Shuru
Apke Nagar Ki App…
જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
કિરણ ઠાકોર ભાભર પત્રકાર
જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- દાણી સાહેબ…હેલ્મેટ તો પહેરી લેતા! ટર્મ પૂરી… પણ હેલ્મેટ ભૂલી ગયા! ચેરમેન દેવાંગ દાણીનો વીડિયો ચર્ચામાં #Ahmedabad#DevangDani #AMC#HelmetRule #newsforgujarat #sharif_ghanchi #TrafficRules#AhmedabadNews #GujaratNews#ViralReel #NewsReel#HelmetSafety1
- ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.1
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Vaghela Janak2
- પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. બંને સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેને અનુસંધાને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંને આરોપીઓને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને ગળપાદર જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આ બનાવમાં ત્રીજા અજાણ્યા આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તે ડો. કાયનાત અંસારીનો ડ્રાઈવર રોહિતસિંહ જાડેજા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.1
- વડાલી તાલુકાના ડોભાડા ચોકડી નજીક આવેલા એક ખેતરમાં ખેતમજૂરો માટે બનાવેલા છાપરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિષ્ણુસિંહ કોદરસિંહ પરમારના ખેતરમાં બનેલા આ છાપરામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગની જાણ વડાલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા, ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર, અશ્વિન વણકર અને બ્રિજેશ પરમાર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઝડપથી કાર્યવાહી કરીને આગને વધુ ફેલાતી અટકાવી તેના પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.1