Shuru
Apke Nagar Ki App…
લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.
Sanjay Zala Official
લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.
More news from ગુજરાત and nearby areas
- *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.1
- ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- સુરેન્દ્રનગર શહેરમાં 80 ફૂટ રોડનું કામ અને સ્વચ્છતાની સમસ્યાથી લોકો પરેશાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં કોઈ અધિકારી ધ્યાન આપતું નથી, જેના કારણે વિકાસના કાર્યો અધ્ધરતાલ છે.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.1
- આ પવિત્ર શ્લોક ગુરુના મહિમાનું વર્ણન કરે છે, તેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર સમાન ગણાવે છે. તે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીને તેમને નમન કરે છે, ગુરુના અનંત મહત્વને ઉજાગર કરે છે.1
- લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.1