Shuru
Apke Nagar Ki App…
*ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
Sanjay Zala Official
*ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
More news from ગુજરાત and nearby areas
- *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.1
- ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- સોમનાથના ભવ્ય વારસાએ ગૌરવપૂર્ણ 75 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઐતિહાસિક પળને દેશભરમાં ઉત્સાહ, ઉમંગ અને થનગનાટ સાથે ઉજવવામાં આવી રહી છે, જે રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે.1
- ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.1
- ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા. લગ્નમાં ગાડી સુધી મૂકવા જવાની ના પાડતા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા અમદાવાદ ગ્રામ્યના સનાથલ ગામે નજીવી બાબતમાં 31 વર્ષીય દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના યુવકની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે સાંતેજમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં દેવેન્દ્રસિંહે આરોપી ચેહર ઠાકોરને પોતાની ગાડી સુધી મૂકવા જવા કહ્યું હતું જેની ચેહરે ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી આ સામાન્ય અદાવત રાખીને રાત્રે સનાથલના ઠાકોરવાસમાં ફરી ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આરોપીઓએ દેવેન્દ્રસિંહ પર છરીથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસ,DySP અને LCB સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. હાલ પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી.1