Shuru
Apke Nagar Ki App…
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ૬ ના અપક્ષ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર 🙏
Gujarat crime news
પાલનપુર નગરપાલિકા વોર્ડ નંબર ૬ ના અપક્ષ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર 🙏
More news from ગુજરાત and nearby areas
- 🚩 જય શ્રી પરશુરામ 🚩 શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા, ભગવાન પરશુરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી!1
- રાજસ્થાનના અજમેર નજીક પુષ્કર ઘાટીમાં રવિવારે એક દુઃખદ અકસ્માત થયો. મુસાફરોને લઈને જઈ રહેલી બસ અચાનક બેકાબૂ બની ગઈ અને લગભગ 200 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. મળતી માહિતી મુજબ બસમાં કુલ 31 મુસાફરો સવાર હતા. તેઓ અજમેર જિલ્લાના પીસાંગણ વિસ્તારથી પુષ્કર તરફ “માયરા ભરવા” જઈ રહ્યા હતા. રવિવારે બપોરે લગભગ 12 વાગ્યાના આસપાસ પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા સાંજીસર નજીક બસ અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને મુખ્ય માર્ગ પરથી નીચે ખાઈમાં ઉતરી ગઈ. બસ લગભગ 200 ફૂટ નીચે જઈને ઝાડ અને ઝાડીઓમાં અટકી ગઈ. અકસાન પછી આસપાસથી પસાર થતા લોકોએ તરત જ મદદ માટે દોડ કરી. લોકોએ પોતાના કપડાં જોડીને દોરી બનાવી અને ખાઈમાં ફસાયેલા ઘાયલોને બહાર કાઢ્યા. બધા ઘાયલોને પહેલા પુષ્કરના સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસાન બાદ પુષ્કર ઘાટીમાં લાંબો ટ્રાફિક જામ પણ લાગી ગયો હતો. ગ્રામીણ સીઓ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે અજમેરથી પુષ્કર તરફ જતા સમયે સાંજીસર નજીક આ અકસ્માત થયો હતો. બસ અચાનક મુખ્ય રસ્તેથી ખાઈમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાઓમાં પૂજા (28) પત્ની વિજયસિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમપ્રકાશ ગુર્જરનો સમાવેશ થાય છે. બંને અજમેરની રહેવાસી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે રિપોર્ટર વિષ્ણુ ઠાકોર1
- Post by S B CHAUHAN1
- Post by Pankaj Parmar1
- પોશીના તાલુકાના લાંબડીયા ગામે લાબડીયા બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો હાજર રહી ભગવાન પરશુરામની પૂજા અર્ચના કરવામાં આવેલ1
- Post by Nareandrasinh Rathod3
- ખેડબ્રહ્મા તાલુકામાં ખેડૂતોએ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર્વ નિમિત્તે ખેતીના કાર્યોનો શુભારંભ કર્યો હતો. પરંપરાગત રીતે હળ જોડીને અને ખેતીના ઓજારોની પૂજા કરીને ખેડૂતોએ ધરતી માતાનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પરંપરાગત હળ ઉપરાંત આધુનિક ખેતીના સાધન એવા ટ્રેક્ટરોની પણ સામૂહિક પૂજા કરવામાં આવી હતી. આ રીતે ખેડૂતોએ નવા કૃષિ વર્ષ માટે શુભ મુહૂર્ત કર્યું હતું. અખાત્રીજ એ હિન્દુ ધર્મનો અત્યંત શુભ અને પવિત્ર તહેવાર છે. ગુજરાતના ખેડૂતો માટે આ દિવસનું વિશેષ મહત્વ છે, કારણ કે તેઓ આ દિવસે ધરતી માતાનું પૂજન કરીને નવા વર્ષના ખેતીકાર્યોની શરૂઆત કરે છે. વૈશાખ સુદ ત્રીજના આ દિવસે કરેલા દાન, પુણ્ય અને શુભ કાર્યોનું ફળ 'અક્ષય' (જેનો ક્યારેય નાશ ન થાય તેવું) રહે છે તેવી માન્યતા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને ગંગાજી પૃથ્વી પર અવતર્યા હતા.4
- Post by Gujarat crime news1