સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરીને તેઓને આત્મનિર્ભરતા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બહેનોને પ્રોત્સાહિત કરતા કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૨૪.૫૦ લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કુલ ૭૫.૭૦ લાખ રૂપિયાની લોન shg જૂથોના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા બહેનોને સંબોધન કરતા કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ કેશ ક્રેડિટ લોન ધિરાણનો યોગ્ય સદુપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-નિર્ભર બને તે સમયની માંગ છે. આર્થિક રીતે પગભર થવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે બહેનોને વિશેષ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રજનીતાબેન એન. તાવિયાડ, ઉપપ્રમુખશ્રી રવિરાજભાઈ, પૂર્વ પ્રમુખશ્રી હરીશભાઈ વલવાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ઈશ્વરભાઈ કલાસવા, ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ, તેમજ સચિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી પરેશભાઈ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજરશ્રી હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી એ. આર. સેલોત તથા એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
સંતરામપુર ખાતે ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને સ્વ-સહાય જૂથો માટે લોન ધિરાણ અને કાજુ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો *** સંતરામપુર તાલુકા મથક ખાતે વિકાસલક્ષી અભિગમ સાથે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વ-સહાય જૂથોની બહેનોને આર્થિક સહાયના ચેકો અને કાજુના રોપાનું વિતરણ કરીને તેઓને આત્મનિર્ભરતા તરફ દોરવાનો
પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધારાસભ્યશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે બહેનોને પ્રોત્સાહિત કરતા કાજુની ખેતી અને કેશ ક્રેડિટ લોન દ્વારા રોજગારીની નવી તકો ઊભી કરવા અંગે ઝીણવટપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કુલ ૨૪.૫૦ લાખ રૂપિયાના કેશ ક્રેડિટ લોન ધિરાણના ચેકોનું પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી કુલ ૭૫.૭૦ લાખ રૂપિયાની લોન shg જૂથોના બેંક ખાતામાં જમા કરવામાં આવેલ છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી
નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર દ્વારા બહેનોને સંબોધન કરતા કાજુના રોપાના વાવેતર અને તેની માવજત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓ કેશ ક્રેડિટ લોન ધિરાણનો યોગ્ય સદુપયોગ કરી વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-નિર્ભર બને તે સમયની માંગ છે. આર્થિક રીતે પગભર થવા માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા તેમણે બહેનોને વિશેષ સૂચન કર્યું હતું. આ કાર્યક્રમમાં સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રજનીતાબેન એન. તાવિયાડ, ઉપપ્રમુખશ્રી રવિરાજભાઈ, પૂર્વ પ્રમુખશ્રી હરીશભાઈ
વલવાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ઈશ્વરભાઈ કલાસવા, ન્યાય સમિતિના ચેરમેનશ્રી કિશોરભાઈ, તેમજ સચિનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી પરેશભાઈ પટેલ, આસી. પ્રોજેક્ટ મેનેજરશ્રી હરિશ્ચંદ્ર હજૂરી, તાલુકા લાઈવલી હુડ મેનેજરશ્રી એ. આર. સેલોત તથા એન.આર.એલ.એમ. સ્ટાફ અને મોટી સંખ્યામાં સ્વ-સહાય જૂથની બહેનો હાજર રહી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે કાજુના રોપાનું વિતરણ કરવામાં આવ્યો હતો અને આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
- લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.1
- આ રક્ષાબંધન Shopping કરો અને સાથે મેળવો ખાસ Gift! Hare Krishna Mall લઈને આવ્યું છે Raksha Bandhan Special Offer! ₹100થી વધુની ખરીદી પર Steel Product એકદમ FREE! ઘરની જરૂરિયાતનો સામાન હોય કે તહેવારની Shopping — મેળવો સારી Choice, સારો ભાવ અને સાથે ખાસ Festive Gift! Hare Krishna Mall, મહિસાગર, ગુજરાત Free Gift ઉપલબ્ધતા અને લાગુ પડતી Offerની શરતોને આધિન રહેશે. Hare Krishna Mall — Better Choice, Better Life. ❤️1
- સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન સંતરામપુરમાં મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીનું અનોખું વિરોધ પ્રદર્શન ખાંડના ભાવ વધારાના વિરોધમાં આપ ના કાર્યકરોએ નગરજનોને એક-એક ચમચી ખાંડ આપી નોંધાવ્યો પ્રતિકાત્મક વિરોધ સંતરામપુર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વધતી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને ખાંડના ભાવમાં થયેલા વધારાને લઈને મધ્યમવર્ગ અને ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીઓ સામે પાર્ટીના કાર્યકરોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા એક ચમચી ખાંડનું વિતરણ કરી સંતરામપુર નગરજનોને એક-એક ચમચી ખાંડ આપવામાં આવી હતી અને ખાંડના અસહ્ય ભાવ વધારા સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય પરિવારના દૈનિક જીવન પર પડતા આર્થિક બોજ અંગે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈટ... બાબુ ભાઈ ડામોર... આમ આદમી પાર્ટી આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના સંતરામપુર વિધાનસભા પ્રભારી બાબુભાઈ ડામોર, સંતરામપુર તાલુકા પ્રમુખ જયેશભાઈ કલાલ, સંતરામપુર તાલુકા સંગઠન મંત્રી ગિરવતભાઈ કટારા, કડાણા તાલુકા પ્રમુખ મહેશભાઈ વાલુ, સંતરામપુર શહેર પ્રમુખ તલ્હાભાઈ અરબ સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘવારીમાં રાહત આપવા અને સામાન્ય તથા ગરીબ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં રાહત મળે તેવી માંગ સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર4
- મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો1
- કાલોલ ખાતે સંસ્કૃત સપ્તાહ નિમિત્તે દબદબાભેર 'સંસ્કૃત ગૌરવ યાત્રા' યોજાઈ: વિદ્યાર્થીઓ પૌરાણિક પાત્રોની વેશભૂષામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાલોલ ખાતે તાલુકા સ્તરીય 'સંસ્કૃત ગૌરવ યાત્રા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રાનો પ્રારંભ કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતેથી થયો હતો. જેમાં ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ તેમજ સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં જોડાઈને સમગ્ર નગરમાં આકર્ષક રેલી કાઢી હતી. રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ રામાયણના વિવિધ પૌરાણિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી, જે નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર, વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ વધે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તેવા ઉમદા હેતુથી આ યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, દુનીયા સરકારી હાઈસ્કૂલના કન્વીનર હાર્દિકભાઈ પટેલ, રાષ્ટ્રીય સંઘના આચાર્ય સંઘના વડા ડી. એચ. ચૌહાણ, ધી એમ. જી. એસ. હાઈસ્કૂલના ઈ. આચાર્ય વી. એ. ચૌહાણ, સી. બી. ગર્લ્સ હાઈસ્કૂલના ઈનચાર્જ આચાર્ય એન. પી. પટેલ સહિત વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નગરમાં પરિભ્રમણ કરી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતિનો સંદેશ આપનારી આ રેલીના સફળ આયોજનને સ્થાનિકોએ બિરદાવ્યું હતું.2
- દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ યાસીનભાભોર-FATEPURA LIVE MO.9825257995-9924257995 દાહોદ: ઝાલોદ: લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગ્રામ સભા યોજાઈ, નરેગાના કુવાના કામોમાં ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો થતા ભારે હંગામો1
- હાલોલ ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી ઉમિયા ફાઉન્ડેશનની બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી1
- વિરપુર અર્બન સહકારી બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ,અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો યથાવત્ મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ અને બેંકના ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળની સુશિક્ષિત પેનલનો બિનહરીફ જાહેર કરવામાં આવી છે. આ પરિણામ સામે અર્બન બેંકમાં શુકલ પરીવારનો દબદબો ત્રણ દાયકા બાદ પણ યથાવત્ જોવા મળ્યો છે. વિરપુર અર્બન સહકારી બેંક લીની ઓગસ્ટ - ૨૦૨૬ ની વ્યવસ્થાપક-કમિટીની ચૂંટણીમાં મોટો સહકારી સુમેળ જોવા મળ્યો છે. મહીસાગર જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન મુકેશભાઈ શુકલ તથા બેંકના ચેરમેન અને વિરપુર ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્રભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ એક સુશિક્ષિત પેનલ સર્વાનુમતે નક્કી કરવામાં આવી હતી. આ નક્કી કરાયેલી આખી પેનલ સામે અન્ય કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી સદર પેનલ બિનહરીફ વિજયી જાહેર કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને બેંકના સભાસદોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.સહકારી ક્ષેત્રે અગ્રેસર એવી વિરપુર અર્બન સહકારી બેંક લી.ની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણીમાં બેંકના હિત અને સુચારુ વહીવટ માટે મહીસાગર જિલ્લાના પૂર્વ કારોબારી ચેરમેન પિનાકીન શુકલ તથા બેંક ચેરમેન ભૂપેન્દ્રકુમાર મહેતાની આગેવાની હેઠળ ૧૨ સભ્યોની મજબૂત અને સુશિક્ષિત ઉમેદવારોની પેનલ જાહેર કરાઈ હતી. આ ઉમેદવારો સામે અન્ય કોઈ સભાસદોએ ઉમેદવારી ન નોંધાવતા સમગ્ર પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. આ નવનિયુક્ત કમિટીમાં જનરલ કેટેગરીની ૯ બેઠકો, મહિલા અનામતની ૨ બેઠકો તેમજ નાના અને સીમાંત ખેડૂત કેટેગરીની ૧ બેઠકનો સમાવેશ થાય છે, જે તમામ પર વિજેતા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે... બિનહરીફ વિજેતા ઉમેદવારો (બોક્સ) ભૂપેન્દ્રકુમાર રમણલાલ મહેતા, માર્ગેશકુમાર ચંદ્રકાંતભાઈ શુકલ, સ્મિતાબેન ભૂપેન્દ્રકુમાર જયંતિલાલ મહેતા, દેવ્યાનીબહેન દિલીપકુમાર શુકલ, રાજેશકુમાર મોહનલાલ જયસ્વાલ, ડો. આશિષકુમાર રતિલાલ પટેલ, પ્રજ્ઞેશકુમાર રોહિતભાઈ શુકલ, અશ્વિનકુમાર ઓચ્છવલાલ શેઠ, અશોકકુમાર મણિલાલ દેસાઈ, હરીશકુમાર ચંપકલાલ જીનગર, ડાહીબેન ચીમનલાલ પટેલ, અબ્દુલકૈયમ રસુલભાઈ શેખ.2