Shuru
Apke Nagar Ki App…
તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ શણધર પુલ નજીક કોઈ અજાણ્યા યુવક યુવતીની ડેડબોડી હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડેડબોડી કેનાલ બહાર નીકાળેલ અને તેની ઓળખ થયેલ નહી જેમાં છોકરીના ડાબા હાથમાં payal m.p કોતરાવેલ છે
Dashrath thakor
તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ શણધર પુલ નજીક કોઈ અજાણ્યા યુવક યુવતીની ડેડબોડી હોવાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ડેડબોડી કેનાલ બહાર નીકાળેલ અને તેની ઓળખ થયેલ નહી જેમાં છોકરીના ડાબા હાથમાં payal m.p કોતરાવેલ છે
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...1
- Post by Swatantra media1
- Post by AZAJDHUKKA1
- હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.1
- *હિંમતનગરના મોતીપુરા પાસે કડીવાળા પેટ્રોલ પંપ નજીક મગફળી ભરેલો ટ્રક સળગ્યો, લાખોનું નુકસાન* હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કડીવાળા પેટ્રોલ પંપ પાસે આજે બપોરના સમયે એક મગફળી ભરેલો ટ્રક અચાનક ભડકે બળવા લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નૂરપૂરથી જૂનાગઢ તરફ જઈ રહેલો આ ટ્રક જોતજોતામાં આગની લપેટમાં આવી ગયો હતો અને આખો ટ્રક જ્વાળાઓથી ઘેરાઈ ગયો હતો. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે આગ એટલી વિકરાળ હતી કે ટ્રકમાં ભરેલી મગફળીની એકેએક ગુણી સળગીને ખાખ થઈ ગઈ હતી. સદ્ભાગ્યે ડ્રાઇવર અને અન્ય લોકો સમયસર સુરક્ષિત બહાર નીકળી જતાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ ઘટનામાં વેપારી અને ખેડૂતોને મોટા પાયે આર્થિક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી.1
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- Post by Pankaj Parmar1
- Post by AZAJDHUKKA3
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1