Shuru
Apke Nagar Ki App…
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસે ભેંસોની અનધિકૃત હેરાફેરી સામે કાર્યવાહી કરીને 17 ભેંસોને બચાવી લીધી છે. વાલોડ તાલુકાના બાજીપુરા ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે-53 પર શુક્રવારના રોજ પોલીસે એક આઇસર ટેમ્પો નંબર GJ-23-AW-5032 અટકાવ્યો હતો. આ આઇસર ટેમ્પોમાં અત્યંત ખીચો-ખીચ અને ક્રૂરતાપૂર્વક 17 ભેંસો બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાલોડ પોલીસે આ તમામ પશુઓને આ ક્રૂરતામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે બચાવી લીધા છે.
Hansraj Padvi
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસે ભેંસોની અનધિકૃત હેરાફેરી સામે કાર્યવાહી કરીને 17 ભેંસોને બચાવી લીધી છે. વાલોડ તાલુકાના બાજીપુરા ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે-53 પર શુક્રવારના રોજ પોલીસે એક આઇસર ટેમ્પો નંબર GJ-23-AW-5032 અટકાવ્યો હતો. આ આઇસર ટેમ્પોમાં અત્યંત ખીચો-ખીચ અને ક્રૂરતાપૂર્વક 17 ભેંસો બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાલોડ પોલીસે આ તમામ પશુઓને આ ક્રૂરતામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે બચાવી લીધા છે.
More news from ગુજરાત and nearby areas
- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસે ભેંસોની અનધિકૃત હેરાફેરી સામે કાર્યવાહી કરીને 17 ભેંસોને બચાવી લીધી છે. વાલોડ તાલુકાના બાજીપુરા ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે-53 પર શુક્રવારના રોજ પોલીસે એક આઇસર ટેમ્પો નંબર GJ-23-AW-5032 અટકાવ્યો હતો. આ આઇસર ટેમ્પોમાં અત્યંત ખીચો-ખીચ અને ક્રૂરતાપૂર્વક 17 ભેંસો બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાલોડ પોલીસે આ તમામ પશુઓને આ ક્રૂરતામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે બચાવી લીધા છે.1
- તાપીના કુકરમુંડામાં દીકરીઓને સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણથી બચવાની સલાહ આપવામાં આવી છે. આ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે પ્રેમ કરવો એ કોઈ પાપ નથી, પરંતુ દીકરીઓએ સોશિયલ મીડિયાના ખોટા આકર્ષણોમાં ફસાયા વિના તેનાથી બચીને રહેવું જોઈએ.1
- નર્મદા જિલ્લાના કેવડિયામાં રાજીવવન મુખ્ય બજારથી પોલીસ સ્ટેશન સુધીના રસ્તાની કામગીરી છેલ્લા છ મહિનાથી અત્યંત ધીમી ગતિએ ચાલતા સ્થાનિક લોકો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે ચોમાસાના દિવસોમાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે વિશ્વસ્તરે જાણીતા બનેલા આ વિસ્તારમાં રસ્તાની આવી કથળેલી હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રસ્તાના નિર્માણ માટે સ્થાનિક વેપારીઓએ વહીવટી તંત્રની સૂચનાને માન આપીને પોતાના ધંધા-રોજગાર બાજુ પર મૂક્યા હતા અને રસ્તામાં નડતરરૂપ બનતા પોતાની દુકાનોના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા. આ ઉપરાંત રસ્તાના કામ માટે વર્ષો જૂના વૃક્ષોનું નિકંદન પણ તાત્કાલિક ધોરણે કરવામાં આવ્યું હતું. