Shuru
Apke Nagar Ki App…
દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલોદ પોલીસ સ્ટેશન તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવ્યું પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Saurabh Gelot
દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી દેવગઢ બારીયા પોલીસ દ્વારા પ્રોહીબિશનના બે અલગ-અલગ ગુન્હામા નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારીયા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી. પીપલોદ પોલીસ સ્ટેશન તથા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરવામાં આવ્યું પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
More news from Gujarat and nearby areas
- દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હનુમાન ટેકરી સહિત અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ અવસરે મંદિરોને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા. ફૂલોના હાર, લાઈટિંગ અને વિવિધ શણગારથી મંદિરને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા પૂજા-અર્ચના, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી1
- Post by Salman moravala1
- છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા રેતી ખનન અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપવામાં આવ્યું. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નગરજનોને પીવાનું પાણી ઓરસંગ નદી પર આધારિત છે.દર વર્ષે ઓરસંગ નદીના નીર સુકાતા નગરજનોને પાણીના સંકટ નો સામનો કરવો પડે છે.જેનુ મુખ્ય કારણ ઓરસંગ નદીમાં થતું રેત ખનન છે, રેત ખનન ના કારણે જળ સ્તર નીચે જવાથી જળ સંકટ ઉભું થાય છે ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા છે આવનારા દિવસોમાં નગરજનો ઉપર પાણીનું સંકટ ઊભું નહિ થાય તેના માટે આગોતરા આયોજનના ભાગરૂપે છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અલીરાજપુર નાકાથી લઈને ફતેપુરા નાકા સુધી વચ્ચેના ઓરસંગ નદીના પટમાં થતા રેતી ખનન ને અટકાવવા જિલ્લા કલેકટર ગાર્ગી જૈન ને આવેદનપત્ર આપી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી. જેમાં તેઓ દ્વારા જણાવ્યું કે હાલ નગરપાલિકા નર્મદાનું પાણી વેચાતું લઈને નગરજનોને પાણીની સુવિધા પૂરી પાડી રહી છે જેની 70 લાખ ઉપરાંત રકમ ચૂકવવાની બાકી છે, નર્મદા પાણી પુરવઠા વિભાગ જો આ પાણી આપવાનું બંધ કરી દે તો નગરમાં ભયંકર જળશંકટ ઉભી થવાની ભીતી સેવાઈ રહી છે, અને પાલિકા 10 દિવસમાં એક વખત પાણી આપે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે, જેથી કરીને વહેલી તકે અલીરાજપુર નાકા વારીગૃહ અને ફતેપુરા નાકા પાસેના વારી ગ્રૃહ પાસે થતા રેતી ખનને વહેલી તકે અટકાવવા માંગ કરવામાં આવી છે, આ પ્રસંગે પાલિકા પ્રમુખ - ઉપપ્રમુખ,કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ સહિત નગરપાલિકા વિવિધ સમિતિના ચેરમેન શ્રીઓ, પાલીકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.1
- બોડેલી નગરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી, જય શ્રી રામના ગુંજતા જયઘોષ વચ્ચે ભક્તિમય1
- હાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા કરવામાં આવી હતી.જ્યારે હનુમાનજી ને સિંધુર, કાળા અડદ સહીત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ.આ શુભ દિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.આજે હનુમાન જયંતિ પર્વ ને લઈને હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે તેંમજ બીલીયા પુરા ખાતે આવેલ બાલભોલા હનુમાનજી તેમજ પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે હનુમાનજી મંદિર સહીત તાલુકામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી. અને જય શ્રીરામ ના ગગનભેદી નારાથી હનુમાનજી ના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.નગરના કંજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે ગત રોજ બુધવારના રોજ સવારે 44 મોં અખંડ રામાયણ નો પાઠ આરંભ થયો હતો.જે આજે ગુરુવારે હનુમાન જયંતી ના રોજ સવારે 9 કલાકે સંપન્ન થયો હતો. ત્યારબાદ શ્રી મારૂતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો હતો.જે સાંજે 5 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવશે અને ત્યારબાદ હનુમાનજી મંદિર ખાતે મહા આરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારો શરૂ કરવામાં આવશે.જ્યારે નગરના બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતી ઉજવણી પ્રસંગને અનુલક્ષી છેલ્લા 22 વર્ષ થી 11 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જે મારુતિ યજ્ઞ નો પ્રારંભ આજે ગુરુવારે સવારે 9 કલાકે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજે 5.30 કલાકે અગ્નિકુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમવામાં આવશે ત્યારબાદ હનુમાન ભક્તોને મહાપ્રસાદી પીરસવામાં આવશે જ્યારે હાલોલના તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર ખાતે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી1
- ફતેપુરામાં આઈસર ટેમ્પો પલટી જતાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નીપજ્યું આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નિપજ્યું છે. મજૂરી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકોથી ભરેલો એક આઈસર ટેમ્પો પલટી જતાં આ દુર્ઘટના બની હતી, જેને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મોટીરેલ ગામના રહેવાસી બાબુભાઈ ગલાભાઈ કટારા અને તેમનો પરિવાર મજૂરી કામ માટે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ અન્ય શ્રમિકો સાથે આઈસર ટેમ્પોમાં પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ફતેપુરા પંથકના માધવા ગામ પાસે ઢાળ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક રાજુભાઈ ચાઉલભાઈ ચારેલે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો ગફલતભરી રીતે હંકારી ઢાળ ચડાવતી વખતે અચાનક પાછળની તરફ પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાના પાછળના ભાગે બેઠેલી બાબુભાઈની ૧૫ વર્ષીય પુત્રી કોમલબેન બાબુભાઈ કટારા ગાડી નીચે દબાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ કિશોરીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતમાં અન્ય શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1