Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
E Kranti News
છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુરમાં ટ્રેન પર ચઢી ગઈ ટ્રેન! NDRF અને સુરક્ષા દળોનું યુદ્ધના ધોરણે મહારેસ્ક્યૂ ઓપરેશન છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ટ્રેન ઉપર ટ્રેન ચઢી ગઈ હોય તેવા ભયાનક દ્રશ્યો સામે આવતાં ખળભળાટ મચી ગયો! NDRF અને રેલવે સુરક્ષા કર્મચારીઓએ તાબડતોબ મુસાફરોને બચાવવા માટે હાથ ધર્યું મોટું રેસ્ક્યૂ ઓપરેશન. વાસ્તવમાં રેલવે તંત્ર અને NDRF દ્વારા કટોકટીની સ્થિતિ સામે લડવા માટે આ સઘન મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજા અને મહત્વના સમાચારો માટે ઈ ક્રાંતિ ન્યૂઝ (E Kranti News) ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.1
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા ખાતે ભવ્ય ઉજવણી: 'સેવા સેતુ' હેઠળ લાભાર્થીઓને સહાય તથા ૧૬૦૦થી વધુ દીપ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સેવા અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે જાંબુઘોડા ખાતે 'સેવા સેતુ કાર્યક્રમ' યોજાયો હતો. જેમાં વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સામાજિક ઉત્તરાદાયિત્વના ભાગરૂપે ૨૦૦ જેટલી ગંગાસ્વરૂપા (વિધવા) બહેનોને સાડીઓનું વિતરણ કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજી તરફ, "એક દીવો આશીર્વાદનો" સંકલ્પ સાથે જાંબુઘોડા સ્થિત શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો. અહીં ૧૬૦૦થી પણ વધુ શ્રદ્ધાળુઓ અને કાર્યકર્તાઓએ એકસાથે દીપ પ્રજ્વલિત કરી 'દેવાધિદેવ મહાદેવ'ની ભવ્ય આરતી ઉતારી હતી તથા પ્રધાનમંત્રી શ્રી મોદીજીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આ સિવાય પણ જાંબુઘોડા તાલુકામાં ઠેર-ઠેર ભાજપ મંડળ દ્વારા દીપ પ્રજ્વલન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ તમામ કાર્યક્રમોમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલના શારણેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી યોજાઈ: ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરી દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે હાલોલ નગર ખાતે વિવિધ ધાર્મિક અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન તા.17 સપ્ટેમ્બર ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નગરના ઐતિહાસિક શ્રી શારણેશ્વર મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. આ પ્રસંગે મુખ્ય તળાવ ખાતે ‘આશીર્વાદનો દીવો’ પ્રજ્વલિત કરીને પ્રધાનમંત્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે હૃદયપૂર્વકની પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તથા રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કણજરી સ્ટેટના યુવરાજ મયુરધ્વજસિંહજી પરમાર પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા અને સંગઠન હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ, કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ તેમજ હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત નગરપાલિકાના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.1
- ડેરોલ સ્ટેશન પાસે લાખો લોકો માટે આશીર્વાદરૂપ 'રેલ્વે ઓવરબ્રિજ LC 32'નું સાંસદ અને ધારાસભ્યના હસ્તે લોકાર્પણ ડેરોલ સ્ટેશન ખાતે લાંબા સમયથી પ્રતીક્ષિત ડેરોલ એલ.સી. ૩૨ રેલ્વે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આજે પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડેરોલ માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં વરસતા વરસાદ વચ્ચે પણ સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો ભારે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન વાહનચાલકોને બેથી ત્રણ કિલોમીટર દૂર પીગળી ફાટક પરથી ફરીને જવું પડતું હતું, જેના કારણે ઈંધણ અને સમયનો મોટો વ્યય થતો હતો. આ ઓવરબ્રિજ શરૂ થવાથી સ્થાનિકોને ભારે હાલાકીમાંથી મુક્તિ મળશે.કાલોલથી ડેરોલ ગામ, ઉદલપુર, સણસોલી, પાડું, ડાકોર અને દિલ્હી-મુંબઈ હાઈવે તરફ જતા લાખો વાહનચાલકો માટે આ બ્રિજ ખૂબ જ સુવિધાજનક સાબિત થશે.પોતાના ઉદ્બોધનમાં સાંસદે આ વિસ્તારના બાકી રહેલા અન્ય રોડ-રસ્તાના કામો પણ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, ઉપપ્રમુખ સંજય રાઠોડ, મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, કૃણાલ બારોટ તેમજ સ્થાનિક સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.3
- જીઆઇડીસી સુતરના કારખાના નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું નરોડા અમદાવાદ મોદી સાહેબનું જમવાનું બટાકાનું શાક વિડીયો મુક્યો છે ભાઈ ઓર બહેનો જોઈ લેજો આ શાક ખવાય કે ના ખવાય કમેન્ટ કરજો આ વીડિયો શેર કરવા માટે નથી બનાવ્યો પણ આ મોદી સાહેબ નું જમવાનું કેવું છે એ જુઓ1
- ધામધૂમથી ડી જે ના તાલે શ્રીજી ની સ્થાપના કરી દસ દિવસ પછી બાપ્પા ને કેવી રીતે થાય છે ? વિસર્જન શું આ કેટલું યોગ્ય છે? કોમેન્ટ મા જણાવો1
- અભિનેત્રી વૈજન્તી માલાને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરાયો1
- છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો': PM મોદીના જન્મદિને ઉચ્ચ અધિકારીઓ અને સાંસદની ઉપસ્થિતિમાં દીપોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં 'એક દીવો આશીર્વાદનો' કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. 25 વર્ષની જનસેવાને સમર્પિત આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી (SDM) તેમજ જિલ્લા SP સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રગટાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જુઓ સંપૂર્ણ અહેવાલ ઈ ક્રાંતિ ન્યૂઝ પર.1