Shuru
Apke Nagar Ki App…
શેરપુરા વિસ્તાર. ધાનેરા ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..
Solanki prakash
શેરપુરા વિસ્તાર. ધાનેરા ધાનેરા શેરપુરા વિસ્તાર માં આજે કેટલાય મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાય છે.. કોઈ સાફ સફાઈ કરવામાં આવતી નથી.. અનેક વખત રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવામાં આવતા નથી... જો જલ્દી થી સાફ સફાઈ કરવામાં નહીં આવે તો... ભયાનક રોગચાળો ફાટી નીકળી શકે છે..
More news from Banas Kantha and nearby areas
- ગુજરાતમાં આરોગ્ય વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અંગે ભાજપના જ સુરતના ધારાસભ્યએ ગતરોજ વિધાનસભામાં પોતાની વેદના ઠાલવી હતી. 🔹વિકાસની મોટી મોટી વાતો અને વિકાસનો દુષ્પ્રચાર કરી લોકોને છેતરવાના કામો કરતી1
- સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ ખાતે આનંદ મેળો યોજાયો.1
- ખેડબ્રહ્મા સહિત સાબરકાંઠાના વાતાવરણમાં નોંધાયો પલટો1
- MSP મુજબ ધાન્ય ખરીદીના નિર્ણય અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે ચણા અને રાયની ટેકાના ભાવેથી ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો આ ખરીદી ૨૩ માર્ચથી શરૂ થશે. ચણા માટે ૧૬૫ કેન્દ્રો અને રાય માટે ૬૦ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. કુલ ૨.૬૮ લાખથી વધુ ખેડૂતો ચણા માટે અને આશરે ૩૭ હજારથી વધુ ખેડૂતો રાય માટે નોંધણી કરાવી ચૂક્યા છે. ચણાનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૧૭૫ /- રૂપિયા અને રાયનો ૧ મણ નો ટેકાનો ભાવ ૧૩૦૦/- રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.1
- આજ રાત્રે 3, 20કલાકે વાગ્યે સાંતલપુર તાલુકાના વાઘપુરા ગામમાં અતિભારે વરસાદ અને પવન ફૂંકાયો એના કારણે ખેડૂતો એ કરેલ ઇસબગુલ ની ખેતી માં બધું જીરું ખરી ગયું ખેડૂતો ને ભારે નુકસાન થયું સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી એ છીએ4
- હવામાન વિભાગ દ્વારા 19 થી 21 તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આપેલા આગાહી ના પગલે પોશીના તાલુકામાં વહેલી સવારથી તેજ પવનની સાથે વાતાવરણમાં પલટો આવતા તેમજ ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા વરસાદની સંભાવના લય ખેડૂતોમાં દોડધામ બચી જવા પામેલ1
- પ્રસિદ્ધ યાત્રાધામ અને નાના અંબાજી તરીકે ખ્યાતનામ ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં ગુરુવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. સવારે 6.30 કલાકે પ્રાતઃ મંગલા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7.15 થી 8.30 સુધી વિધિ વિધાન સાથે ઘટ સ્થાપન વિધિ સંપન્ન થઈ. આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના ટ્રસ્ટીઓ અને પૂજારી દ્વારા શ્રી યંત્રને 25 લીટર ગાયના દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પૂજા વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ. દેવી અંબિકાની નવે નવ દિવસ ઘટ સ્થાપન આગળ જ વિશેષ પૂજા કરવામાં આવશે. જવારા સહિત માતાજીની નવ દિવસ સુધી પૂજા-આરાધના કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીને લઈ માતાજી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. એકમથી નોમ સુધી ચૈત્રી નોરતામાં ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે માતાજી સમક્ષ જવારા વાવવામાં આવ્યા હતા.4
