે નગરપાલિકા તંત્રની નકામી કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ચીફ
ઓફિસરના દાવાઓને ધારાસભ્યએ સ્થળ પર જ ખોટા સાબિત કરી દીધા હતા. ધારાસભ્ય કિરીટ પટેલે નગરપાલિકા તંત્રને આગામી ગુરુવાર સુધીમાં ગટરની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું કડક અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે ચેતવણી આપી છે કે જો નિયત સમયમર્યાદામાં કોઈ સંતોષકારક કામગીરી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન
છેડવામાં આવશે. આ સાથે જ તેમણે રોષપૂર્વક જણાવ્યું હતું કે, જો સમસ્યા નહીં ઉકેલાય તો ગટરનું ગંદુ પાણી ટેન્કરમાં ભરીને લાવવામાં આવશે અને નગરપાલિકાના સત્તાધીશો પર છાંટવામાં આવશે. ધારાસભ્યએ નગરપાલિકાના જવાબદારોને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, "તમારે જે ફરિયાદ કરવી હોય તે કરી લો, પરંતુ વિરોધ
તો ચોક્કસ થશે જ." ધારાસભ્યના આ આકરા અને આક્રમક વલણથી પાલિકા તંત્રના અધિકારીઓ તેમજ સત્તાધીશોમાં ભારે દોડધામ મચી ગઈ છે. હવે સમગ્ર પંથકના લોકોની નજર એ વાત પર ટકેલી છે કે પાલિકા તંત્ર આ આપેલા અલ્ટીમેટમ મુજબ સમયસર કાર્યવાહી કરે છે કે કેમ.
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં UGVCLની ચોથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં જલીયાણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના બાકી વીજ બિલ ભરીને એક ઉત્કૃષ્ટ અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. વીજ બિલ બાકી હોવાના કારણે જે ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, તેમના બાકી નાણાં લોક અદાલતના માધ્યમથી ચૂકવીને જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર અને નિલેશભાઈ ઠક્કર દ્વારા આ પરિવારોના ઘરોમાં ફરી અજવાળું પાથરવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. હારીજ કોર્ટ ખાતે યોજાયેલી આ ચોથી લોક અદાલત અંતર્ગત કુલ ૧૪૩ ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી હાજર રહેલા ૬૦ ગ્રાહકો સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરીને તેમના રૂ. ૧.૪૩ લાખના બાકી નાણાં જલીયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લાંબા સમયથી બિલ ન ભરી શકતા ગ્રાહકો પર વ્યાજ અને પેનલ્ટીનો મોજ વધી જાય છે અને UGVCL દ્વારા કેસ તથા નોટિસો જારી કરાય છે, ત્યારે દર ત્રણ મહિને યોજાતી આ લોક અદાલતમાં સમાધાન પ્રક્રિયા દ્વારા દંડ અને પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપવામાં આવે છે. જલીયાણ ગ્રુપ દ્વારા આ અગાઉ યોજાયેલી ત્રણેય લોક અદાલતોમાં પણ આ જ પ્રકારે ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. અગાઉ ૧૧ જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૬૦ ગ્રાહકોના રૂ. ૧.૪૦ લાખ, ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અદાલતમાં ૪૧ વીજ ગ્રાહકોના રૂ. ૩.૬૦ લાખ અને ૧૩ ડિસેમ્બરના રોજ ૯ ગ્રાહકોના રૂ. ૨૫ હજાર ચૂકવવામાં આવ્યા હતા. આમ, ચોથી લોક અદાલતના રૂ. ૧.૪૩ લાખ સહિત ચારેય તબક્કામાં કુલ મળીને અંદાજે રૂ. ૮ લાખ જેટલી માતબર રકમ ચૂકવીને જરૂરિયાતવાળા પરિવારોના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.4
- વાવ થરાદના સનેસડા ગામે નાયબ DPO કે કે પટેલ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમણે સનેસડા ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપીને માહિતગાર કર્યા હતા.2
- બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.4
- વાવ થરાદના સવુપુરા ગામે નકળ ધામે યોજાયેલા ઠાકોર સમાજના સંમેલનમાં માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા. આ સંમેલન દરમિયાન માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે લોકોના આશીર્વાદ લીધા હતા.1
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માનાવાડા ગામમાં વરસાદના પાણીના નિકાલની સમસ્યાથી ગ્રામજનો પરેશાન છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક લોકો દ્વારા સરપંચ અને તલાટીને કેટલીય વાર જાણ કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી આ બાબતે કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા હવે ગામના લોકોનું કહેવું છે કે જો ગામના સરપંચ અને તલાટીને બદલવામાં આવે, તો જ ગામનો વિકાસ થશે.1
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિકાસ અને સંગઠનને મજબૂત કરવા માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- Post by Pankaj Parmar1