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે દબાણો હટાવવા અને વૃક્ષો કાપવા જેવી કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી થઈ ગઈ હતી, તો પછી મુખ્ય રસ્તો બનાવવામાં આટલો બધો વિલંબ કેમ કરવામાં આવી રહ્યો છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? રસ્તાનું કામ અધૂરું હોવાથી છેલ્લા છ મહિનાથી વેપારીઓના ધંધા પર સીધી અસર પડી રહી છે અને ગ્રાહકોની અવરજવર બંધ થતાં રોજગારી મેળવવી મુશ્કેલ બની છે. આસપાસના ગામડાઓમાંથી બિયારણ, ખાતર કે જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા આવતા ખેડૂતો અને નાગરિકો માટે બજાર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે, જ્યારે ઇમરજન્સી સમયે દવાખાને આવતા દર્દીઓ માટે આ રસ્તો અત્યારે માથાનો દુખાવો સમાન બન્યો છે. પ્રજાજનો દ્વારા વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરવામાં આવી છે કે હવે કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વિના યુદ્ધના ધોરણે રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકો અને અહીં આવનારા પ્રવાસીઓને પડતી હાલાકીનો અંત આવે.2
- હવે તમારા ફોનમાં જ રોકડા પૈસા રાખવા શક્ય બનશે, કારણ કે ડિજિટલ રૂપિયો (e₹) આ સુવિધા આપી રહ્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા બહાર પાડવામાં આવેલી આ ડિજિટલ કરન્સીના ઉપયોગથી લોકોને હવે છુટા પૈસા રાખવાની કે શોધવાની કોઈ ચિંતા રહેશે નહીં. આ ડિજિટલ રૂપિયો યુપીઆઈ (UPI) સહિતના તમામ ક્યુઆર કોડ પર પણ સરળતાથી કામ કરે છે. દેશની કેન્દ્રીય બેંકના વિશ્વાસ સાથે હવે સ્માર્ટ રીતે ચૂકવણી કરી શકાશે. આ અંગે આરબીઆઈનું કહેવું છે કે, ડિજિટલ રૂપિયો એટલે રોકડ, પરંતુ ડિજિટલ.1
- ગુજરાતના પૂર્વ વનમંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના બેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1
- છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પૂર્વ વનમંત્રી અને આદિવાસી સમાજના કદાવર નેતા મોહનસિંહ રાઠવાની પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.1
- ગુજરાત સરકારના કેબિનેટ વન મંત્રી અને છોટાઉદેપુર તથા પાવી જેતપુર વિસ્તારમાં ૧૧ વખત ધારાસભ્ય રહી ચૂકેલા પીઢ આદિવાસી આગેવાન અને આદિવાસી મસીહા સ્વ. મોહનસિંહ છોટુભાઈ રાઠવા તારીખ ૫/૭/૨૬ના રોજ ૮૨ વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેમના અવસાનથી છોટાઉદેપુર જિલ્લાએ એક અમૂલ્ય રત્ન અને આગેવાનની છત્રછાયા ગુમાવી દીધી છે, જેના કારણે સમગ્ર જિલ્લામાં ઊંડા શોક અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્વ. મોહનસિંહ રાઠવાની યાદમાં આજે પાવી જેતપુર કોલેજ ખાતે પ્રાર્થના સભા એટલે કે બેસણું રાખવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો, મોટા વેપારીઓ અને સામાન્ય લોકોએ ભારે હૈયે આ લોકલાડીલા નેતાને શ્રદ્ધાંજલિ અર્પી પરિવારને સાંત્વના પાઠવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાં છેલ્લા ૫૫ વર્ષોથી સક્રિય રાજકારણમાં ભૂમિકા ભજવી લાખો લોકોના દિલમાં પ્રેમભર્યું સ્થાન મેળવનાર સ્વ. મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાવી જેતપુર ખાતે આવી રહ્યા છે.1
- તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા બેડકુવાદુર ગામના પ્રતિકભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરની ફિલ્ડ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે સીડલેસ લીંબુની પ્રાકૃતિક ખેતી અપનાવીને મુંબઈ અને પુણેના બજારોમાં ભારે ધાક જમાવી દીધી છે. પ્રતિકભાઈએ માત્ર એક એકર જમીનમાંથી સીડલેસ લીંબુની ખેતી કરીને આઠ લાખ રૂપિયાની માતબર આવક મેળવી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવું વ્યાવસાયિક ક્ષેત્ર છોડીને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી આ શાનદાર સફળતા મેળવી છે.1