Shuru
Apke Nagar Ki App…
મહીસાગરના કડાણા તાલુકાના દેદાવાડા ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે.
Nayan valand
મહીસાગરના કડાણા તાલુકાના દેદાવાડા ત્રણ રસ્તા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી બુટલેગરોમાં ફફડાટ મચાવ્યો છે.
More news from ગુજરાત and nearby areas
- આ પોસ્ટ રોકાણ માટે ગેરેન્ટેડ રિટર્ન અને મોટા વળતર વચ્ચેના વિકલ્પો સમજાવે છે. ભવિષ્યમાં પસ્તાવો ન થાય તે માટે સમજદારીપૂર્વક રોકાણ કરવાની સલાહ અપાઈ છે. તમારા નાણાકીય ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે.1
- નડિયાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર તડબૂચની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આવતા વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી તડબૂચ ભરેલા વાહનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરા તરફથી એક અશોક લેલન બડાદોસ્ત વાહન નં GJ-27-TD-8306 માં તડબૂચની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે હાઈવે પર નડિયાદ-ડાકોર બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે વાહન ઉભું રાખવાને બદલે અમદાવાદ તરફ હંકારી મૂક્યું હતું. પોલીસે તુરંત ખાનગી વાહનમાં ફિલ્મી ઢબે પીછો કરીને શેઢી નદીના પુલ પાસે આ વાહનને કોર્ડન કરીને આંતરી લીધું હતું. પોલીસને જોઈને વાહનનો ચાલક અને બાજુમાં બેસેલ શખ્સ નાસી જવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસે સતર્કતા દાખવી ડ્રાઈવર સરીફખાન સિકંદરખાન પઠાણને સ્થળ પર જ દબોચી લીધો હતો, જ્યારે કંડક્ટર સીટ પર બેસેલો ભરતભાઈ સમાભાઈ ખરાડી અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા વાહનની તપાસ કરતા પાછળના ટ્રોલીના ભાગે છુટા તડબૂચ ભરેલા જોવા મળ્યા હતા. પોલીસે આ તડબૂચ હટાવીને તપાસ કરતા નીચે પુઠ્ઠાના બોક્સમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રાત્રીનો સમય હોવાથી અને હાઈવે પર ટ્રાફિકની અવરજવર વધુ હોવાથી પોલીસ વાહન અને આરોપીને સુરક્ષિત રીતે એલસીબી કચેરી ખાતે લઈ આવી હતી. જ્યાં વિગતવાર ગણતરી કરતા દારૂની કુલ 101 પેટીઓ મળી આવી હતી. આ પેટીઓમાંથી વિદેશી દારૂની કુલ 3684 નંગ બોટલો અને ક્વાર્ટર મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 7,17,276 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 4,00,000 રૂપિયાની કિંમતનું વાહન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 11,18,276 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના ઈન્દોર પાસે આવેલા રવ ગામથી ભરવામાં આવ્યો હતો અને તે અમદાવાદના સરખેજ ખાતે રહેતા આરીફ નામના વ્યક્તિને પહોંચાડવાનો હતો. પોલીસે આ મામલે સરીફખાન પઠાણ, ભરતભાઈ ખરાડી, આરીફ અને મુદ્દામાલ ભરી આપનાર શખ્સો વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ.4
- કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી. જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- જામનગર: જી.જી. હોસ્પિટલ બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો#1
- સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.1
- Post by Gautam Patel1
- લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો લાલબાગ બ્રિજ પાસેના રોયલ મેળામાં બાઉન્સરો અને જનતા વચ્ચે અથડામણ, આયોજકોનો મોટો ખુલાસો વડોદરાના લાલબાગ બ્રિજ પાસે યોજાયેલા “રોયલ મેળા”માં ભારે હોબાળો સર્જાયો હતો. મેળામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને યુવાનો ઉમટી પડ્યા હતા ત્યારે અચાનક બાઉન્સરો અને કેટલાક મુલાકાતીઓ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી મુજબ, મેળાના આયોજકો અને સિક્યુરિટીમાં ફરજ બજાવતી મહિલાએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અંદાજે ૨૦ થી ૨૫ લોકો દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ દરમિયાન મહિલા સિક્યુરિટી સાથે જપાજપી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર હાજર બાઉન્સરો મહિલાને બચાવવા અને મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે ટોળામાં સામેલ કેટલાક લોકોએ બાઉન્સરો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ બાઉન્સરો દ્વારા પોતાના બચાવમાં સામે હાથાપાઈ કરવામાં આવી હતી. ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થયા બાદ આજે રોયલ મેળાના આયોજકો દ્વારા સત્તાવાર રીતે સમગ્ર મામલે ખુલાસો કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.1
- અમરેલી જિલ્લાના જાફરાબાદ સામાકાંઠા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ત્રાટક્યું. આ અચાનક દરોડાને કારણે સ્થાનિક સ્તરે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો.1