Shuru
Apke Nagar Ki App…
મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
E Kranti News
મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice
More news from ગુજરાત and nearby areas
- મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice1
- છોટાઉદેપુર કલેક્ટરને જંગલ જમીનના પ્રશ્ને આવેદનપત્રો અપાયા જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં હજુ સુધી નકશા નોંધાયા નથી તેમજ વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જંગલ જમીન અંગે ખેડૂતોને સંતોષકારક કબજો ન મળ્યો હોવાના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ રહેલી વન અધિકારની ફાઈલોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે અને ખેડૂતોના હક-અધિકારોને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પેન્ડિંગ દાવાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા લોક સંગઠન દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. 20 વર્ષથી પેન્ડિંગ જંગલ જમીનના દાવાઓનો નિકાલ કરો, નહીં તો ખેડૂતો આંદોલન કરશે1
- good morning sir BHIl Vishnubhai Kalidas भील विष्णुभाई कालिदास hii1
- હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું હાલોલ નગરમાં ઈદે મિલાદુન્નબીની આણંદ ઉત્સાહના વાતાવરણમા ઉજવણી કરાઇ,નગરમા ભવ્ય જુલૂસ નીકળ્યું ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પયગંબર હજરત મુહમ્મદ (સ.અ.વ.) સાહેબના જન્મ દીન એટલે ઈદે મિલાદુન્નબીની ઉજવણી આજે બુધવારના રોજ હાલોલ નગર ખાતે ભારે ધાર્મિક વાતાવરણમા આનંદ ઉત્સાહથી કરવામા આવી હતી.હાલોલ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરના વિવિધ વિસ્તારોને રંગારંગ રોશની કરી ઝગમગતું કર્યું હતું.અને નગરની વિવિધ મસ્જિદોમાં ૧૧ દિવસ સુધી મહેફિલે મિલાદનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જ્યારે આજે બુધવાર ના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ હાલોલ નગરના મુસ્લીમોમાં ભારે ઉત્સાહ સાથે બિરાદરો અને બાળકોએ અવનવા પોશાક પેહરી ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.જ્યારે આ ઉજવણી ને લઇ હાલોલ નગરના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતેથી ભવ્ય જુલૂસ નીકળ્યું હતું.જે નગરના કસ્બા હુસેની ચોક,રહીમ કોલોની,ખોખર ફળીયા, કરીમ કોલોની,૧૦૧ કોલોની,૫૧ કોલોની,કોથીફલિયા,બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ,મહમદ સ્ટ્રીટ,કુંભાર વાળા,મોઘાવાલા,ઘોડાપીરની દરગાહ,બોમ્બે હાઉસ થઇ પરત લીમડી ફળિયા ખાતે પહોચ્યું હતું અને સલાતો સલામ બાદ નિયાઝ લંગર તકસીમ કરવામાં આવ્યું હતું.જ્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણીને લઈ નગરમાં ઠેર ઠેર પાણી તેમજ દૂધ કોલ્ડ્રિંક તેમજ વિવિધ ખાણીપીણી ની છબિલો લાગી હતી અને આવનારા તમામ લોકોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે નગરના વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક માહોલમાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરી હતી.1
- દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લાના અંતેલા PHC ખાતે પરિવાર નિયોજન સેવાઓને વધુ સુદૃઢ અને અસરકારક બનાવવા માટે સંયુક્ત મુલાકાત અને સમીક્ષા કરાઈ આજે તારીખ 27/08/2026 ગુરુવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ગુજરાત રાજ્ય NHMના પરિવાર નિયોજન સલાહકાર ડૉ. દેવેશ ત્રિપાઠીએ PSI ઇન્ડિયાની ટીમ સાથે અંતેલા PHCની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન પરિવાર નિયોજનને લગતા રેકોર્ડ, લાભાર્થીઓને આપવામાં આવતી કાઉન્સેલિંગ સેવા, જરૂરી સાધનો અને સામગ્રીની ઉપલબ્ધતા તેમજ આરોગ્ય કેન્દ્રની સેવા માટેની સજ્જતા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મળેલા નિરીક્ષણ અને માહિતીના આધારે આરોગ્ય કેન્દ્રના સ્ટાફને પરિવાર નિયોજન સેવાઓની ગુણવત્તામાં વધુ સુધારો લાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દાહોદની SDH ખાતે જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે પરિવાર નિયોજન સેવાઓ અંગે સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પરિવાર નિયોજન સેવાઓને વધુ વિસ્તૃત બનાવવા અને લોકોને ગુણવત્તાયુક્ત સેવાઓ સમયસર મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરિવાર નિયોજન સેવાઓને વધુ મજબૂત બનાવી આરોગ્ય કેન્દ્ર કક્ષાએ યોગ્ય માર્ગદર્શન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે આ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાઈ હતી.1
- જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કાલોલ પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેકશન કરાયુ. તેમજ લોકદરબાર યોજાયો લોકો સાથે સીધો સંવાદ. જિલ્લા પોલીસ અધિક્ષક ડો હરીશ દુધાત દ્વારા આજ રોજ કાલોલ પોલીસ સ્ટેશન નું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક નવીન આહિર તેમજ પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઈ એમ આર મોહનીયા તથા પીએસઆઇ એસ આર મકવાણા હાજર રહ્યા હતા .જિલ્લા પોલીસ અધિક્ષકને પી આઈ આર ડી ભરવાડ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતુ ત્યાર બાદ પોલીસ સ્ટાફ દ્વારા પરેડ કરવામા આવી હતી જેનુ પોલીસ અધિક્ષક દ્વારા નિરીક્ષણ કરવામા આવ્યુ હતું ત્યારબાદ પોલીસ સ્ટેશન નું વાર્ષિક ઈન્સપેકસન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તમામ પોલીસ કર્મચારીઓનું સ્વાસ્થ્ય અને ગણવેશ નું નિરીક્ષણ કરવામા આવ્યુ હતુ અને તમામ રેકર્ડ ની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપી હતી.ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાલોલ નાયબ પોલીસ અધિક્ષક નવિન આહિર, એલસીબી પીઆઈ, કાલોલ પીઆઈ આર.ડી. ભરવાડ અને પીએસઆઇ આર એમ મોહનીયા, પીએસઆઇ એસ.આર.મકવાણા સહિત પોલીસ કર્મચારીઓ તેમજ કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ,કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા અને કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ સહિત આજુબાજુ ગામના સરપંચ અને તાલુકા તેમજ કાલોલ શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાતે જણાવ્યું કે કાલોલ સાયબર ક્રાઈમથી સાવધ રહેવા, ડી.જે.ના ઉપયોગમાં સરકારી ગાઈડલાઈન અનુસરવા અને ગેરકાયદેસર નાણાં ધિરાણ કરતા ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, બહાર ગામ જતા સમયે કિંમતી ઘરેણાં ઘરમાં ના રાખવા તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના, અટલ પેન્શન યોજના નો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરાયો હતો જ્યાં આ લોક સંવાદ સેતુમાં કાલોલ વિસ્તારના બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં નાગરિકોએ કાલોલ ભાથીજી મંદિર પાસેના દબાણો, પોલીસ મહેકમ વધારવા, પકડાયેલા ભંગાર વાહનો,આઉટ પોસ્ટ ની સંખ્યા વધારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા પોલીસ-પ્રજા વચ્ચે સીધો સંવાદ સ્થપાયો હતો.4
- વરસાદી વિરામ બાદ બાલંબા ગામે મચ્છરોના ઉપદ્રવ વધતા ગામના લોકો ડેંગ્યુ મલેરિયા, સાદો તાવનો શિકાર બન્યા, સાત લોકોઓના ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ, બાલંબા ડેપ્યુટી સરપંચે કુકરમુંડા તાલુકા આરોગ્ય અધિકારીને જાણ કરતા આરોગ્યની ટીમ તાત્કાલિક ગામમાં પહોંચી તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતું બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ વાતાવરણમાં આવેલ પલટા અને ગામમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે.જેને પગલે ગામના લોકો ડેન્ગ્યુ, મલેરિયા અને સાદા તાવનો શિકાર બન્યા છે. લોકોઓ બીમાર પડતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. આ ગામના સાત જેટલા દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી લેબોરેટરી ટેસ્ટ કરાવતા તેઓના ડેંગ્યુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. બીજી તરફ ઘણા રહીશો મલેરિયા, સાદો તાવનો શિકાર પણ બન્યા છે. આ બાલંબા ગામમાં વરસાદના વિરામ બાદ નિર્માણ થયેલી બીમારીની ગંભીર પરિસ્થિતિ અંગે બાલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ મુન્ના ઉર્ફે મહેશભાઈ વસાવા દ્વારા કુકરમુંડા તાલુકા આરોગ્ય વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ગામમાં તાત્કાલિક તાલુકા આરોગ્ય વિભાગની ટીમ આ ગામમાં પહોંચી હતી. આરોગ્ય સ્ટાફ દ્વારા ગામના જાહેર સ્થળો, પાણીના ભરાયેલા ખાડાઓ તેમજ ઘરોની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. બીજી તરફ બીમાર લોકોનું ચેકઅપ કરીને જરૂરી મેડિસિનનું વિતરણ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.1
- છોટાઉદેપુરમાં જંગલ જમીનના પ્રશ્ને ખેડૂતોની કલેક્ટરને રજૂઆત, 20 વર્ષથી પેન્ડિંગ દાવાઓના નિકાલની માંગ છોટાઉદેપુર જિલ્લામાં જંગલ જમીન ખેડતા ખેડૂતોના વર્ષોથી પડતર પ્રશ્નોને લઈને લોક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વર્ષ 1980ની મર્યાદામાં મળેલી જંગલ જમીનના 7/12માં નકશા નોંધ, વર્ષ 2005-06ના વન અધિકાર અધિનિયમ હેઠળ મળેલી જમીનનો કબજો અને છેલ્લા અંદાજે 20 વર્ષથી પેન્ડિંગ વન અધિકારની ફાઈલોનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. #ChhotaUdepur #ChhotaudepurNews #ForestLand #VanAdhikar #Khedut #GujaratNews #EkrantiNews #ગુજરાતસમાચાર #છોટાઉદેપુર1