- વિજાપુર: હિંમતનગરથી વતન જતા દરમિયાન ઇક્કોમાં બેઠેલા અજાણ્યા ચોરોએ રૂ. ૫.૨૦ લાખના સોના-ચાંદીના દાગીના તથા રોકડની ચોરી મહેસાણા જિલ્લાના વિજાપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક અજાણ્યા ચોરોએ ઈકોમાં બેઠેલા પરિવારની નજર ચુકાવીને મોટા પ્રમાણમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી લીધી હતી. આ ઘટના ગત ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બપોરના આશરે ૩ વાગ્યાના સુમારે હિંમતનગર મહેતાપુરા થી આનંદપુરા ચોકડી વચ્ચેના રસ્તા પર બની હતી. ફરિયાદીએ આજે (૧૭ માર્ચ ૨૦૨૬) આજરોજ આ ચોરોને રસ્તા પર ઓળખીને પોલીસને જાણ કરી હતી. ફરિયાદી સંદીપસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉં. ૩૫) રહે. હિંમતનગર, મહેતાપુરા વિસ્તારે રહે છે અને તેઓ એક ખાનગી કંપનીમાં માર્કેટિંગની નોકરી કરે છે. તેઓ પત્ની તથા નાના દીકરા સાથે હિંમતનગરથી મૂળ વતન ગેરીતા (તા. વિજાપુર) જવા નીકળ્યા હતા. તેમણે પોતાના તથા પરિવારના સોના-ચાંદીના દાગીના એક થેલીમાં મૂકીને ઇક્કો ગાડીમાં મુસાફરી કરી હતી. ગાડીમાં તેઓ તથા પત્ની વચ્ચેની સીટ પર બેઠા હતા અને બે અજાણ્યા ઇસમો પણ બેઠા હતા. આનંદપુરા ચોકડી પાસે ઉતર્યા બાદ પ્રાઇવેટ વાહનથી વતન ગેરીતા પહોંચ્યા. બીજા દિવસે થેલી ખોલી તપાસ કરતાં દાગીના તથા રોકડ ગાયબ હોવાનું જણાયું. ચોરોએ નજર ચુકાવીને થેલીમાંથી સોનાના બુટ્ટી, ચુની, વિંટી, ઓમ, પેન્ડન્ટ તથા ચાંદીના છરા, વેટલા, કડા, લક્કી વગેરે ચોરી લીધા હતા. આ ઉપરાંત રોકડ રૂ. ૨૭,૦૦૦/- તથા બે બેંકના એ.ટી.એમ. કાર્ડ પણ ગુમ થયા હતા. કુલ નુકસાનીની રકમ રૂ. ૫,૨૦,૭૦૦/- આંકવામાં આવી છે. ફરિયાદીએ તે સમયે તાત્કાલિક ફરિયાદ ન કરી હતી, પરંતુ આજે રસ્તા પર ચોરોને ઓળખતા પોલીસને જાણ કરી અને તેમને સ્ટેશન ખાતે લાવીને ફરિયાદ નોંધાવી હતી. વિજાપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૩૦૩(૨), ૫૪ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તપાસનો હવાલો પો.સબ.ઇન્સ્પેક્ટર રવિદસિંહ રાયસિંહ બારીયાને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપવા માટે તપાસ હાથ ધરી છે અને ફરિયાદીના પરિવારના સભ્યો તથા સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે.1
- આજના ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગના બાળકો મોબાઈલ અને ગેજેટ્સ પાછળ સમય વિતાવે છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક શહેર ઈડરના એક સાડા ત્રણ વર્ષના બાળકે પોતાની વિલક્ષણ પ્રતિભાથી સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર ૩.૫ વર્ષની વય ધરાવતા કાર્તિક વિકાસકુમાર મોટવાણીએ સંસ્કૃત શ્લોકોના સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ પઠન દ્વારા 'નેશનલ રેકોર્ડ' સ્થાપિત કર્યો છે. ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન કાર્તિકની અદભૂત યાદશક્તિ અને એકાગ્રતાની નોંધ લેતા 'ચાઈલ્ડ ડ્રીમ બૂસ્ટર હબ બુક ઓફ રેકોર્ડ્સ' દ્વારા તેને સત્તાવાર રીતે નેશનલ રેકોર્ડ હોલ્ડર જાહેર કરવામાં આવ્યો છે. કાર્તિકે માત્ર ૩ મિનિટના અત્યંત ટૂંકા ગાળામાં સંસ્કૃતના ૭ જટિલ શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પઠન કર્યું હતું, જે જોઈને રેકોર્ડ બુકના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ધાર્મિક ગ્રંથોમાં અગાધ રુચિ પરિવારજનોના જણાવ્યા અનુસાર, ૦૬ માર્ચ ૨૦૨૬ના રોજ આ સિદ્ધિને સત્તાવાર મહોર લાગી હતી. કાર્તિક માત્ર શ્લોકો જ નહીં, પણ રામાયણ, મહાભારત અને શિવ પુરાણના કઠિન અંશો તેમજ હનુમાન ચાલીસા પણ મુખપાઠ બોલે છે. પિતા વિકાસભાઈ અને માતા રિતિકાબેન મોટવાણીએ જણાવ્યું હતું કે, કાર્તિકને નાનપણથી જ ધાર્મિક મંત્રો અને શ્લોકો સાંભળવામાં વિશેષ રુચિ હતી, જેને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં આવ્યો છે. પરિવાર અને શહેરમાં ખુશીનો માહોલ નાનકડા કાર્તિકની આ સફળતાને પગલે તેના નાની મીનાબેન અને કાજલબેન સહિત સમગ્ર મોટવાણી પરિવારમાં અને ઈડર શહેરમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરના આ 'લિટલ માસ્ટર'ની સિદ્ધિ એ સાબિત કરે છે કે જો બાળપણથી જ બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે, તો પ્રતિભા ઉંમરની મહોતાજ નથી હોતી. આ નાનકડા બાળકની સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાંથી તેના પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે અને લોકો તેના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી રહ્યા છે.2