ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
- ધ્રાંગધ્રા પંથકમાં કેબલ ચોરીના બનાવોને લઈને ખેડૂતોમાં રોષ • કેબલ ચોરીથી સિંચાઇના પાણીમાં મુશ્કેલી પડતા વાવેતર નિષ્ફળ થવાની ભીતિ ધ્રાંગધ્રા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેતીલાયક જમીનોમાંથી વીજ કેબલ ચોરીના બનાવોમાં વધારો નોંધાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતી માટે ઉપયોગમાં લેવાતી વીજ મોટરોના કેબલ તસ્કરો દ્વારા ચોરી કરી જવાના બનાવો વારંવાર સામે આવતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ઉનાળાની સિઝનમાં તેમજ વાવેતરની તૈયારીઓ વચ્ચે સિંચાઇ માટે વીજ મોટરો અત્યંત જરૂરી બની છે. પરંતુ કેબલ ચોરી થતાં મોટરો બંધ પડી જાય છે અને સમયસર પાકને પાણી ન મળતાં વાવેતર તેમજ ઉભા પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. કેબલ ફરીથી નાખવા માટે ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, જેના કારણે આર્થિક ભારણ પણ વધી રહ્યું છે.સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક વખત પોલીસ તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કેબલ ચોરીના બનાવોમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે તસ્કરોને જાણે ખુલ્લેઆમ ચોરી કરવાની છૂટ મળી ગઈ હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ મામલે ખેડૂતો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવવા, શંકાસ્પદ તત્વો પર નજર રાખવા તથા કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલા તસ્કરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.1
- ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્ત સુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડો ચોટીલામાં રેતી માફિયાઓ સામે તંત્રનો મોટો પ્રહાર | ₹71 લાખનો મુદ્દામાલ જપ્તસુખભાદર નદીમાં ગેરકાયદેસર ખનન ઝડપાયુંચિરોડામાં મોડી રાત્રે નાયબ કલેક્ટરનો દરોડોચોટીલાના ચિરોડા ગામ પાસે સુખભાદર નદીમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાળી રેતીના ખનન પર વહીવટી તંત્રએ મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે દરોડો પાડી ડમ્પર, લોડર, ટ્રેક્ટર-ટ્રોલી સહિત આશરે ₹71.32 લાખનો મુદ્દામાલ અને 120 ટન કાળી રેતી જપ્ત કરી. આ કાર્યવાહી બાદ રેતી માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત ખનીજ નિયમો-2017 સહિત કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.1
- વાંકાનેરમાં ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ, રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત મોરબી જિલ્લા પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન JCB મશીન, ટ્રેક્ટર અને ડમ્પર સહિત કુલ રૂ.૧.૩૯ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ મોરબી એલસીબી-એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીના આધારે વિનયગઢ ગામની સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર ખનન થતું હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સાથે સંયુક્ત દરોડો પાડ્યો હતો. કારરવાહી દરમિયાન પોલીસે ગભરૂભાઈ નાથાભાઈ રબારી રહે. તરણેતર તા. થાનગઢ અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર રહે. જામવાડી તા. થાનગઢ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- મોરબીની નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ દાનપેટી તોડી ₹50,000 રોકડા ચોરી ફરાર થઈ ગયા.1
- સુરેન્દ્રનગરના ચોટીલા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.1
- *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી. *ધોલેરા નજીક બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેંગનઆરને ટક્કર મારી* અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને ધોલેરાથી નજીક 9 કિમી એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેંગનઆર ગાડીને ટક્કર મારી. અમદાવાદ જિલ્લાના ધોલેરા નજીક 9 કિલો મીટરના અંતરે અમદાવાદ થી સોમનાથ જતા પરિવારને અકસ્માત નડ્યો. અકસ્માતમાં બધા પરિવારના સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.1
- પાટણના સાંતલપુરમાં સર્વિસ રોડ પર ગટરના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે. રોજિંદા અનેક વાહનો આ અધૂરી ગટરમાં ફસાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તલાટી કે ઉચ્ચ અધિકારીઓની ગાડી ફસાય ત્યારે જ કામમાં સુધારો થાય છે, અન્યથા સ્થિતિ યથાવત રહે છે.1
- ધ્રાંગધ્રાની વિનાયક વિહાર સોસાયટીમાં વારંવાર વીજ પૂરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન છે. PGVCL કચેરીમાં રજૂઆત કરવા ગયેલા લોકોને કલાકો સુધી અધિકારીઓની રાહ જોવી પડી, પરંતુ કોઈ હાજર ન હતું. આનાથી રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક વીજ પુરવઠો સુધારવાની માંગ કરી.1