ગોધરામાં સ્વચ્છતા મુદ્દે ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી કડક સૂચનાઓ આપી ગોધરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી નગરપાલિકા ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાનનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અટલ ઉદ્યાનથી શરૂ કરીને રામસાગર તળાવ અને શહેરા ભાગોળ જેવા મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરોને વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે અત્યંત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સફાઈ બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમિતપણે કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવશે. આ આકસ્મિક ચેકિંગ અને મુલાકાત સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમ હાજર રહી હતી. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી ગોધરા શહેરના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારોએ પણ જોડાઈને શહેરના વિકાસ અને લોકસુખાકારી માટે સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાર્વજનિક સ્થળો પર ગંદકી ન ફેલાય અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે સેનેટરી ઇન્સ્પેક્ટરોને જરૂરી માર્ગદર્શન અને આદેશો આપી કામગીરીમાં વેગ લાવવા તાકીદ કરવામાં આવી હતી.
ગોધરામાં સ્વચ્છતા મુદ્દે ચીફ ઓફિસર અને પદાધિકારીઓએ વિવિધ વિસ્તારોનું નિરીક્ષણ કરી કડક સૂચનાઓ આપી ગોધરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી નગરપાલિકા ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થળ મુલાકાત લઈને સ્વચ્છતા અભિયાનનું સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું
હતું. અટલ ઉદ્યાનથી શરૂ કરીને રામસાગર તળાવ અને શહેરા ભાગોળ જેવા મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરોને વિસ્તારની સ્વચ્છતા જાળવવા માટે અત્યંત કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સફાઈ બાબતે
કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમિતપણે કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવશે. આ આકસ્મિક ચેકિંગ અને મુલાકાત સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સેનેટરી ઇન્સ્પેક્ટરોની ટીમ હાજર રહી હતી. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી ગોધરા શહેરના પ્રમુખ, મહામંત્રી તેમજ અન્ય હોદ્દેદારોએ પણ
જોડાઈને શહેરના વિકાસ અને લોકસુખાકારી માટે સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાર્વજનિક સ્થળો પર ગંદકી ન ફેલાય અને કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે સેનેટરી ઇન્સ્પેક્ટરોને જરૂરી માર્ગદર્શન અને આદેશો આપી કામગીરીમાં વેગ લાવવા તાકીદ કરવામાં આવી હતી.
- કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં ગ્રામ પંચાયત પાસે ખુલ્લી જગ્યાએ રામાપીરના નવા મંદિર બનાવવા માટે સમગ્ર ગ્રામજનો સરપંચ અને ચૂંટાયેલા સભ્યો સહિત આજે કાલોલ મામલતદાર વિકાસ પટેલ ને રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારબાદ કાલોલ તાલુકા પંચાયત ખાતે ઈ. ટીડીઓ ને મળીને ગ્રામ પંચાયતના ઠરાવ સહિત મંદિર માટે ની જમીન માટે લેખીત રજૂઆત કરી હતી. સમગ્ર ગ્રામજનોની આસ્થા નવુ મંદિર ગ્રામ પંચાયત પાસે બને તેવી છે અને ગ્રામ પંચાયતના સભ્યો પણ ગ્રામજનો સાથે છે. અને બહુમતી લોકોની લાગણી અને માંગણી મુજબ આજ સ્થળે નવુ મંદિર નિર્માણ થાય તેવી જરૂરી દસ્તાવેજો સાથે અરજી રજુ કરી છે.તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂબરૂમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી કરવા માટે હકારાત્મક પ્રત્યુતર આપ્યો હોવાનું જાણવા મળ્યુ છે.1
- Post by Jasmin B Shah1
- સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં કારમાં લઇ જવાતો દેશી દારૂ સાથે કુલ મુદ્દામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- તથા ૦૨ આરોપીઓને ઝડપી પાડી પ્રોહિબીશનના કેસ શોધી કાઢતી મહીસાગર એલ.સી.બી. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી તથા I/C પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન તથા I/C પોલીસ અધિક્ષક વિકાસ યાદવ નાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા તેમજ પ્રોહિબીશનની અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને મહીસાગર એલ.સી.બી. પોલીસ ઇન્સ. એમ.કે.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો જિલ્લામાં અલગ અલગ જગ્યાએ પ્રોહી વોય તપાસમાં રહેલ. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલર ની ગાડીમાં દેશીદારૂ ભરી રાજસ્થાન તરફથી સંતરામપુર તરફ આવનાર છે જે માહિતી આધારે મહીસાગર એલ.સી.બી. સ્ટાફના માણસો સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોટાવાડા ગામની સીમમાં ખાનગી વાહનોમાં વોચમાં રહેલ જે દરમ્યાન બાતમી હકીકત વર્ણનવાળી ગાડી આવતા એલ.સી.બી. સ્ટાફના માણસોએ વાહનોની આડાશ કરી દેશી દારૂ ભરી જતી સફેદ કલરની ગાડી રોકી તેમાથી દેશી દારુ જથ્થો આશરે લીટર ૭૮ કિ. રૂ.૧૫,૬૦૦/- તથા સેવરોલેટ બીટ ગાડી સાથે કુલ મુદામાલ રૂ.૦૧,૬૫,૬૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓને ઝડપી સંતરામપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસ નોંધાવી કાયેદસરની કાર્યવાહી કરેલ છે. વિગત - પકડાયેલ આરોપીઓ - (૧) સાગર મહેન્દ્ર ચીખલીગર ઉ.વ.૩૨ ધંધો- ડ્રાઇવીગ રહે. સત્યપ્રકાશ સોસાયટી તા- સંતરામપુર, જી-મહિસાગર (૨) વિષ્ણુ રમણીકલાલ સોની રહે. કાદરી મસ્જીદ પાછળ સંતરામપુર તા- સંતરામપુર, જી-મહિસાગર જેમાં આ કામગીરી માં મહીસાગર જિલ્લા એલ.સી.બી. પો.ઇન્સ. એમ.કે.ખાંટ, પો.સ.ઇ. પી.એમ.મકવાણા, પો.સ.ઇ. કે.સી.સિસોદીયા, એ.એસ.આઇ. ભવાનજી બાલાજી, એ.એસ.આઇ. ક્રુષ્ણકુમાર રઘુનાથ, અહે.કો. ધર્મેશભાઇ રમણભાઇ, અ.પો.કો. કાર્તિકભાઈ મનુભાઈ, અ.પો.કો. ગીરીશભાઈ માનસિંગભાઈ, અ.પો.કો. સંદીપભાઇ ગજસિંહ, ડ્રા.હે.કો. દિનેશભાઇ તખતસિંહ ને મળી સફળતા. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.2
- મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના રાણીજીની પાદેડી ગામે રામદેવજી મહારાજના માટીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ડામોર સુરેશભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો.આ પ્રસંગે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તજનોએ સોનલ બૉ માતાજીના મુખેથી નીકળતી સંતવાણી અને ભજનોનો લાભ લીધો હતો, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. શિવરાત્રીના પર્વ નિમિત્તે ભજન અને સત્સંગ સાથે ભક્તજનોએ રામા બાપાના જમા જાગરણ જ્યોતના દર્શન કર્યા હતા. અને આરતીમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અલખ સાઉન્ડ બાકોર દ્વારા વાજિંત્રોનું સંચાલન કરવામાં આવ્યું હતું. મેનેજીંગ મણીલાલ ભજનીક કનુભાઈ ખાટ , જ્યારે જય ચહેર મૉ ઓમ શક્તિ અલખધામ બાકોર સોનલ બૉ રામદેવ મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠ તબલા વાદક મહેશભાઈ સંચાલન કર્યું હતું. સંત શ્રી સબુરદાસે કોટવાળ તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, બેનઝો પર સાથ આપતા રાકેશભાઈ અને અન્ય સૌ સોનલ બૉ ના ભક્તજનોએ પોતાનો સમય આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.1
- Post by Janshe Gujarat1
- ગુજરાતમાં બજેટ રજુ થતા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે બજેટને લોલીપોપ ગણાવી સરકાર પર પ્રહારો કર્યા1
- ગુજરાત રાજ્યનું આજે રજૂ થયેલ નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ગતિમાન અને સર્વાંગી વિકાસને વધુ વેગ આપનારું છે. ગુજરાત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધતું રહ્યું છે અને આ અંદાજપત્ર રાજ્યને “વિકસિત ગુજરાત” તરફ દ્રઢ પગલાં ભરવા માટે સશક્ત બનાવશે. #aimi midiya gujrati #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ1
- Post by Jasmin B Shah1