Shuru
Apke Nagar Ki App…
Charan Mukesh
More news from ગુજરાત and nearby areas
- Post by Charan Mukesh1
- ✌️🙏1
- *વિજાપુરમાં લોકશાહીનું પર્વ: 6 જિલ્લા, 23 તાલુકા બેઠકો અને 7 વોર્ડમાં મતદાન સંપન્ન* *વિજાપુર*: તા.26-04-2026ના રોજ વિજાપુરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 6 બેઠકો, તાલુકા પંચાયતની 23 બેઠકો અને નગરપાલિકાના 7 વોર્ડમાં મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી તંત્રના સાંજે 6 વાગ્યાના Tentative આંકડા મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાનનો અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. વિજાપુર નગરપાલિકાના 7 વોર્ડની ચૂંટણીમાં કુલ 70.14 ટકા મતદાન નોંધાયું હતું. નગરપાલિકાના 25,988 મતદારોમાંથી 18,229 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. વોર્ડ નંબર-5 એ 80.10 ટકા મતદાન સાથે સમગ્ર શહેરમાં અવ્વલ રહ્યો હતો જ્યાં 4,030 મતદારોમાંથી 3,228 મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા. આ વોર્ડમાં પુરુષ મતદાન 82.10 ટકા અને સ્ત્રી મતદાન 77.95 ટકા નોંધાયું હતું. વોર્ડ નંબર-3 માં 76.46 ટકા, વોર્ડ-4 માં 75.33 ટકા, વોર્ડ-7 માં 68.43 ટકા, વોર્ડ-2 માં 67.62 ટકા, વોર્ડ-6 માં 60.99 ટકા જ્યારે વોર્ડ-1 માં સૌથી ઓછું 56.72 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તારમાં પુરુષ મતદારો 72.45 ટકા સાથે મહિલા મતદારોના 67.71 ટકા કરતાં આગળ રહ્યા હતા. વિજાપુર તાલુકા પંચાયતની 23 બેઠકોની ચૂંટણીમાં એકંદરે 61.78 ટકા મતદાન થયું હતું. તાલુકાના કુલ 1,57,438 મતદારોમાંથી 97,264 મતદારોએ મત આપ્યા હતા. જેમાં પુરુષ મતદારોની ટકાવારી 63.81 ટકા અને મહિલા મતદારોની ટકાવારી 59.55 ટકા રહી હતી. તાલુકાની 23 બેઠકો હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારના ગામોમાં મતદાનનો ઉત્સાહ શહેરી વિસ્તાર કરતાં સરેરાશ 8 ટકા ઓછો જોવા મળ્યો હતો. હાલ તંત્ર દ્વારા તાલુકા પંચાયતની દરેક 23 બેઠકોના બુથવાર અને ગામવાર આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. મહેસાણા જિલ્લા પંચાયત હેઠળ આવતી વિજાપુર તાલુકાની 6 બેઠકો પૈકી વિજાપુર બેઠક પર 61.59 ટકા મતદાન નોંધાયું હતું. આ બેઠકના 30,826 મતદારોમાંથી 18,985 મતદારોએ મત આપ્યા હતા જેમાં પુરુષ મતદાન 64.09 ટકા અને સ્ત્રી મતદાન 59.05 ટકા રહ્યું હતું. વિજાપુર શહેર જિલ્લા પંચાયત બેઠક પર 57.55 ટકા મતદાન થયું હતું જ્યાં 30,846 મતદારોમાંથી 17,752 મતદારોએ મતાધિકાર વાપર્યો હતો. આ બેઠક પર પુરુષ મતદાન 60.04 ટકા અને સ્ત્રી મતદાન 55.05 ટકા નોંધાયું હતું. જિલ્લા પંચાયતની બાકીની 4 બેઠકોના આંકડા પણ જિલ્લાના કુલ 64.32 ટકા મતદાનમાં સામેલ છે પરંતુ બેઠકવાર નામ અને ગામવાર વિગતો હજુ સુધી તંત્ર દ્વારા જાહેર થઈ નથી. સમગ્ર વિજાપુરમાં દિવસભર કોઈ અનિચ્છનીય બનાવ ન બનતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. તાલુકા પંચાયતની 23 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો હેઠળ આવતા તમામ ગામોના બુથવાર આંકડા ફાઈનલ પરિણામ બાદ પ્રાંત કચેરી દ્વારા જાહેર કરવામાં આવશે. હાલ તમામ EVM અને મતપેટીઓ સીલ કરી સ્ટ્રોંગરૂમમાં ખસેડાઈ છે અને મતગણતરીની તારીખે 6 જિલ્લા બેઠક, 23 તાલુકા બેઠક અને 7 વોર્ડના પરિણામો એકસાથે જાહેર થશે.1
- ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ | ખેડબ્રહ્મા1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી કાલેથી સવારે સાત વાગે1
- ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ2
- : હુમલાનો પ્રકાર: કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે જ્યારે પ્રચારમાં અથવા પોતાના કાર્યાલય પાસે હતા, ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજા: હુમલામાં હર્ષિલ દવેને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વિરોધ: આ ઘટનાને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને "ન્યાય"ની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.1
- ખેડબ્રહ્માના સંગ્રામપૂરા થયેલ હત્યામાં ફરિયાદ નોધાઈ ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા તાલુકાનાં સંગ્રામપૂરા ગામે શનિવાર રાત્રિના એક પરિવારમાં કોઈ કારણસર ઝગડો થયેલ હતાઓ જેમાં પતિએ પત્ની, માતા અને પુત્ર પર કુહાડીથી હુમલો કરી પુત્રને સ્થળ ઉપર મારી નાખેલ હતો જ્યારે માતાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું પત્ની સારવાર હેઠળ અમદાવાદ હોસ્પિટલમાં છે અને હત્યા કરનારને પણ અન્ય બે લોકોએ માર મારતા તેનું પણ મોત નીપજયું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર ગત ૨૫ એપ્રિલ ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના સંગ્રામપુરા ગામે હત્યાઓનો ગુન્હો બનેલ હતો જેમાં પોલીસ તપાસ થતાં શ્રવણભાઈ ચુનાભાઈ ગમારે પોતાની પત્ની કાંતાબેન આડા સંબંધો રાખે છે તેવો વહેમ રાખી અવાર-નવાર ઝગડો કરતો હતો અને આ વહેમના લીધે શ્રવણભાઈએ પ્રથમ તેના દિકરા કમલેશ ઉ.વ. 2 ને માથાના ભાગે કુહાડીનો ઘા મારી મારી નાખેલ અને તેની પત્ની કાંતાબેનને માથાના ભાગે કુહાડીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોચાડેલ આ સમયે તેની માતા જમનાબેન છોડાવવા વચ્ચે પડતા તેઓને પણ માથાના ભાગે કુહાડીથી ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે મરણ પામી હતી શ્રવણભાઈની પત્ની કાંતાબેન હાલમાં અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે શ્રવણભાઈ ચુનાભાઇ ગમાર તેમની માતા અને પત્નીની મારી રહ્યા હતા ત્યારે બૂમાબૂમ થતાં તેમની બાજુમાં રહેતા તેના ભાઈ ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર બચાવ પ્રક્રિયા દરમ્યાણ શ્રવણભાઈને કુહાડી વડે જીવલેણ ઈજાઓ પહોચાડી હતી અને શ્રવણભાઈના કાકી હળદીબેન રાંમાભાઈ ગમારે પણ શ્રવણભાઈને લાકડીનો ફટકો મારી મોત નિપજાવેલ હતું જેથી પોલીસે સંગિતાબેન ઈશ્વરભાઈ ચુનાભાઈ ગમાર રહે.સંગ્રામપુરાએ આરોપીઓ વિરૂધ્ધની અલગ-અલગ ફરીયાદો આપતા ગુન્હા નોધી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી આવી હતી3